________________
ઉલ્લાસ ]
આëત દર્શન દીપિક. "अगुरुलहुपरिणामे णं भंते कइविहे पण्णत्ते ? गोयमा ! एगागारे पण्णत्ते" અર્થાત અગુરુલઘુ પરિણામના કેટલા પ્રકારે કહ્યા છે ? ગતમ! એક જ પ્રકાર કહ્યો છે. આવો પરિણામ પરમાણુઓથી માંને તે સૂમ અનંતપ્રદેશિકને વિષે જાણ. આ પરિણમની વ્યવસ્થા એવી છે કે જે દ્રવ્ય ઊર્ધ્વગમનશીલ હઈ ગુરુ નથી તેમજ અધોગમનશીલ હેઈ લધુ નથી તે અગુરુલઘુ છે. જેમકે અત્યંત સૂક્ષ્મ ભાષા–દ્રવ્ય. આનાથી વિપરીત પરિણામ તે ‘ગુરુલઘુ” કહેવાય છે. ૨૫૮ મા પૃષ્ઠમાં આપણે જોઈ ગયા છીએ તેમ નિશ્ચય–નય પ્રમાણે તે આ પ્રમાણેના બે જ પ્રકારો છે, જ્યારે વ્યવહાર-નય પ્રમાણે લઘુ, ગુરુ, ગુરુલઘુ અને અગુરુલઘુ એમ ચાર પ્રકારો છે. દીપક, ધુમાડો વગેરે લઘુ ( હલકો) છે, પત્થર ગુરુ (ભારી) છે, વાયુ ગુરુલઘુ છે અને આકાશ, પરમાણુ વગેરે અગુરુલઘુ છે. જે લઘુ હોય તે ઊર્ધ્વ–ગમન કરે છે, જે ગુરુ હોય તે અધે-ગમન કરે છે, જે ગુરુલઘુ હોય તે તિર્યંગ-ગમન કરે છે અને જે અગુરુલઘુ હોય તે ઊંચે, નીચે, કે તિર્ય દિશામાં ગમન ન કરે અથવા તે એ સર્વ દિશામાં ગતિ કરે છે. જુઓ વિશેષા (ગા. ૬૫૯-૬૬૦)ની વૃત્તિ.
જે દ્રવ્ય ઊંચે અથવા તિર્યંગ દિશામાં ફેંકાવા છતાં સ્વભાવથી જ અધેદિશામાં ગમન કરે તે દેખું વગેરે ગુરુ દ્રવ્ય ગણાય છે. એવી રીતે અન્યત્ર ઘટાવી લેવું.
નિશ્ચય-નય પ્રમાણે તે કઈ પણ દ્રવ્ય સર્વથા ગુરુ નથી કે સર્વથા લઘુ નથી; કેમકે તેડું વગેરે ગુરુ સ્વભાવવાળું છે તે પણ પર પ્રયોગથી તેની ઊર્ધ્વ ગતિ સંભવે છે એટલે એ એકાતે ગુરુ સ્વભાવવાળું ન ગણી શકાય. એવી રીતે બાષ્પ વગેરે લઘુસ્વભાવશીલ છે, પરંતુ હસ્તના તાડનાદિ વડે તે અધોગામી બને છે, વાતે તે એકાતે લઘુ નથી. આ લોકમાં જે કંઈ સ્થળ વસ્તુ છે તે સર્વ ગુરુલઘુ છે, જ્યારે બાકીનાં બધાં દ્રવ્યો અગુરુલઘુ છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો અષ્ટસ્પર્શી બાદર એવું રૂપી દ્રવ્ય જ (પુદગલ) ગુરુલઘુ હોય છે, અને સૂક્ષમ, ચતુઃસ્પર્શી પગલે તથા અમૂત આકાશાદિક દ્રવ્ય અગુરુલઘુ હોય છે. વિશેષમાં દારિક, વૈક્રિય, આહારક અને તેજસ દ્રવ્ય (પુદગલે) ગુરુલઘુ છે, જ્યારે ઉદ્ઘાસ, કામણ દ્રવ્ય, મન અને ભાષા એ પુદગલ-દ્રવ્ય અગુરુલઘુ છે.
૧ છાયા—
માહg૫રિણામો મફત ! #તિષ: પ્રાતઃ ? પૌતમ ! ઘાહાર: . ૨ આ પ્રમાણેનું વિવેચન નિમ્નલિખિત ઉલ્લેખોને આભારી છે?— '' गुरुयं ल हुयं उभयं नोभय मिति वावहारियनयस्त । दव्वं लेटुं दीवो घाऊ धोमं जहासंखं ॥ ६९. ॥" गुरुकं लघुकमुभयं नोभय मिति व्यावहारिक नयस्य ।
द्रव्यं लेष्टु दीपो वायुयोम यथासङ्ख्यम् ॥] • निच्छय ओ सम्वगुरुं सघलहं वा न विजप दळवं ।
बायरमिह गुरुल हुयं अगुरुलहं सेसयं दव्वं ।। ६६० ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org