________________
ઉલ્લાસ |
આર્હુત દર્શન દીપિકા,
૬૬૧
ઉત્પન્ન થયેલા પાકજન્ય પરમાણુમાં ક્રિયા ઉત્પન્ન થાય છે અને ત્યાર બાદ પરસ્પર સચાગ થવાથી ફ્રેંચણુકાદિના ક્રમથી ઘટાદ્વિરૂપ કાયદ્રવ્યની ઉત્પત્તિ થાય છે. આ પ્રમાણે સવ ંત્ર રૂપાદિનુ પરાવન સમજી લેવું એમ વૈશેષિક દર્શન નિર્દેશે છે.
રસનુ' સ્વરૂપ—
જિન્દ્રિયના વિષયરૂપ રસના પશુ રૂપની જેમ પાંચ પ્રકાશ છેઃ-(૧) મરચા વગેરેની માફક તીખા ( તિક્ત ), (૨) નાગર ( સુંઠ )ની માફક કડવા ( કટુ ), (૩) કાચા કાઢની માફક તા ( કાયિત ), (૪) આંબળાની માફક ખાટા ( અમ્લ ) અને (૫) સાકરની માક મીઠા ( મધુર ).` આ ઉપરાંત અન્ય ઇનકારો લવણુ નામના છઠ્ઠો રસ પણ માને છે, પરંતુ તત્ત્વાર્થની બૃહદ્ વૃત્તિ ( પૃ. ૩૫૬ )માં સૂચવ્યા મુજબ કેટલાકો આને મધુર રસમાં અંતર્ભાવ કરે છે, અર્થાત્ મધુર રસના પેટામાં એ આવી જાય છે એમ કહે છે, જ્યારે કેટલાકે પાંચ રસના મિશ્રણરૂપ અને ગણે છે.
કેટલાક ગ્રંથામાં તિક્તના અર્થ કડવા અને કટુના અ તીખા સૂચવાયેàા નજરે પડે છે, વિશેષમાં મારવાડમાં ઘણે સ્થળે કડવા પદાર્થને તીખા અને તીખા પટ્ટાને કડવા કહેવાને વ્યવહાર છે. એમ કહેવાય છે.
રસ સબધી વૈશેષિક માન્યતા—
પૃથ્વી અને જળ સિવાય અન્યત્ર રસ નથી આ રસ જિવા-ગ્રાહ્ય છે અને તે જીવન સબંધી પુષ્ટિ, બળ, આરગ્યતા વગેરેમાં નિમિત્તરૂપ છે. વિશેષમાં પૃથ્વીમાં ખાટા, કડવા, તીખા, ખારા અને મધુર એમ પાંચે જાતના રસ છે, પરંતુ પાણીમાં એકલેા મધુર રસ છે. પૃથ્વીના પરમાણુને વિષે રહેલા રસ અનિત્ય છે, જયારે પાણીના પરમાણુગત રસ નિત્ય છે.
ગન્ધનું સ્વરૂપ
ઘ્રાણેન્દ્રિયના વિષયરૂપ ગન્ધના બે પ્રકારે છેઃ-( ૧ ) ચંદન, અત્તર વગેરેની જેમ સુગંધી અને ( ૨ ) લસણ, કાંદા વગેરેની જેમ દુધી. કેટલાક સાધારણ એવા ગન્ધના ત્રીજો પ્રકાર માને પરંતુ તે ઠીક નથી એમ તત્ત્વાર્થની બૃહવૃત્તિ (પૃ. ૩પ૬ ) સૂચવે છે. વૈશેષિક દશન પણ ગંધના આ જ બે પ્રકારો માને છે, પરંતુ એને સમગ્ર પુદ્ગલાના ગુણુરૂપે ન સ્વીકારતાં કેવળ તેઓ અને પૃથ્વીના ગુણ માને છે, અને તે પણ વળી અનિત્ય.
સ્પર્શનું સ્વરૂપ –
નેન્દ્રિયના વિષયરૂપ સ્પર્શના આઠ પ્રકાશ છેઃ ( ૧ ) અગ્નિની માફક ઊના ૧ શ્લેષ્મને શાંત કરનાર, શ્લેષ્મના ભેદ કરવામાં કુશળ, ખાવાની રુચિને અટકાવનાર, આશ્રવણને ભીંજવનાર અને આનંદને વધારનાર એ પ્રમાણે પાંચ રસના ગુણે અનુક્રમે તત્ત્વાંની બૃદ્ વૃત્તિ ( પૃ. ૩૫૬ )માં સૂચવાયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org