________________
ઉલ્લાસ ] આત દર્શન દીપિકા
૬૫૫ અર્થાત એકત્વ વિષયક દ્રવ્યના વિશ્લેષરૂપ પરિણામ-વિશેષને ભેદ કહેવામાં આવે છે. આ ભેદના પાંચ પ્રકારે છે–(૧) ઓત્કારિક, (૨) ચણિક, (૩) ખંડ, (૪) પ્રતર અને (૫) અનુતટ. લાકડાં વગેરેને ફાડવાં, બહેરવાં, પત્થર ચીરવા તે “ કારક ભેદ” જાણો. ઘઉં વગેરેને દળીને લેટ બનાવવ-કણ કણરૂપે તેનું ચૂર્ણ કરવું તે “ચોણિક ભેદ” છે. ઘડા વગેરે ને કટકા કરવા તે “ ખંડ-ભેદ” સમજવો. અબરખ (અન્નપટલ), ભેજપત્ર વગેરેનાં પડ કાઢવા તે પ્રતર-ભેદ” છે. વાંસ, શેરી વગેરેની છાલ ઉતારવી તે “ અનુતટ–ભેદ ” છે.
તવાર્થરાજ (પૃ. ૨૩૩) પ્રમાણે ભેદના છ ભેદ છે – (૧) ઉત્કર, (૨) ચૂર્ણ, (૩) ખડ, (૪) ચૂર્ણિકા, (૫) પ્રતર તથા (૬) આણચટન. આ બે મતાંતરમાં ફેર એટલે છે કે જેને આપણે ઉપર ઊત્કારિક અને ચર્ણિક તરીકે ઓળખાવી ગયા તેને “ઉત્કર” અને “ચૂર્ણ” તરીકે અત્ર ઓળખાવવામાં આવે છે એટલે એ તે કેવળ સંજ્ઞામાં ભેદ છે. ચોખા, દાળ વગેરેને કડવાં (ખાંઢને છેડા ઉખેડવાં) તે “ ચૂર્ણિકાલેદ” છે. તપાવેલા લોઢાના ગળા ઉપર હથોડા મારીને તેમાંથી તણખા કાઢવા તે “અનુચટનભેદ” છે.
પ્રજ્ઞાપના (પ. ૧૧, સૂ. ૧૭૦)માં તેમજ દ્રવ્યપ્રકાશ (સ. ૧૧, લે ૧૦૭–૧૦૮)માં ભેદના ખંડ, પ્રતર, ચૂર્ણિકા, અનુતટિકા અને 'ઉત્કરિકા એમ પાંચ નામે દર્શાવવામાં આવ્યાં છે. આમાં કેવળ શાબ્દિક દષ્ટિએ ભિન્નતા જોવાય છે, કેમકે એ પાંચેનું સ્વરૂપ આલેખતાં ત્યાં કહ્યું છે કે લેઢાના, કલઈના (ત્રપુના), તાંબાના, સીસાના, રૂપાના અને સોનાના કટકાઓને જે ખંડ ખંડે ભેદ તે “ખંડ-ભેદ” છે. વાંસડાઓને, નેતરને, નલને, કેળનાં થડને અને અબરોને જે પ્રત પ્રતરે ભેદ તે “ પ્રતર–ભેદ” છે. તલના, મગન, અડદના, પીપરના, મરીના અને સુંઠના ચૂર્ણ (લેટ)ને જે ભેદ તે “ચૂર્ણિકા–ભેદ” છે. ફવાઓને, તળાવો, કહોને, વાને, પુષ્કરિણીઓને, વાંકી કે સીધી નદીઓને, પહા નદીઓને, સરોવરોને, સરોવરની હારને અને નીકેવાળી સરોવરની હારેને જે ભેદ તે “અનુતટિકા-ભેદ છે. મૂષને, “
મને, તલની શિંગને, અડદની શિંગને અને એરંડાનાં બીજને જે ફૂટીને ભેદ થાય છે તે ‘ઉત્સરિકા-ભેદ છે."
૧ શ્રતકેવલીને એક ઘડામાંથી હજાર ઘડા ઇત્યાદિ કરી દેખાડવામાં આ ભેદ જ કામ લાગે છે. જુઓ ભગવતી ( શ. ૫, ઉ. ૫, સૂ. ૨૦૦ ). ર અંદરથી પોલું અને બાણના જેવા આકારવાળું ઘાસ. કે અર્થ ધ્યાનમાં આવતા નથી; એક જાતનું અનાજ હશે. ૪ એક જાતનું અનાજ,
- ૫ આ સમગ્ર વાત સંક્ષેપથી રજુ કરતાં શ્રીમાલયગિરિરિ ૨ ૬૭ મા પત્રમાં કહે છે કે લોઢાના ટુકડાની પેઠે જે ભેદ છે તે ખંડ' ભેદ, ભોજપત્રના ભેદની પેઠે જે ભેદ છે તે “પ્રત ભેદ, પડેલા વોટની પકે જે વેરાઇ જાય તે “ચૂર્ણિકા’ ભેદ, શેરડીની છાલની પેઠે જે ભેદ છે તે ‘અનુતટિકા' ભેદ અને ન્નયાઘર્ષaa અર્થાત ખેંચવાની (?) પેઠે જે ભેદ છે તે ‘ઉત્સરિકા' ભેદ છે. આ સંબંધમાં વિચારો તવપ્રભાના ૨૦૦મા પત્રગત નિમ્ન-લિખિત ગાથાઓ –
" खंडेहि खंडभेदं पयरब्भेयं जहब्भपडलस्स ।।
चुण्णं चुणियभेयं अणुतडियं वंसवक्कलियं ॥" [ ao avમેટું વ્રત મેહં ચાડvટટ્યા !
चूर्ण चूर्णिकभेदमनुतटितं वंशवल्कलितम् ॥ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org