SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ 1 આહત દર્શન દીપિકા. ૬૩૭ વ્યંજકને ભેદ હોવા છતાં પણ તેટલે જ ઘટક છે. શબ્દને વિષે તે અ૫, મધ્ય વગેરે ભેદ જોવાય છે. જેમકે ભેરી વગેરેના સંયોગથી શબ્દની નિષ્પત્તિને, વેણુ, પર્વ વિભાગથી તેમજ શબદથી પણ શબ્દની નિષ્પત્તિને કલેજોની શ્રેણિની પેઠે સંભવ છે, વાસ્તે પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ સ્પર્શવાળાં દ્રવ્યોને પણ આ કંઈ ગુણ નથી, કેમકે અકારણ ગુણનું પૂર્વાપણું હોવાથી જેમ શુચિ (ત) શંખમાં કારણ ગુણ પૂર્વ ધવલ રૂપ જોવાય છે અને તે નાશ પામતાં પણ તે પ્રકારનું રૂપ કકડાઓમાં જણાય છે તેમ ભેરી વગેરેના શબ્દો ભેરી વગેરેને વિનાશ થતાં તેના અવયને વિષે જણાતા નથી. તેથી કરીને શબ્દ એ કારણ ગુણ પૂર્વક નથી. વળી જે સ્પર્શવાળા પદાર્થને ગુણ શબ્દ હોય તો જ્યાં સુધી તે સ્પર્શવાળાં દ્રવ્યો છે ત્યાં સુધી રૂપ વગેરેની માફક તે પહે જોઈએ, પરંતુ તે ઉપલબ્ધ થતું નથી, તેથી કરીને અયાવત્ દ્રવ્યભાવિતાને લઈને શબ્દ એ પૃથ્વી વગેરેનો ગણ નથી. આશ્રય સિવાય અન્ય સ્થળમાં ઉપલબ્ધિ હોવાને લીધે શબ્દ એ સ્પર્શવાળાં દ્રવ્યનો ગુણ નથી. શંખ અને વદનને સંયોગ જયાં છે ત્યાંથી અન્ય દિશામાં રહેલા શ્રોતાઓને શબ્દ ઉપલબ્ધ થાય છે. રૂપ જેવા સ્પર્શવદ્ ગુણે તે આશ્રયથી અન્યત્ર ઉપલબ્ધ નથી, વાતે શબ્દ એ સ્પર્શવાળાં દ્રવ્ય ગુણ નથી. વળી બાહ્ય ઈન્દ્રિય દ્વારા પ્રત્યક્ષ અનુભવાતે હેવાથી - એ આત્મા, મન, દિશા કે કાલને પણ ગુણ નથી એટલે કે પારિશેષ્ય અનુમાનથી એ આકાશને ગુણ સિદ્ધ થાય છે. અર્થાત્ અનુપલભ્યમાન આકાશનું એ લિંગ છે. આ પ્રમાણે વૈશેષિકને પૂર્વ પક્ષ કેવળ તેની વાચાલતાના પ્રદશનરૂપ છે, તેમાં કશું તત્ત્વ નથી એમ જૈનો માને છે, કેમકે શબ્દ મૂત છે એ વાત તે યુક્તિઓ દ્વારા આપણે જોઈ ગયા છીએ. આથી મૂર્ત શબ્દએ અમૂર્ત આકાશને ગુણ કેવી રીતે ઘટી શકે? કેમકે રૂપ વગેરે આકાશના ગુણે છે એ વ્યવહાર કઈ પણ રીતે શોભાસ્પદ નથી, કિન્તુ પુગલોને જ તેવા પ્રકારને પરિણામ શબ્દ નામથી ઓળખાવાય છે એટલે એકદ્રવ્યવર્ઘને અભાવ છે. પરિણામ અને પરિણામીને અભિન્ન માનતાં શબ્દ દ્રવ્યરૂપ બને છે અને બે ભિન્ન માનતાં શબ્દ ગુણરૂપ ઠરે છે. આથી કરીને એકાતિક અનિત્યતાને પક્ષ ઊી જાય છે, કેમકે સમગ્ર પદાર્થો દ્રવ્ય અને પર્યાય એમ ઉભય સ્વરૂપવાળાં છે, આ પ્રમાણે વિચારતાં તે શબ્દ એ કેઈક રૂપે આકાશને પણ ગુણ મનાય એમ જે કહેવાય તે વિવક્ષા અનુસાર તેમ માનવામાં અનેકાંતવાદીને કશી અડચણ નથી. દ્રવ્યના કેવળ પરિણામરૂપ હોવાથી કમની અચાક્ષુષ પ્રત્યક્ષતા પણ અસિદ્ધ છે. જો કેઈક પ્રકારે શબ્દને ક્ષણિક ગણવામાં આવે તે તે સિદ્ધસાધ્યતા છે. બધી રીતે શબ્દને ક્ષણિક સ્વીકારીએ તો દષ્ટાંતનો અભાવ છે. વળી એનું સરવે પણ કંઈક પુગલરૂપાદિ આકારથી છે એટલે સર્વને વિષે લિંગને અભાવ છે એ હકીકત અસંબદ્ધ છે. કારણરૂપ સામગ્રી વડે અન્ય આકારનું અવસ્થાન થાય છે. એથી ઊભા રહેલા, બેઠેલા કે સુતેલા પુરુષની પેઠે અભૂત આત્મલાભ અસિદ્ધ છે અર્થાત્ સર્વથા અસત્ સ્વરૂપમાં આત્મ-લાભને પ્રાયઃ અસંભવ જાણ. શબ્દના પર્યાયરૂપ એને આવિર્ભાવ છે એમ કહેવું નિરર્થક છે, કેમકે એ તો આપણે કેટલી વાર કહી ગયા છીએ કે વસ્તુ કેવળ પર્યાયરૂપ નથી, પરંતુ દ્રવ્ય તેમજ પર્યાય એમ બંને સ્વરૂપવાળી છે. વળી અભિવ્યક્તિને અંગે જે દૂષણે ઉદભવે છે તે એકાંત પક્ષમાં સંભવે છે, નહિ કે નિત્યાનિત્યરૂપ અનેકાના પક્ષમાં, દંડ વગેરે મારવાથી ઉત્પન્ન થયેલા ભેરી વગેરે પુદગલ શબ્દ, રૂપ વગેરેથી યુક્ત હોવા છતાં પણ સૂમ હોવાને લીધે કારણગુણપૂર્વક હેવા છતાં જણાતા નથી. આવી હકીકત ઓલવાઈ ગયેલા દીપકની શિખાના રૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy