SearchBrowseAboutContactDonate
Page Preview
Page 724
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. ૬૪૫ તે દ્વિતીય પ્રકાર છે. અર્થાત કેવલિ-સમુદ્રઘાત વડે સમુદ્રઘાત કરતા અને એ સમુદ્રઘાતથી પાછા ફરતા, વચ્ચે મંથાનમાં વર્તતા કેવલજ્ઞાની અનગારના તેજસ અને કામણ શરીરેને જે બન્ય થાય તે દ્વિતીય પ્રકાર છે. સમુદ્દઘાતથી નિવૃત્ત થતી વેળા કેવલીના છવ–પ્રદેશો સંધાતને પામે છે. અને એ પ્રદેશને અનુસરીને તૈજસાદિ શરીરના પ્રદેશને પણ બન્ધ થાય છે શરીર-બન્ધને સ્થાને જેઓ શરીરિ-અન્ય માને છે તેમના મત પ્રમાણે પણ આના પૂર્વ પ્રાગજ અને પ્રત્યુત્પન્નપ્રયોગજ એમ બે પ્રકારો છે. તેમાં શરીરથી બહાર પ્રક્ષેપેલા તેજસ અને કામણના પરમાણુઓ અન્ય સમાઘાતને વિષે ફરીથી સંકેચાય ત્યારે જે બંધ થાય તે પહેલા પ્રકાર છે. બીજા પ્રકારની વ્યાખ્યા તેજસ કાર્મણના આશ્રયરૂપ હેવાથી તેજસ કામણ શરીરિપ્રદેશનો બંધ એમ અર્થ કરવો. અત્રે એ ધ્યાનમાં રાખવું કે આત્મ-પ્રદેશને વિસ્તાર થતાં તેજસ અને કામણ શરીરેનો પણ વિરતાર થાય છે, જ્યારે આત્મા--પ્રદેશને સંહાર ( સંકેચ) થતાં એ બે શરીરેને પણ સંઘાત (સંકેચ) થાય છે. જુઓ દ્રવ્યલેકપ્રકાશ (સ. ૧૧, લે. ૪૨ ). શરીરપ્રગ-બન્ધના પાંચ શરીર આશ્રીને પાંચ પ્રકારે છે. વળી તેમાં દારિક-શરીર-પ્રયોગબન્ધ વગેરેના અવાંતર ભેદે પણ છે, પરંતુ ગ્રન્થ--ગૌરવના ભયથી તે અન્ન ન આપતાં ભગવતી (શ. ૮, ઉ. ૯, સૂ. ૩૪૮-૩૫૨) જેવા વિશેષાર્થીને ભલામણ છે. તત્વાર્થરાજ પ્રમાણે બધુના પ્રકાર તત્વાર્થરાજ (પૃ. ૨૩૨-૨૩૩:) તરફ નજર કરતાં જણાય છે કે એ ગ્રંથમાં પણ વૈસિક અને પ્રાયોગિક એમ બન્ધના બે જ પ્રકારે સૂચવાયા છે. વળી ત્યાં પૈસસિક બના સાદિ અને અનાદિ એવા બે અવાંતર પ્રકારે પણ નિર્દેશાયા છે. સિનગ્ધ રૂક્ષ ગુણરૂપ નિમિત્તવાળ અને વિદ્યુત , ઉલ્કા, જલધારા વગેરે વિષયક બન્યા તે સાદિ “સસિક બન્યું છે. અનાદિ સિસિક બન્ધના નવ પ્રકારો છે. જેમકે ધર્માસ્તિકાયબબ્ધ, ધર્માસ્તિકાયદેસબન્ધ, ધર્માસ્તિકાયપ્રદેશ બન્ય તેમજ અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પરત્વે આવા ત્રણ ત્રણ ભેદ. સમગ્ર પદાર્થ ધર્માસ્તિકાય કહેવાય. એને અડધે ભાગ દેશ કહેવાય અને અર્વાર્ધ (ચતુર્થાશ) પ્રદેશ કહેવાય એવી અત્ર વ્યાખ્યા છે તે વિચારણીય જણાય છે. કાલના પરમાણુઓને વિષે પણ નિરંતર પરસ્પર વિલેજનો અભાવ હોવાથી એને બન્ધ પણ અનાદિ છે. જીવના પ્રદેશે સંહાર અને વિસર્ષણશીલ રહેવા છતાં તેમને પરસ્પર વિગ ન થતું હોવાથી તેમને અન્ય અનાદિ છે. ધર્મ, અધમ, કાલ અને આકાશને વિષે પરસ્પર વિયેગને અભાવ હોવાથી એ બધાના બળે પણ અનાદિ છે. વિવિધ જેને પણ ઇતર દ્રવ્યની સાથે અન્ય સામાન્ય રીતે વિચારતાં અનાદિ છે. પુદગલ-દ્રવ્યો પૈકી મહાકંધાદિને બધે પણ સામાન્યતઃ અનાદિ છે. પુરુષના કાયિક, વાચિક અને માનસિક સંગને પ્રવેગ કહેવામાં આવે છે. પ્રોગરૂપ પ્રજનવાળો બન્ય પ્રાયોગિક છે, એના અજીવવિષયક અને જીવાજીવવિષયક એમ બે ભેદે પડે છે. એકલા અજીવ પદાર્થોને જે બંધ તે અવવિષયક પ્રાયોગિક બંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy