SearchBrowseAboutContactDonate
Page Preview
Page 736
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૬૫૭ સમજી શકાય છે કે અંધકાર એ તેજને અભાવ નથી, પરંતુ એ દ્રવ્ય છે-પદૂગલ છે. આ પ્રસંગે એમ ધ્યાન ખેંચવું નિરર્થક નહિ ગણાય કે દીપિકાદિકની સામગ્રી મળતાં અંધકારના પુદગલે પ્રકાશરૂપે પરિણમે છે અને તે સામગ્રીને અભાવ થતાં પાછા અંધકારરૂપ બની જાય છે. છાયાનું લક્ષણ प्रकाशावरणनिमित्तकत्वे सति पुद्गल परिणामरूपत्वं छायाया અક્ષણમ્ (ર૪૩) અર્થાત્ પ્રકાશના આવરણમાં નિમિત્તરૂપ પુદ્ગલના પરિણામને ‘છાયા' કહેવામાં આવે છે એટલે કે પ્રકાશ આવૃત થતાં છાયા ઉદ્દભવે છે. આ છાયાના બે પ્રકાર છે. જેમકે દર્પણ વગેરે સ્વચ્છ વસ્તુઓમાં મુખના વર્ણ, આકાર જેવાને તેવા દેખાય છે તે એક વર્ણાદિવિકાર પરિણામરૂપ છાયા છે, જ્યારે પૃથ્વી વગેરે અસ્વચ્છ વસ્તુઓ ઉપર જે કેવળ પડછાયો પડે છે તે બીજી પ્રતિબિમ્બરૂપ છાયા છે. આ બંને છાયા પ્રતિબિમ્બરૂપ તે છે જ, પરંતુ પ્રથમમાં આકારાદિને જે સ્પષ્ટ બંધ થાય છે તે બીજામાં થતું નથી એ વિશેષતા છે. આ છાયાના તદ્દવર્ણાદિ વિકારને લીધે અને પ્રતિબિમ્બ માત્ર ગ્રહણને લીધે બે ભેદ પડે છે. અર્પણ વગેરેમાં મુખાદિકનું જે પ્રતિબિમ્બ દષ્ટિગોચર થાય છે તે છાયા-પુદગલને પરિણામ છે, નહિ કે એ ભ્રમ છે, કેમકે ભ્રમ તે જ્ઞાનાંતર-ગ્રાહ્ય છે અર્થાત અજ્ઞાન-જન્ય છે અને આ તે તેમ નથી. તે ઉપરાંત, રોગરહિત ચક્ષુવાળા સર્વેને કંઈ એકી વખતે ભ્રમ સંભવતે નથી અને સર્વ કે પ્રતિબિમ્બ જુએ છે. આથી પ્રતિબિમ્બ એ ભ્રમ છે એમ માનવું એ જ ભ્રમ છે અર્થાતુ છાયા એ પુદ્ગલ સિદ્ધ થાય છે. વળી સર્વ પુદ્ગલ-દ્રવ્યના છાયા-પુદગલો તે પ્રત્યક્ષ દેખાય જ છે. | સર્વ સ્થળ ઇન્દ્રિયગોચર પદાર્થોની માફક કિરણ ચય-અપચય (વધઘટ) ધર્મવાળા છે અને તેઓ છાયા-પુદગલેની શ્રેણિરૂપ છે. યથાવિધ સામગ્રી મળતાં છાયા-પુદગલો વિચિત્ર પરિણામી બને છે. જેમકે, આતપ આદિકથી યુક્ત અને અભાસ્વર વસ્તુઓની સાથે કિરણને સંબંધ થતાં તેમને આકાર તે અભાસ્વર વસ્તુઓના જે થાય છે અને તેમને વર્ણ શ્યામ બને છે. દાખલા તરીકે આપણે તડકે ( આત૫), ચાંદરણી ( સ્ના ) કે દીવાનું અજવાળું જ્યાં હેય એવે સ્થળે ઊભા રહીએ તે ( અભાસ્વર એવી) પૃથ્વી ઉપર આપણું જે અને શ્યામ વર્ણને આકાર પડે છે. આનું નામ પ્રતિબિમ્બરૂપ છાયા છે. આ તે આપણે અભાસ્વર દ્રવ્યની સાથે સંબંધ ધરાવનાર પ્રતિબિમ્બ (છાયા)ને વિચાર કર્યો. પરંતુ જે આપણે આપણું મુખ ખડ્ઝ (તરવાર), આદશ (દર્પણ) ઈત્યાદિ ભાસ્વર (તેજસ્વી) પદાર્થોમાં જોઈએ તે મુખ (મૂળ વસ્તુ)ના જેવા વિષ્ણુ અને આકારવાળે પ્રતિબિમ્બ (છાયા) પ્રત્યક્ષ માલુમ પડે છે. 88 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy