SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ ઉસાસ ] આત દર્શન દીપિકા ૬૩૧ સમયે અવિરહિતપણે નિરંતર ગ્રહણ કરે છે. આથી કરીને દરેક સમયે નિસગ ( વિસર્જન)નું પ્રતિપાદન થયેલું સમજવું; કેમકે ગ્રહણ કરેલાને બીજા સમયમાં અવશ્ય ત્યાગ થ જોઈએ. અત્ર એ પ્રશ્ન સંભવે છે કે પ્રજ્ઞાપના (૫. ૧૧)ના નિમ્ન-લિખિત "संतरं निसिइ, नो निरंतर निसिरह; एगेणं समयेणं गिण्हह, एगेणं समयेणं निसिरइ" સૂત્રને ભાવાર્થ સાન્તર મૂકે છે, નિરન્તર મૂકતે નથી, એક સમયે ગ્રહણ કરે છે અને એક સમયે મૂકે છે” એ પ્રમાણેને વિચારતાં અન્તર સહિત મૂકવાનું આગમક્ત જણાય છે તેનું કેમ? આને ઉત્તર એ છે કે આ સૂત્રને અર્થ વિષયના વિભાગ પૂર્વક સમજવાને છે. અર્થાત્ ત્યાં જે અંતર સહિત મૂકવાનું કહ્યું છે તે ભાષા–દ્રવ્યને ગ્રહણ કરવાની અપેક્ષાએ કહ્યું છે; કેમકે પ્રથમ સમયે ગ્રહણ કરેલું ભાષા-દ્રવ્ય પ્રથમ સમયમાં ન જ નીકળે, પરંતુ બીજા સમયમાં નીકળે છે, એવી રીતે બીજા સમયમાં ગ્રહણ કરેલ ભાષા--દ્રવ્યનું ત્રીજા સમયમાં વિસર્જન થાય - છે. આ પ્રમાણે ગ્રહણ કરવાની અપેક્ષાએ ત્યાગ અંતર સહિત છે, કેમકે નહિ ગ્રહણ કરેલાનો ત્યાગ સંભવતો નથી, પરંતુ સમયની અપેક્ષાએ નિરંતર છે. કારણ કે દ્વિતીયાદિ સર્વ સમયમાં ત્યાગ હેય છે જ. આ ઉપરથી કોઈ એમ કરવા તૈયાર થાય કે જેમ ત્યાગ ગ્રહણની અપેક્ષાએ અંતર સહિત છે તેમ ગ્રહણ પણ ત્યાગની અપેક્ષાઓ અંતર સહિત જ હોવું જોઈએ તે એ કથન સમુચિત નથી; કેમકે ગ્રહણ સ્વતંત્ર છે, જ્યારે ત્યાગ તે પરતંત્ર છે, કેમકે ત્યાગ ગ્રહણને અધીન છે-ગ્રહણ કર્યા પછી ત્યાગ થાય છે, પણ ત્યાગ કર્યા સિવાય ગ્રહણ ન થાય એવો નિયમ નથી, કેમકે પ્રથમ સમયે ત્યાગ સિવાય પણ ગ્રહણ થાય છે. આ પ્રમાણે ગ્રહણુ વાધીન છે અને ત્યાગ પરાધીન છે, તેથી “સંતરું નિતિ ” અર્થ બરાબર સંગત થાય છે. “નો નિરંતરે નિયમિત થી એ સૂચવાય છે કે નિરંતર ત્યાગ થાય નહિ તેમજ ગ્રહણ અને ત્યાગ એ બંને યુગપતું સંભવતાં નથી પરંતુ પૂર્વ સમયે ગ્રહણ અને ઉત્તર સમયે ત્યાગ થાય છે. “જે સમજે , નિરિફને ભાવાર્થ એ છે કે પ્રથમ સમયે ગ્રહણ જ થાય છે, ત્યાગ થતો નથી; દ્વિતીયાદિ સમયથી આરંભીને ત્યાગની પ્રવૃત્તિ થાય છે અને છેલ્લા સમયે કેવળ ત્યાગ થાય છે એટલે કે પહેલા સમયે કેવળ ગ્રહણ, છેલા સમયે કેવળ ત્યાગ અને વચલા સમયમાં ગ્રહણ અને ત્યાગ બંને થાય છે, કેમકે એક સમયમાં બે ઉપગને નિષેધ છે, નહિ કે બે કે તેથી વધારે ) કિયાઓને. ભાષા-દ્રવ્ય વડે સંપર્ણ લેકની વ્યાપ્તિ માટેનું કાલ-માન પ્રયત્નની તીવ્રતા અને મંદતા પ્રમાણે ભાષાને લેકમાં વ્યાપ્ત થવામાં વખત લાગે છે. જેમકે કઈ હદયના રોગથી મંદ પ્રયત્નવાળ વક્તા ભાષા-દ્રવ્યને ભેદ્યા વિના તેને મૂકે છે એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy