SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ અજીવ-અધિકાર. ( દિતીય નથી પણ આપણે તેને અભાવ માનતા નથી તે તે જ પ્રમાણે શબ્દની બાબતમાં સમજવામાં વાંધા જેવું દેખાતું નથી. વળી પરમાણમાં રૂપાદિ ગુણોને સદ્ભાવ હોવા છતાં પણ તેમાં રૂપ જોવામાં આવતું નથી તેથી તેને અભાવ હોવો જોઈએ એમ માનવું જેમ ન્યાયવિરૂદ્ધ છે, તેવી જ રીતે શબ્દમાં સૂક્ષમતા હોવાને લીધે તેનામાં રૂપ દષ્ટિગોચર ન થાય તે તેનામાં રૂપને અભાવ છે એમ માનવું ભૂલ ભરેલું છે. શબ્દના સ્વરૂપ સંબંધી વિવિધ માન્યતાઓ– કેટલાક શબ્દને પ્રધાન (પ્રકૃતિ)ને વિકાર માને છે, પરંતુ તે સમુચિત નથી; કેમકે પ્રધાનનું અસ્તિત્વ જ સિદ્ધ નથી. કારણ કે આ સંબંધમાં તેમણે માનેલ આગમ સિવાય અન્ય કેઈ પ્રમાણ નથી અને એ આગમ તે વિવાદગ્રસ્ત છે. છતાં પણ “સુણત ગુર્જનઃ” એ ન્યાય અનુસાર સમાધાનાંતર સૂચવવામાં આવે છે. જેમકે જ્યારે પ્રધાન નિત્ય, નિરવયવ અને નિષ્ક્રિય છે તે પછી અનિત્યાદિ સ્વરૂપે એનું પરિણમન કેમ સંભવે ? અત્ર કેઈ આના બચાવ તરીકે એમ કહે કે પ્રધાનના વિકારરૂપ વિજ્ઞાન સક્રિય જોવાય છે અને જે વસ્તુ પ્રત્યક્ષસિદ્ધ હોય તેને અપલાપ શક્ય નથી તે આ કથન પરત્વે એટલું જ નિવેદન કરવાનું બાકી રહે છે કે વિજ્ઞાન પ્રકૃતિને ધર્મ જ સિદ્ધ થઈ શકતો નથી-એ વિજ્ઞાન કંઈ પ્રધાનના વિકારરૂપ નથી. વળી સર્વ પ્રધાનપણે જ્ઞાનરૂપે પરિણમતું નથી, કેમકે તે જડ વસ્તુના ગુણરૂપ છે, જેમકે અંધકાર. બાકી એ સક્રિય છે એ વાત સાચી છે. વળી ચૈતન્ય અને વિજ્ઞાન વચ્ચે કથંચિત્ અભેદ માનવામાં આવે તે કંઈ હરકત જેવું નથી. કેમકે તારે જ્ઞાનતે ગુગતે ઈત્યાદિ પ્રયોગ પણ નજરે પડે છે એટલે તેમણે કહેલી ઉપલી હકીકત યુક્તિ-યુક્ત નથી. વિશેષમાં આ ચૈતન્ય આત્માને વિજ્ઞાનરૂપ સ્વભાવ છે. વળી મૂર્તિ વગેરે ધર્મોથી રહિત હોવાને લીધે મુક્ત આત્માની પેઠે અને કપેલા આત્મા અને અંતઃકરણની પ્રતિબિંબના ઉદયની કારણુતા પણ સંભવી શકતી નથી." શબ્દ સંબંધી વૈશેષિક મત અને તેનું નિરસન– વૈશેષિક મત પ્રમાણે શબ્દ, સંખ્યા, પરિમાણ, પૃથકૃત્વ, સવેગ અને વિભાગ એ ગુણ છે અને તેમાં પણ વળી શબ્દ એ ખાસ આકાશને ગુણ , કેમકે શબ્દમાં એકદ્રવ્યવત્તા છે. એક આશ્રય દ્રવ્ય વડે દ્રવ્યવત્તા તે “એકદ્રવ્યવત્તા કહેવાય છે અથવા તે એક દ્રવ્ય જેને આશ્રય છે તે “એક-યવત્ ” કહેવાય છે અને તેને ભાવ “એકદ્રવ્યવત્તા ” છે. આ પ્રમાણેની શબ્દમાં એકદ્રવ્યવત્તા હેવાથી એ દ્રવ્ય નથી. વળી એ અચાક્ષુષ પ્રત્યક્ષ હોવાથી અર્થાત્ એ આંખ વડે જોઈ શકાતો ન હોવાથી એ કર્મ (કિયા ) પણ નથી. આથી કરીને એ ગુણ છે, કેમકે વૈશેષિક દર્શન પ્રમાણે કઈ પણ વસ્તુને સમાવેશ દ્રવ્ય, ગુણ કે કર્મમાં થે જ જોઈએ. વળી આ શબ્દ નિત્ય નથી પણ ક્ષણિક છે, કેમકે પહેલાં ઊંચે ઉચ્ચારણ કરાય છે; સત્ત્વની હૈયાતીમાં લિંગનો અભાવ છે, કારણુ-સામગ્રીની પહેલાં સ્વરૂપને લાભ હતો નહિ પરંતુ પછીથી સ્વરૂપને લાભ થાય છે તેમજ શબ્દના અભિવ્યંજક વસ્તુને પણ અભાવ છે. એનું કારણ એ છે કે અભિવ્યંજક હોય ત્યારે કારણુજન્ય વિકાર ન થાય, કેમકે પ્રદીપાદિ દિવ્ય મણિ વગેરે સ્વરૂપી વ્યંજકની સંનિધિમાં ઘટના પરિમાણુનું અનુવિધાન અર્થાત કાર્ય જોવામાં આવતું નથી. અભિ- ૧ જુઓ તરાર્થની. બૃહદ્ વૃત્તિ ( ૩૪૦ ૩૪૧ ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy