SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ 1 આર્હુત દશ ન દીપિકોડ ૬૩૫ કે યુક્તિ રહિત પણ છે, કેમકે શ્રેણિ અનુસાર ગતિ કરવાના સ્વભાવવાળા પુદ્ગલા શું એક જ દિશામાં ગતિ કરે ? વક્તાના મુખ, તાલુ વગેરેના પ્રયત્નથી આ પ્રમાણે ગતિ થાય છે એમ કહેવુ નિરંક છે, કારણ કે કોઇ વેળા વક્તા વિશ્રેણિ સંમુખ રહીને વિશ્રેણિ તરફ ભાષાના પુદ્ગલેને પ્રેરે તે તેથી વિદિશામાં પણ એ પુદ્ગલા જાય. વળી એમ થતાં પહ વગેરેના શબ્દ-પુદ્ગલે માટે ચાર સમયના નિયમ પણ સચવાઇ નહિ રહે, કેમકે એવા પુદ્દગલે વક્તાના પ્રયત્નથી નિરપેક્ષ હાવાથી ગમે તેમ ગતિ કરે, આ પ્રમાણેની હકીકત વિશેષા॰ ( ગા, ૩૫ ) તેમજ તેની વૃત્તિને આધારે અત્ર આપવામાં આવી છે. શબ્દનુ પાલિક~ શબ્દ એ પુદ્ગલ દ્રવ્યના પરિણામ છે. એના આ પરિણામ એની ભૂતતાને આભારી છે. મૂત્ત શબ્દના બે અર્થાં થાય છેઃ-(૧) અસ`ગત પરિમાણુથી સહિત અને (૨) રૂપાદિથી યુક્ત. આપણે અત્ર મૂત્તે શબ્દથી રૂપાદિથી યુક્ત સમજવાનું છે. અર્થાત્ આપણે એમ સાત્રીત કરીશુ' કે શબ્દ મૂત્ત છે. જેમ પીંપળ વિગેરે વસ્તુએ દ્રવ્યાન્તરના વૈકારિક સંચેગથી વિકૃત માલુમ પડે છે, તેમ શબ્દ પણ કઠ, મસ્તક, જીભ, દાંત, તાળવુ, હા ઇત્યાદિ દ્રવ્યાન્તરના વિકારથી વિકૃત થત દેખાય છે; તેથી શબ્દ પણ પીંપળની માફક મૂત્ત સિદ્ધ થાય છે. વળી જ્યારે ઢાલ, નગારાં, તબલાં, તાસાં વગેરે વગાડવામાં આવે છે ત્યારે નીચેની ભૂમિમાં કપ થાય છે, આનું કારણ બીજું કંઇ જ નહિ, પરંતુ શબ્દમાં રહેલી મૂર્ત્તતા છે. વિશેષ શંખ વગેરેના પ્રચર્ડ શબ્દો કાનને બહેરા કરી શકે છે. આવુ સામર્થ્ય અદ્ભૂત આકાશમાં નથી. વળી ફૂંક્યા પછી કાઈક સ્થળે અથડાતાં જેમ પત્થર પાછા પડે છે તેમ શબ્દ પણુ પાછે। પડે છે એટલે એ ભૂત છે, અર્થાત્ જેમ પર્યંત સાથે અથડાયેલા પત્થર અભિધાત-પ્રતિઘાતને પામે છે, તેમ શબ્દ પણુ અભિઘાત-પ્રતિઘાતને પામતા હેાવાથી પત્થરની માફક એ મૂત્ત હાવા જોઇએ. વિશેષમાં શબ્દના પડઘા પણ પડે છે. વળી શબ્દ આતપ (તડકા)ની પેઠે જયાં ત્યાં જઇ શકે છે. અગરના ધૂપની પેઠે એ ફ્લાઇ જઈ શકે છે, તણખલાં અને પાંદડાંની જેમ વાયુ એને પ્રેરણા કરી શકે છે. દીવાની જેમ એ સ દિશામાં પ્રસરી જાય તેવા છે. તેમજ જેમ સૂર્યંની હાજરીમાં તારાઓના પ્રકાશ દબાઈ જાય છે તેમ બીજા મેોટા શબ્દો આગળ નાના શબ્દો દુખાઇ જાય છે. આથો શબ્દ એ પુદ્ગલના પરિણામ છે એમ ફલિત થાય છે અને શબ્દ એ આકાશના ગુણુ છે અને આકાશનું એ જ લિંગ (નિશાની) છે એવી વૈશેષિક દર્શનની માન્યતા અસંગત ઠરે છે, શબ્દમાં રૂપાદિનુ અસ્તિત્વ શબ્દ એ પુદ્ગલ છે એમ આપણે સિદ્ધ કરી ગયા તા શબ્દમાં રૂપ, રસ, ગન્ધુ અને સ્પર્શ એ ચારે હાવાં જોઇએ. શંખના કટકામાં જેમ રૂપ માલૂમ પડે છે, તેમ શબ્દ જે રૂપી હાય તા તેમાં રૂપ દેખાવું જોઇએ અને તે દેખાતું તે નથી, વારતે તે રૂપી નથી એવી શંકા કોઇને થાય તેા તેનું સમાધાન એ છે કે બૂઝાઇ ગયેલા દીપકની શિખામાં રૂપ વિદ્યમાન છે, છતાં તે દેખાતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy