SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ અછવ-અધિકાર. [ દ્વિતીય અર્થાત્ પૂર્વે કહેલા (સ્વરૂપવાળા ) સ્કંધને જ કલ્પના દ્વારા સૂચવાતે વિભાગ “દેશ” કહેવાય છે. જે સ્કંધ પરત્વે દેશની કલપના થઈ શકે તેના પ્રદેશની સંખ્યા ઓછામાં ઓછી ત્રણની હેવી જોઈએ. એ વાતને અત્ર ફરીથી ઈસાર કરી આપણે પ્રદેશનું લક્ષણ ગ્રન્થકારના શબ્દમાં નીચે મુજબ નોંધી લઇશ – उपर्युक्तदेशसम्बन्धकत्वे सति अविभागभागविशेषकल्पनारूपत्वं વરાછા ઢક્ષણમ્ I ( ર૪૭) અર્થાત્ ઉપર્યુક્ત દેશની સાથે સંબંધ ધરાવનારે અને જેના એક પણ વિભાગની કલ્પના પણ થઈ શકે નહિ એવા પુદગલને “પ્રદેશ” કહેવામાં આવે છે. પ્રદેશ અને પરમાણુમાં દ્રવ્યની દષ્ટિએ ફેર નથી, પરંતુ એ બે વચ્ચે તે અવસ્થા–ભેદ છે. અર્થાત્ મૂળ દ્રવ્યની સાથે સંયુક્ત પ્રદેશ જ તેનાથી વિખૂટો પડતા “પરમાણુ”ના નામથી ઓળખાય છે. આથી તે ગ્રંથકાર પરમાણુનું લક્ષણ નીચે મુજબ નિદશ છેઃ वर्णादिमत्त्वे सति परस्परासंयुक्तप्रदेशमात्ररूपत्व परमाणार्लक्षનમ્ (ર૪૮) અર્થાત્ વર્ણ વગેરેથી યુક્ત પરંતુ પરસ્પર સંલગ્ન નહિ એવા પ્રદેશ જેવડા દ્રવ્યને “પરમાણુ કહેવામાં આવે છે. પરમાણુ એ કંધને સૌથી નાનામાં નાન વિભાગ છે. એનાથી નાન વિભાગ કલ્પનાને પણ વિષય બની શકતો નથી. આ વાતને લક્ષ્યમાં રાખીને પરમાણુનું લક્ષણતર નીચે મુજબ પ્રWકાર તરફથી સૂચવાય છે – वर्णादिमत्त्वे सति सकलभेदपर्यन्ततित्व परमाणो लक्षणम्। (२४९) અર્થાત વર્ણાદિથી યુક્ત હોઈ કરીને જે દ્રવ્ય સમગ્ર વિભાગોની સીમારૂપ છે તે “પરમાણુ” કહેવાય છે. અર્થાત્ જેને કઈ પણ રીતે વિભાગ થઈ શકે જ નહી તે પરમાણુ કહેવાય છે. એ નાનામાં નાનું કદ છે. આ લક્ષણમાં તેમજ એની પૂર્વેના લક્ષણમાં કારિગર સંત કહીને પુલને જ પરમાણુ હોય છે–એ સિવાયના અન્ય કોઈ પણ દ્રવ્યને પરમાણુને સંભવ નથી એ વાતનું સૂચન કરાયું છે. ૧ જુઓ પૃ. ૧૧. ૨ પૂર્વ ૫૫૮ મા પૃષ્ઠમાં એ હકીકત નિર્દેશાઈ ગઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy