SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૨ અછવ-અધિકાર. [ દ્વિતીય કે તે અભિન્ન ભાષા-દ્રવ્ય મૂકે છે, જ્યારે કેઈ ની રેગી તીવ્ર પ્રયત્નવાળ વક્તા ગ્રહણ અને ત્યાગના પ્રયત્ન વડે ભાષા–દ્રવ્યને ભેદીને–તેના સૂકમ ટુકડા કરીને મૂકે છે. અભિન્ન ભાષાઅસંખ્યાત અવગાહના-વર્ગણું પર્યત જઈને ભેદાય છે અને સંખ્યાત જન ગયા પછી એ દ્રવ્યોમાંથી ભાષા-પરિણામ નાશ પામે છે એથી આ દ્રવ્યો લેકાંતને સ્પર્શી શકતાં નથી. ભિન્ન દ્રવ્ય સૂક્ષમ અને ઘણાં હોવાથી અનંતગુણી વૃદ્ધિ પામીને લેકાંતને સ્પર્શે છે.-છએ દિશાઓમાં લેકાંત પર્યત જાય છે અને પરાઘાત દ્વારા વાસના-વિશેષથી જે દ્રવ્યમાં ભાષા-પરિણામ ઉત્પન્ન થયો હોય તેવી ભાષા વડે અવશિષ્ટ સંપૂર્ણ લેકને પૂર્ણ કરે છે. આ ઉપરથી એ હકીકત પણ ફલિત થાય છે કે મન્દ પ્રયત્નવાળ વક્તાએ મૂકેલાં દ્રવ્ય તે લોકના અસંખ્યાતમા ભાગે જ હોય છે, કેમકે દંડાદિના ક્રમપૂર્વક એ દ્રવ્ય વડે લેક પૂરાતે નથી. લેક પૂરવાને માટે તે મહાતીવ્ર પ્રયત્નની અપેક્ષા રહેલી છે. ભલે પછી તે કાર્ય ત્રણ સમયમાં થાય, ચાર સમયમાં કે પાંચ સમયમાં થાય, કેટલાકનું કહેવું એમ છે કે ત્રણ સમયમાં સમગ્ર લેક ભાષા-દ્રવ્યથી પૂરાય છે. જેમકે લકના મધ્ય ભાગમાં રહેલા કેઈ મહાપ્રયત્નવાન વક્તાએ મૂકેલાં ભાષા-દ્રવ્યો પ્રથમ સમયમાં જ છએ દિશામાં જાય છે-છ દંડરૂપ થઈ રહે છે, કેમકે જીવ અને સૂક્ષ્મ પુદ્ગલની ગતિ શ્રેણિને અનુસાર હોય છે. છએ દિશામાં ગયેલા દંડરૂપ દ્રવ્યો બીજા સમયમાં ચારે દિશામાં શ્રેણિ અનુસાર વાસિત દ્રાથી ફેલાઈને છ મંથાનરૂપ થાય છે. આ દંડ અને મંથાન જેકે લંબાઈમાં તો લેકાંતસ્પર્શી હોય છે તે પણ વક્તાના મુખમાંથી નીકળેલ હોવાથી જાડાઈમાં ચાર અંગુલાદિ પ્રમાણવાળા હોય છે. આ પ્રમાણે એ લેકના અસંખ્યાતમા ભાગે જ છે. એથી એમ બેધડક કહી શકાય છે કે ચાદ રજજુ જેટલા ઊંચા લોકના અસંખ્યાતમા ભાગે પહેલા અને બીજા સમયે લેક-વ્યાપિની ભાષાને અસંખ્યાત ભાગ જ હોય છે પરંતુ એથી વિશેષ હેત નથી, ત્રીજા સમયે મન્થાનનાં - આંતરાં પૂરાવાથી સર્વ લેક ભાષા-દ્રવ્યથી પૂર્ણ થાય છે. સ્વયંભૂરમણ” સમુદ્રના છેલ્લા છેડાવાળા કાન્તથી એટલે કે અલોકની અત્યંત નજીક રહીને બેલનારાના અથવા “ત્રસ-નાની બહાર ચાર દિશામાંથી કઈ પણ દિશામાં રહીને બેલનારાના ભાષા-દ્રવ્યથી ચાર સમયમાં સમગ્ર લેક પૂર્ણ થાય છે. જેમકે “સ્વયંભૂરમણ” સમુદ્રના પશ્ચિમતટ આગળના લોકાન્તમાં રહીને અથવા “ બસના ની બહાર પશ્ચિમ દિશામાં રહીને બોલનારાનાં ભાષા--ળે પ્રથમ સમયમાં ચાર અંગુલાદિ જાડાઈવાળો અને એક રજજુ લાંબા દંડરૂપ થઈ તિઓં “ સ્વયંભૂરમણ” સમુદ્રના પૂર્વ તટવર્ત કાન્ત સુધી જાય છે. ત્યાર - ૧ એકેક ભાષા-દ્રવ્યના જે કંધ છે તેના આધારરૂપ એવો અસંખેય પ્રદેશવા ક્ષેત્ર વિભાગ તે “ અવગાહના ' કહેવાય છે. આવી અવગાડનાનો સમૂહ “ અવગાહના-વર્ગણ ” કહેવાય છે. એટલે કે અનંત ભાષા-દ્રવ્યના સ્કંધના આધારભૂત ક્ષેત્રવિશેષરૂપે અવગાહનાઓને સમુદાય તે “ અવગાહનાવણ' છે. ૨ ત્રસ-નાડીની બહાર ત્રસ જ ન હોવાથી ત્યાં કોણ બોલે એવી શંકા જરૂર અત્ર ઉદભવે, પરંતુ એના નિરસનાથે સૂચવવાનું કે એક તે આ પ્રમાણે વિશેષા ( ગા. ૩૮૫ )ની વૃત્તિમાં ઉલ્લેખ છે અને બીજું આ કલ્પનાની દૃષ્ટિએ ઘટી શકે તેમ લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy