SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકાં. १४७ સંપર્શ પૂર્વક રહેલા હોવાથી તેમને દેશ બન્ધ જ છે, નહિ કે સર્વ–બન્ય. તેમ છતાં જે સર્વઅન્ય માનવામાં આવે એક પ્રદેશમાં બીજા પ્રદેશને અંતર્ભાવ થાય અને તેમ થતાં ધર્માસ્તિકાય એક પ્રદેશરૂપ થાય. આ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય માટે પણ સમજી લેવું. આ ત્રણેના અન્ય અનાદિ વિસસા-બન્ધ સર્વકાલીન છે –સમગ્ર કાલ સુધી રહે છે-શાશ્વત છે. પ્રાદેશિક બન્ધના પ્રકારો આપણે ૬ ૧મા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ જીવના પ્રદેશોનો કે દારિકાદિ દેહના પુદગલેન જે બન્ધ થાય છે તે “પ્રાયોગિક ” છે, આના ત્રણ પ્રકારે છે –(૧) અનાદિ અપર્યવસિત ( અનંત), (૨) સાદિ અપર્યવસિત અને (૩) સાદિ સપર્યવસિત (સાન્ત). તેમાં અસંખ્યાત પ્રદેશવાળા જીવના જે આઠ મધ્ય પ્રદેશ છે- રુચક ” પ્રદેશો છે તેને અનાદિ અપર્યવાસિત બધે છે, કેમકે જ્યારે જીવ કેવલિ-સમુદઘાતના સમયે લોકોને વ્યાપીને રહે છે ત્યારે પણ તે તેવી જ સ્થિતિમાં રહે છે, બીજા પ્રદેશમાં તે વિપરિવર્તન થતું રહેવાથી તેને બંધ અનાદિ અપર્યવસિત નથી, કિન્તુ સાદિ સપર્યવસિત છે. તેની સ્થાપના : : આ ચાર પ્રદેશની ઉપર બીજા ચાર પ્રદેશ આવેલા છે એ પ્રકારની છે. એ પ્રમાણે સમુદાયથી આઠ પ્રદેશોને બંધ કહેલ છે. તે આઠ પ્રદેશમાં પણ કોઈ પણ એક પ્રદેશને તેની પાસે રહેલા બે પ્રદેશ અને ઉપર કે નીચે રહેલા એક પ્રદેશ સાથે એમ ત્રણ ત્રણ પ્રદેશ સાથે અનાદિ અપર્યાવસિત બન્ધ છે, એટલે કે કઈ ઉપરના પ્રતાનો એક પ્રદેશ વિક્ષિત હોય તે તેની પારોના બે પ્રદેશ સિવાયને એક પ્રદેશ તેમજ તેની નીચેનો એક પ્રદેશ છોડીને બાકીના નીચેના પ્રતરના બે પ્રદેશો વ્યવહિત હેવાથી તેને સંબંધ સંભવ નથી, એ પ્રમાણે નીચેનાં પ્રતરના પ્રદેશો માટે સમજી લેવું. આ પ્રમાણેની ચૂર્ણિકારની વ્યાખ્યા છે. ટીકાકાની વ્યાખ્યા તે દુર્બોધ્યા હોવાથી અત્ર તેને પરિહાર કરાવે છે એમ શ્રી અભયદેવસૂર ભગવતીની વૃત્તિના ૩૯૮માં પત્રમાં કળે છે. આઠ મધ્ય પ્રદેશેને છેડીને બાકીના પ્રદેશોને બન્ધ સાદિ છે, કેમકે તેમાં પરિવર્તન થાય છે. આ પ્રમાણે પ્રથમ ભંગ (ભાંગ) સમજો અના' સપર્યાવસંત એવો બીજો ભંગ અને લાગુ પડી શકતો નથી, કેમકે ન હિ સંબદ્ધ આઠ જીવ-પ્રદેશમાં પરિવર્તનને અવકાશ નહિ હોવાથી બન્ધની સપર્યાવસિતાની ઉપપતિ શક્ય નથી હવે ત્રીd સાદ અપર્યાવસિત ભંગને વિચાર કરીશું તે જણાશે કે સિદ્ધના જીવ-પ્રદેશનો બન્ધ આ પ્રકારનો છે, કેમકે શેલેશી અવસ્થામાં સ્થાપિત કરેલા પ્રદેશો, સિદ્ધપણામાં પણ તેવાને તેવા જ રહે છે. ચોથા ભંગરૂપ સાદિ સપર્યવસિત બન્ધના ચાર ભેદો છે:-(૧) આલાપન-બધ, (૨) આલીન-બઘ, (૩) શરીર--બન્ધ અને (૪) શરીર પ્રગ–બન્ય. આલાપ' એટલે દેરડું વગેરે. દેરડા વગેરે વડે થત તૃણદિને બ તે “આલાપન-બધ' છે. અર્થાત્ ઘાસના, લાકડાના, પાંદડાંના, પલાયન અને વેલાના ભારાઓને આલાપન-બધ છે. વળી નેતરની વેલ, છાલ, વાધરી, દોરડાં, વેલ, કુશા અને ડાભ આદિથી આલાપન-બન્ધ થાય છે. આ બન્ધને જધન્ય કાલ અંતમુહૂર્તને અને ઉક સંખ્યાત કાલને છે, એક પદાથને બીજા પદાર્થની સાથે લાખ વગેરે દ્વારા જે બન્ધ થાય છે તે “આલીનબબ્ધ છે. આ આલીન-બન્ધના ચાર ભેદે છે –(1) ભલેષ્ણાબધ, (૨) ઉચ્ચય-બન્ય, (૩) સમુચ્ચય-બન્ધ અને (૪) સંહનનબન્ધ શિખરે, કુટ્ટિને ( ફરસબંધીઓને), સ્તને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy