SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આત દર્શન દીપિકા. અર્થાત્ ચણું કરતાં બેર મોટું છે, બોર કરતાં આમળું મેટું છે, આમળા કરતાં કેરી મેટી છે. આ પ્રમાણેની સ્થલતા તે “ આપેક્ષિક સ્કૂલતા જાણવી. આ ઉપરથી ફલિત થાય છે કે જે સૂક્ષમતા અને સ્થલતા બંને એક જ પદાર્થમાં ભિન્ન ભિન્ન અપેક્ષા અનુસાર પણ ઘટી શકે નહિ તે “અંત્ય છે, અને જે અપેક્ષા-ભેદને લઈને ઘટી શકે તે “આપેક્ષિક” છે. વળી જેમાં આપેક્ષિક સૂક્ષમતા રહેલી છે તેમાં આપેક્ષિક સ્થલતા પણ રહેલી જ છે. જેમકે બોર આમલાની અપેક્ષાએ સૂક્ષમ છે, પરંતુ ચણાની અપેક્ષાએ તે સ્થલ છે. આ પ્રમાણે જેકે એક જ વસ્તુમાં આપેક્ષિક સ્કૂલતા અને આપેક્ષિક સૂક્ષમતા એ બે વિરુદ્ધ પર્યા હોઈ શકે છે, તે પણ અંત્ય સૂક્ષમતા અને અંત્ય પૂલતા એ બંને એક જ વસ્તુમાં કેઈ પણ રીતે સંભવતી જ નથી. સંસ્થાનનું લક્ષણ રોzવાઘાવિરોવર સંથાના અક્ષણન્ (ર૪) . અર્થાત લાંબી, ટુકી ઇત્યાદિ આકૃતિઓને “સંસ્થાન” કહેવામાં આવે છે. આ સંસ્થાનના (૧) ઈત્થભૂત અને (૨) અનિત્થભૂત એમ બે પ્રકારે છે. તેમાં ઈર્ઘભૂત સંસ્થાન એટલે અમુક નિયમિત આકાર સમજો અને અનિત્થભૂત સંસ્થાન એટલે મેઘાદિના જે અનિયત આકાર જાણ. અન્ય શબ્દોમાં કહીએ તે જે આકારનું કેઈ નિયતરૂપે નિરૂપણ થઈ શકે-જેની અન્ય કેઈની સાથે તુલના કરી શકાય તે અત્યંભૂત સંસ્થાન છે, જ્યારે એનાથી વિપરીત લક્ષણવાળું સંસ્થાન તે અનિત્થભૂત છે. તેમાં ઈન્ધભૂત સંસ્થાનના પાંચ પ્રકારે છે––(૧) પરિમલ, (૨) વૃત્ત, (૩) વ્યસ (ત્રિકેણ), (૪) ચતુરસ્ત્ર (ચતુષ્કોણ) અને (૫) આયત (દીર્થ). આ પાંચે સંસ્થાને અનુક્રમે વલય, કુંભારના ચક્ર, શીગેડા (શૃંગાટક), કુલ્ફિકા અને દંડ સાથે સરખાવવામાં આવે છે. પરિસંડલાદિ પ્રથમનાં ચાર સંસ્થાના પ્રતર અને ઘન એમ બબ્બે ભેદ પડે છે, જ્યારે છેલ્લાના અર્થાત્ પાંચમા “આયત સંસ્થાનના શ્રેણિ, પ્રતર અને ઘન એમ ત્રણ ભેદ પડે છે. તેમાં ઘન એટલે દીર્ધતા, વિભ અને બાહલ્યથી યુક્ત પ્રતર એટલે બાહલ્યથી રહિત અર્થાત દીર્ઘતા અને વિષ્કભથી યુક્ત અને શ્રેણિ એટલે વિષ્ક અને બાહલ્યથી રહિત પરંતુ દીર્ઘતાથી યુક્ત. વળી “પરિમંડલ” સિવાયનાં બાકીનાં બીજાં બધાં સંસ્થાના ઓજસપ્રદેશ અને “યુગ્મપ્રદેશ ૧ આ સંસ્થાનને શરીરના છ પ્રકારનાં સંસ્થાને સાથે કશો સંબંધ નથી, કેમકે અત્ર અજીવ પરિગ્રહીતનો અધિકાર છે. ૨-૩ પરમાણુઓનો સમૂહ કેવળ બહારના ભાગમાં મંડળની પેઠે રહેલે હોય, પરંતુ વચમાં ચૂડીની પેઠે પિલાણુ હોય તે “પરિમંડલ-સંસ્થાન” છે, જ્યારે જેનો વચલો ભાગ પણ કુંભારના ચાકની જેમ ભરેલો હોય અને જે ગોળાકાર હોય તે “વૃત્ત-સંસ્થાન” છે. ૪–૫ ઓજસ એટલે એકી અર્થાત જેને બે વડે ન ભાગી શકાય તેવી સંખ્યા; અને યુમ એટલે બેકી અથવા બે વડે ભાગી શકાય તેવી સંખ્યા. એટલે કે વિષમ અને સમ સંખ્યાનાં આ અન્ય નામો છે. 82 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy