SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ ६७८ અછવ-અધિકાર ( દ્વિતીય વગેરેની માફક તેમજ ગંધના પરમાણુને વિષે વ્યવસ્થિત રૂપની પેઠે જાણવી. સર્વદા એ શબ્દ નામના પર્યાયને પ્રાદુર્ભાવ હેત નથી, કેમકે પિત્તાદિના પ્રકોપની પેઠે એ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષા રાખે છે. ભેરી વગેરે આશ્રય દ્વારા નિસરતા કંધો શબ્દ-પર્યાયને ત્યાગ કર્યા વિનાના હોઈ અન્ય દિશામાં રહેલા શ્રેતાઓને પણ ગ્રાહા બને છે તેમાં નવાઈ જેવું નથી. પિતાને ઘાત થતું હોવાથી શબ્દ-પરિણામ અન્યત્ર જણાતો નથી કિન્ત તથાવિધ આકારવાળા પરમાણુ એને વિષે જ તેની અવસ્થિતિ છે. વળી આધ્યાત્મિક શબ્દ તે કાય-ગ વડે ગ્રહણ કરાયેલા શબ્દ-વર્ગણાને યોગ્ય એ રકંધને જે પરિણામ તે વચન-ગ છે. અને વળી તે પણ પ્રગ દ્વારા ફેંકાયેલો રૂપાદિવાળે પુદ્ગલ-સંઘાત જ છે, જ્યારે બાહ્ય શબ્દ તે અનેક પ્રકારને છે અને તેની ઉત્પત્તિ સંઘર્ષ વગેરેને આભારી છે. વળી શબ્દને નિત્ય માનનારા વૈશેષિક જો એમ કહે કે શબ્દત્વની પિઠે શબ્દ નિત્ય છે, કેમકે તેમાં શ્રાવણતા રહેલી છે અને કૃતકત્વ તો અનિત્યત્વની સાથે વ્યાપ્ત છે, માટે વિરુદ્ધાવ્યભિચારિત્વ બરાબર છે તો એ કથન પણ ઠીક નથી, કેમકે નિત્ય તેમજ અનિત્ય એમ બને સ્વભાવવાળા સર્વ પદાર્થો છે એમ માનનારાને કશો વાંધો નથી. વળી અનેકાન્તવાદીના મતમાં નિત્યતા અને અનિત્યતા આશ્રીને વિરોધ નથી, કેમકે ત્યાં વિરોધનું સ્વરૂપ ઘટતું જ નથી. વિશેષમાં વિરોધ બે જાતને છે–(૧) વધ્યઘાતકસ્વરૂપી અને (૨) અસહાવસ્થાનરૂપી. તેમાં સાપ અને નેળિય, અગ્નિ અને જળ ઇત્યાદિને એક કાલમાં સંગ થતાં દ્વિત્વની પેઠે અનેક આશ્રયરૂપ હોવાથી જે વિરોધ થાય છે તે પ્રથમ પ્રકારને છે. સંગ થયા વિના જળ અગ્નિને શાંત કરી શકતું નથી. છતાં જો તેમ માનીએ તે ત્રિલોકમાં અગ્નિના અભાવને પ્રસંગ ખડો થશે. સંયોગરૂપે ક્ષણ માત્ર અવસ્થિતિ હોવાથી પાછળથી એકના કરતાં બીજામાં બળ વિશેષ હોય છે. આ પ્રમાણેની નિત્યતા અને અનિત્યતાની એક ક્ષણ માટે પણ એકને વિષે વૃત્તિ છે એમ અનેકાંતવાદીઓ સ્વીકારતા નથી. વાસ્તુ વધ્યઘાતકરૂપ વિરોધ માટે અવકાશ નથી. અસહાવસ્થાનરૂપ વિરેાધ પણ નથી. ઠંડા અને ઉનાને ફળને વિષે અને વૃન્તના સંગ અને વિભાગને કેરીને વિષે શ્યામતા અને પીતતાને એક વસ્તુમાં એકકાલીન વૃત્તિ નથી, કિન્તુ એકનું પૂર્વે અરિતત્વ છે, જ્યારે બીજાને ઉત્પન્ન થવારૂપ સ્વભાવ છે એટલે એ ઉત્પન થઈ પૂર્વને અવરોધ કરે છે. દાખલા તરીકે કેરીની પીળાશ એની કાળાશને વિરોધ કરે છે. આવી હકીકત નિત્યતા અને અનિત્યતાને લાગુ પડતી નથી, કેમકે પૂર્વકાલીન નિત્યતાને ઉત્પન્ન થતી અનિત્યતા વડે નાશ કરાય છે એમ માનવા જતાં તે નિત્યતા જેવી ચીજ રહેશે જ નહિ, કેમકે તેમાં અધુવતા આવતી હોવાથી તે અધ્રુવ છે. વળી પ્રતિબધ્ધ પ્રતિબંધકરૂપ વિરોધ માટે પણ અનેકાન્તવાદમાં સ્થાન નથી; કેમકે એક આત્મદ્રવ્યમાં એક વખતે ધર્મ અને અધમ બંને સંભવે છે. આમાં એકની ગીતા અને બીજાની પ્રધાનતા માનવા અનેકાંતવાદી તૈયાર છે, કેમકે દ્રવ્ય અને પર્યાયમાં એક બીજાની ગણતા અને પ્રધાનતા રહેલી જ છે. વળી વૈશેષિકને પણ કાલમાં અને દ્રવ્યમાં ધર્મ અને અધર્મ સ્વીકારવા જ પડે તેમ છે; નહિ તે પ્રતિબધ્ધ પ્રતિબંધક ભાવ જ નહિ સંભવે. આથી નિત્યતા અને અનિત્યતા વચ્ચે વિધિ હોય તો તે કેવળ વાણ પૂરત છે વળી વિશેષ વ્યક્તિ) સામાન્યથી અત્યન્ન ભિન્ન છે એ જૈન મત નથી. એથી કરીને નાદની વૃદ્ધિ પર છે એ કથનનું નિરસન થાય છે. નાદ મેટે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy