SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ અછવ-અધિકાર. [ દ્વિતીય - આ સંબંધમાં બે વાત તરફ ખાસ ખ્યાલ આપવાની જરૂર છે. તેમાંની એક તે એ છે કે જ્યારે અમુક સ્પર્શવાળા પુદગલના ભેદને વિચાર કર્યો ત્યારે તે અને તેથી વિપરીત સિવાયના બાકીના છ એ સ્પર્શોને ભાંગામાં ઉમેરો કર્યો. આ પ્રમાણે અમુક વર્ણ યુક્ત, રસ યુકત, ગંધ યુકત કે સંસ્થાન યુક્ત પદગલના સંબંધમાં વિચાર ન કર્યો અર્થાત તેના ભાંગાએ ઉમેરવા માં આવ્યા નહિ તેમાં કંઈ કારણ હોવું જોઈએ. તે એ છે કે જોકે બાદર સ્કંધમાં એક વખતે સર્વે વર્ણો, રસ, અને ગળે છે અને એથી તેમાંથી અમુકને વિચાર કરતી વેળા બાકીનાની અપેક્ષાએ ભાંગા ઘટી શકે તેમ છે છતાં તે જ બાદર સ્કંધમાં વ્યવહાર–દષ્ટિએ એક જ વર્ણ માનવામાં આવે છે અર્થાત બાકીના વર્ષો પ્રતિપક્ષી-વિરોધી ગણાય છે. એ જ પ્રમાણે રસ અને ગન્ધના સંબંધમાં સમજી લેવું. સંસ્થાન તે એકી વખતે એક જ હોય છે એટલે એ પરત્વે વિચાર કરવાનું રહેતું નથી. સ્પર્શના સંબંધમાં તે લેકમાં પણ તેનાથી એક જ સ્પશને પ્રતિપક્ષી ગણી બાકીનાને તેમ ગણ્યા નથી. જેમકે શીતને પ્રતિપક્ષી ઉષ્ણ જ; નહિ કે કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, સ્નિગ્ધ કે રક્ષ. બીજી વાત એ છે કે આ પ૩ ભેદ પુનરુક્તિથી મુક્ત નથી, કેમકે ધારે કે એક કુષ્ણવાણી પુદગલને વિચાર કરતી વેળા તેના વીસ ભેદ પાડ્યા અને તેમને એક ભેદ એ થયે કે તે પુદગલ ખાટા રસને, દુર્ગધ વાળે, ઉષ્ણુ સપર્શ યુક્ત અને પરિમંડલ સંસ્થાનવાળો છે. આને આ ભેદ રસ, ગંધ, સ્પર્શ કે સંસ્થાનની અપેક્ષાએ ભેદ પાડતાં ફરીથી ગણવામાં આવ્યું છે. અજીવના પદ – પુદ્દગલના ઉપર્યુક્ત ૫૩૦ ભેમાં ધર્માસ્તિકાયના સ્કંધ, દેશ અને પ્રદેશ એ ત્રણ ભેદ તેમજ અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના પણ એવા ત્રણ ત્રણ ભેદે તેમજ કાલને એક ભેદ એમ દશ પ્રકારના અરૂપી અજીવને ભેદો તેમજ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુણની અપેક્ષાએ ધર્મઅધમ, આકાશ અને કાલ એ પ્રત્યેકના પાંચ પાંચ પ્રકારે એટલે એકંદર વીસ પ્રકારે પૂર્વોક્ત ૫૩૦+ ૧૦ માં ઉમેરતાં અજીવના કુલે પ૬૦ ભેદો થાય છે, બૌદ્ધ દર્શન અને સ્ક– આર્યભૂમિરૂપ એક જ સ્થળમાં ઉદ્દભવેલ વિવિધ દાર્શનિક સાહિત્યમાં અમુક શબ્દનું સામ્ય નજરે પડે એ સ્વાભાવિક હકીકત છે. દાખલા તરીકે “પુદ્ગલ” શબ્દ. બૌદ્ધ દર્શન અને “જીવ અર્થમાં પ્રયોગ કરે છે, જ્યારે જૈન દર્શન એને અચેતન પદાર્થ તરીકે સ્વીકારે છે. આ એક અન્ય શબ્દ “ સ્કંધ છે. જેના દર્શનનું આ સંબંધમાં શું કહેવું છે તે આપણે જોઈ લીધું. ૧ ભગવતી ( શ. ૮, ઉ. ૧૦, સૂ. ૩૬૧ )માં કહ્યું છે કે જીવ પુગલી પણ છે અને પુદ્ગલ પણ છે. જેમ કે પુરુષ છત્ર વડે છત્રી, દંડ વડે દંડી, ઘટ વડે ઘટી, પટ વડે પટી અને કર વડે કરી કહેવાય છે તેમ જીવ પણ શ્રોત્રાદિ પાંચ ઈન્દ્રિય આશ્રીને “ પુગલી ' કહેવાય છે, જ્યારે જીવને આશ્રીને “પુગલ’ કહેવાય છે. સિદ્ધો પુદ્ગલી નથી, પરંતુ પુદ્દગલ છે. વળી આ આગમની વૃત્તિના ૪ર૪મા પત્રમાં “ કુદ્રઢ rfત રક્ષા કરવા તતeતોગાત ઇતિ ” એવો ઉલ્લેખ પણ છે. આથી શું “ પુદગલ' શબ્દનો જીવ અર્થ જૈન દષ્ટિને પણ સંમત હોય એમ નથી ભાસતું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy