________________
ઉલ્લાસ 1
આહંત દર્શન દીપિ. બાદ બીજા સમયમાં આ દંડમાંથી ઉપર નીચે ચૌદ રજા લાંબે અને પૂર્વ પશ્ચિમ તિ એક રજજુની પહોળાઈવાળે પરાઘાતથી વાસિત દ્રવ્યને દંડ થાય છે. અને લેકના મધ્યમાં રહી બેલનારાનાં ભાષા-દ્રવ્યના દક્ષિણ અને ઉત્તર દિશામાં પરાઘાતથી વાસિત દ્રવ્યના ચાર અંગુ લાદિ જેટલા જાડા અને એક રજજુ પહેળા એવા બે દંડે નીકળીને “ સ્વયંભૂરમણ” સમુદ્રના દક્ષિણ ઉત્તરવત લેકાન્ત સુધી જાય છે. આમ હોવાથી ચાર અંગુલાદિ જાડું અને એક રજજુ જેટલું પહેલું એવું સર્વત્ર લેકના મધ્યમાં ગેળ છત્પર થાય છે. આ પ્રમાણે થયા પછી ત્રીજા સમયે ઊંચે નીચે રહેલા દંકમાંથી ચારે દિશામાં ફેલાયેલો પરાઘાતથી વાસિત દ્રવ્યેન સમુદાય મંથાનરૂપે પરિણમે છે અને લોકના મધ્યમાં રહેલા, દરેક બાજુએ એક રજજુ જેટલા ફેલાયેલા છત્વરથી ઉપર નીચે ફેલાયેલો વાસિત દ્રવ્યને સમૂહ સમગ્ર ત્રસ–નાને પૂરી દે છે. આમ થતાં ઉપર નીચે રહેલ દંડ અને મંથાન ભાવે સંપૂર્ણ ત્રસ–ના પૂરાય છે. આટલું ક્ષેત્ર એ લેકને સંખ્યાતમો ભાગ છે અને તેથી કરીને ચાર સમયની વ્યાપ્તિના ત્રીજા સમયમાં લે, કના સંખ્યામાં ભાગે સર્વક વ્યાપિની ભાષાને પણ સંખ્યાત ભાગ હોય છે એમ ફલિત થાય છે. ચોથા સમયમાં મંથાનનાં આંતરાં પૂરાતાં ભાષા-દ્રવ્ય સર્વ લેકમાં વ્યાપે છે.
ત્રણ-નાની બહાર કઈ પણ વિદિશામાં રહીને બોલનારાના ભાષા-દ્રવ્યથી સંપૂર્ણ લેક પૂરાતાં પાંચ સમય વ્યતીત થાય. પ્રથમ સમયમાં વિદિશામાંથી નીકળેલાં ભાષા–દ્રવ્યો લેકનાડી યાને ત્રાસ-નાની બહાર દિશાઓમાં આવે, અને બીજા સમયમાં લેક-નાડીમાં પ્રવેશ કરે. બાકીના ત્રણ સમયને લગતી હકીકત ચાર સમયની વ્યાપ્તિ અનુસાર ઘટાવી લેવી.
ત્રીજા સમયમાં લેકના સંખ્યાતમા ભાગે ભાષાને સંખ્યામાં ભાગ હોય છે, કેમકે આ પાંચ સમયની વ્યાતિમાં દંડ-સમયથી તેને અસયેય ભાગ હેવાપણું કહેલું છે. જેથી સમયમાં લેકના સંખ્યામાં ભાગે ભાષાને સંધ્યાત ભાગ હોય છે અને પાંચમા સમયમાં તે મંથાનનાં આંતરાઓ પૂરાતાં ભાષા-દ્રવ્ય સર્વ લેકમાં વ્યાપી જાય છે. નિર્યુક્તિકારના કથનની સંગતિ–
આ પ્રમાણે ભાષા-દ્રવ્ય દ્વારા લોક-વ્યાપ્તિને વિચાર પૂર્ણ થયેલે ગણીએ તે પૂર્વે એ સંબંધમાં કેટલીક શંકાઓ અને તેનાં સમાધાનો રજુ કરવા આવશ્યક સમજાય છે. નિયુક્તિમાં માત્ર ચાર સમયે જ સમગ્ર લેક ભાષા-વ્યથી પૂર્ણ થાય છે એમ કહ્યું છે, જ્યારે આપણે તે ત્રણ અને પાંચ સમયની પણ વાત કરી ગયા તે શું તે અનુચિત નથી ? આને ઉત્તર એ છે કે જેમ ત્રાજવાની દાંતને વચમાંથી પકડતાં તેના આદ્ય અને અન્તિમ બંને છેડાનું ગ્રહણ થઈ જાય છે તેમ પ્રસ્તુતમાં પણ ચાર સમયરૂપ મધ્યનું ઘડણ કરવાથી એના આધવત ત્રણ સમયનું અને અંતવત પાંચ સમયનું પણ ગ્રહણ નિયુક્તિકારે કર્યું જ છે એમ સમજવું,
૧ વિશેષાની ટીકાના ૨૨૩મા પત્રમાં આ શબ્દ વપરાય છે, પરંતુ તેનો અર્થ ધ્યાનમાં આવતો નથી.
૨ આનું બીજું નામ “ ત્રસ નાડી” છે..
૩ ચાર સમયને વિગ્રહ હોવા છતાં ભગવતીના “મહાબંધ' ઉદેશકમાં ૧ણુ સમયનો વિગ્રહ કહ્યો છે એ હકીકત અત્ર ઉદાહરણરૂપે વિચારી લેવી.
80
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org