________________
અછવ-અધિકાર
[ દ્વિતીય
છે. ચારના મિશ્રણથી પાંચ (૧c ) અને પાંચેના મિશ્રણથી એક (Sc) ભેદ પડે છે. આ પ્રમાણે બધા મળીને ૩૧ ( , ) ભંગ થાય છે.* વૈશેષિક દશન પ્રમાણે રૂપનું સ્વરૂપ
રૂપ (વર્ણ ) નેત્રગ્રાહ્ય છે અને પૃથ્વી, જળ અને અગ્નિ એ ત્રણને જ વિષે છે. તેમાં પાણીના પરમાણુઓને વિષેનું તેમજ અગ્નિના પરમાણુઓને વિષેનું રૂપ નિત્ય છે, જ્યારે પૃથ્વીના પરમાણુઓને વિષેનું રૂપ અનિત્ય છે, કેમકે અગ્નિના સંગથી એ નાશ પામે છે. સર્વ કાર્યોને વિષે કારણરૂપ પૂર્વક રૂપ ઉત્પન્ન થાય છે. દ્રયકાદિ કાર્યો ઉત્પન્ન થયા બાદ તેમાં રૂપની ઉત્પત્તિ થાય છે, કેમકે આશ્રય રહિત એવા કાર્યરૂપની ઉત્પત્તિને અભાવ છે તેમજ કાર્યરૂપ વિનાશને આશ્રયરૂપ વિનાશ જ હેતુ છે. કાર્ય–દ્રવ્યને નાશ પહેલાં થાય છે અને ત્યાર પછી રૂપને નાશ થાય છે. શીધ્ર ભાવને લઈને ક્રમના ગ્રહણ માટે અવકાશ નથી.
કાચા ઘડાને અગ્નિ સાથે સંયોગ થવાથી ઘડાને આરંભ કરવાવાળા પરમાણુઓમાં ક્રિયા ઉત્પન્ન થાય છે. ત્યાર પછી આ ક્રિયા દ્વારા ઘડાને વિભાગ થાય છે અને પછી સંગને નાશ થાય છે. એ સંયેગને સંપૂર્ણ વિનાશ થઈ રહ્યા પછી જ્યારે સ્વતંત્ર પરમાણુ રહે છે ત્યારે પરમાણુમાં અગ્નિના સંગથી ઉદ્દભવતી ઉષ્ણતાને લઈને શ્યામ રૂપ વગેરે નાશ પામે છે અને એથી વિલક્ષણ એવા લાલ રૂપ વગેરે ઉત્પન્ન થાય છે. પછીથી ભેગી લોકેના અદષ્ટની અપેક્ષાથી ૧ આ હકીકતને પૂર્વાચાર્ય કૃત નીચે મુજબની ગાથાઓ સમર્થિત કરે છે –
"जा कालगमेगगुणं सुकिल्लयं पि य हविज बहुय गुणं । परिणामिजा कालं सुक्केण गुणाहिय गुणेण ॥ १॥ मा सुक्किल मेगगुणं कालगदव्वं तु बहुगुणं जाय । परिणामिजा कालं सुक्केण ( ? सुकं कालेण गुणाहियगुणेणं ॥२॥ जइ सुकं एगगुणं कालन्दवं पि पक्कगुणमेव । कावोयं परिणामं तुलगुणत्तेण संभवह ॥ ३ ॥ g is fસ થઇ સંકોud 7 svftળrut | पक्कत्तीसं भंगा सव्वे वि य ते मुणेयव्या ॥४॥" [ यदि कालकमेकगुणं शुक्मपि च भवेद् बहुगुणम् । परिणम्येत काल शुक्लेन गुणाधिकगुणेन ॥ यदि शुक्लमेकगुणं कालकद्रव्यं तु बहुगुणं यदि च । परिणम्येत शुक्त कालेन गुणाधिकगुणेन । यदि शुक्लमेकगुणं कालकद्रव्यमपि एकगुण प्रेव । कापोत: परिणामस्तुल्यगुणेन सम्भवति ॥ पवं पश्चापि वर्णाः संयोगेन तु वर्णपरिणामः ।
ઘfa૬ મFI: હેંડ તે જ્ઞાતવા: ] ( ૨ આધુનિક રસાયણ શાસ્ત્ર પ્રમાણે જળ રંગ વિનાનું ( colourless ) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org