________________
૩૪ અછવ-અધિકાર
( દ્વિતીય કેમકે સૂત્રની પ્રવૃત્તિ વિચિત્ર પ્રકારની છે કઈ વાર સૂત્રમાં આંશિક ગ્રહણ હોય છે અને કઈ વાર સંપૂર્ણ વળી કેઈ વેળા કારણવશાત્ કમ રહિત સૂત્રોની ચેજના હોય છે તે કોઈક વેળા કમ સહિત. ચાર સમયની લોક વ્યાતિના સંબંધમાં મતાંતર
ચાર સમયની લોક-વ્યાપ્તિ વિષે એ મતાંતર છે કે કેવલિ-સમુદઘાતના કમથી એટલે કે પહેલા સમયમાં દંડ, બીજામાં કપાટ, ત્રીજામાં મંથાન અને ચોથા સમયમાં સમગ્ર લેક વ્યાપ્ત થાય છે. શબ્દ-દ્રવ્ય માટે આ અયુક્ત છે એમ જણાવતાં ભાગકાર કર્થ છે કે આમ માનવાથી તે સર્વ દિશાઓમાં મિશ્ર શબ્દ સંભળાય નહિ. કારણ કે કેવલિ-સમદઘાતમાં પ્રથમ સમયે ઊંચે અને નીચે દંડ થાય છે. આ દંડ ભાષા-દ્રવ્ય પરત્વે માનતાં ઊંચે અને નીચે જ મિશ્ર શબ્દ સંભળાય, કિન્તુ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એ ચાર દિશાઓમાં ન સંભળાય; કેમકે એ દિશાએમાં, વિદિશાની માફક વક્તાએ મૂકેલ દ્રવ્યે જતાં નથી, કિન્ત પરાઘાતથી વાસિત દ્રવ્ય જ સંત ળાય છે. આથી ભાષાસમશ્રેણિથી જે શબ્દ સંભળાય તે મિશ્ર હોય એ કથન સાથે વિરેજ આવે છે. આમ છતાં પણ વિવાદની ખાતર આ વાત રવીકારી લઈએ તે પણ એથી ચાર સમયમાં લેક-વ્યાપ્તિ ન થતાં ત્રણ સમયમાં થાય છે એમ રવીકારવું પડશે, કેમકે ભાષા-દ્રવ્યમાં વાસનારૂપ સ્વભાવ હોવાથી તે દંડ ઉપર નીચે જતાં સામાન્યથી ચારે દિશામાં શ ગ્ય દ્રવ્યને વાસિત કરીને શબ્દ-પરિણામવાળાં કરે છે અને ત્યાર પછી બીજે સમયે મંથાન કરીને ત્રીજા સમયમાં અંતર પૂર્ણ કરીને લેક પૂર્ણ કરે છે.
કેવલિ સમુદ્રઘાત કરનારા સર્વજ્ઞ તે ભોપગ્રાહી ચાને અઘાતી કર્મના વશથી કે સ્વભાવથી જ બીજા સમયે મંથાનને બદલે કપાટ કરે છે. આ કેવલિ–સમુદઘાતમાં આત્મ-પ્રદેશ જ સ્વરૂપે લેકને પૂર્ણ કરે છે, પરંતુ તેમાં કેઈને પરાઘાત કે વાસના નથી. એથી જ બીજા સમયે મંથાન ન થતાં કપાટ જ થાય છે. વળી કેવલિ-સમુદઘાત એ તે જીવને વ્યાપાર છે. અચિત્ત મહાત્કંધ જીવના વ્યાપારનું પરિણામ નથી તે પણ તેને ઉદ્દેશીને બીજે સમયે જે કપાટ ઉલ્લેખ કરાય છે તેનું કારણ એ છે કે એ દ્રવ્યમાં ભાષા–દ્રવ્યોની પેઠે પરાઘાતરૂપ સ્વભાવ નથી. એટલે અન્ય દ્રવ્યમાં સ્વપરિણામ ઉત્પન્ન કરવાને તેઓ સમર્થ નથી, પરંતુ પોતાના પુદગલે વડે જ લેકને પૂર્ણ કરે છે. જે એમાં પરાઘાતરૂપ સ્વભાવ હતો તે આ અચિત્ત મહારકંધ પણ ત્રણ સમયમાં (નહિ કે ચાર સમામાં) લેકને પૂર્ણ કરત.
કેટલાકની એવી માન્યતા છે કે ભાષા-દ્રવ્યને પ્રથમ સમયમાં ઊર્ધ્વ દિશામાં દંડ થાય છે, બીજા સમયમાં ત્યાં જ મંથાન થાય છે અને અદિશામાં દંડ થાય છે, ત્રીજા સમયમાં ઊર્ધ્વ દિશાના મંથાનનાં અંતર પૂરે છે અને અદિશામાં મંથાન થાય છે અને પછી ચોથા સમયમાં અદિશાના મંથાનનાં અંતર પુરાતાં સમસ્ત લેક ભાષા-દ્રવ્યથી વ્યાપ્ત બને છે. આવી હકીકત આગમમાં કઈ પણ સ્થળે જોવા જાણવામાં નથી એટલે એ આગમવિરુદ્ધ જણાય છે. વળી એ
૧ આ કારણથી જ અચિત્ત મહાત્કંધની અને શબ્દ-પુગલોની ત્રિસામયિક વ્યાપ્તિમાં વિષમતા રહેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org