________________
રે અછવ-અધિકાર
( દ્વિતીય चतुःस्पर्शा दिमत्त्वे सति सूक्ष्मपरिणामपरिणतिरूपत्वं सूक्ष्मस्कन्ध૪ અક્ષણમ્ I (૨૧) અર્થાત્ ચાર સ્પર્શ વગેરેથી યુક્ત તેમજ સૂમ પરિણામને પામેલે એ રકંધ “સૂકમ કંધ' કહેવાય છે. બાદર સ્કધનું લક્ષણ એ છે કે –
अष्टपर्शादिमत्त्वे सति बादरपरिणामपरिणतिरूपत्वं बादरस्कन्धस्य રક્ષણમ્ ! (૨૩૦). અર્થાત આઠે આઠ સ્પર્શે વગેરેથી યુક્ત તેમજ બાદર પરિણામને પામેલો એ સ્કંધ બાદર સ્કંધ' કહેવાય છે.
આ ઉપરથી એ ફલિત થાય છે કે સૂમ સ્કંધ ઇન્દ્રિય-ગ્રાહ્ય નથી, જ્યારે બાદર સ્કંધ ઈદ્રિયગ્રાહ્ય છે. વળી આ બંને લસણ તરફ દષ્ટિપાત કરતાં સ્પર્શ ઉપરાંત પ્રત્યેક પ્રકારને કંધ રસ, ગંધ અને વર્ણથી પણ યુક્ત છે એ વાત આદિ' થી સૂચવાઈ હોય એમ સમજાય છે. અને તેમ જ કરવું યુક્ત છે, કેમકે જૈન દર્શન પ્રમાણે તો દરેક પુદગલ-પછી તે સ્કંધરૂપ હોય, દેશરૂપ હય, પ્રદેશરૂપ હોય કે પરમાણુરૂપ હોય -સ્પ, રસ, ગંધ અને વણથી યુક્ત છે જ. આ હકીકતનું તત્ત્વાર્થ (અ. ૫)નું નિમ્નલિખિત સૂત્ર સમર્થન કરે છે –
આથી કરીને એ વાત પણ સ્પષ્ટ થાય છે કે આ સંબંધમાં જૈન દર્શન વૈશેષિક દર્શનથી જુદું પડે છે, કેમકે વૈશેષિક દર્શનમાં તે પૃથ્વી વગેરે મૂત દ્રવ્ય-પુગલેને સમાનરૂપે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ ચાર ગુણોથી યુક્ત માન્યાં નથી અર્થાત્ પૃથ્વોને સ્પર્શાદિ ચાર ગુણોથી યુક્ત, પાણીને ગંધ સિવાયના ત્રણ ગુણોથી યુક્ત, તેજને દ્વિગુણ એટલે સ્પર્શ અને વર્ણથી યુક્ત અને વાયુને તે કેવળ સ્પર્શ ગુણવાળો માનેલ છે. વળી વૈશેષિક દર્શન મનને પણ ચતુર્ગુણાત્મક માનતું નથી. જેના દષ્ટિ અનુસાર પૃથ્વી, પાણી, તેજ, વાયુ, મન એ બધાં પુણલરૂપે સમાન છે એટલે એ પ્રત્યેક સ્પર્શાદિ ચાર ગુણોથી યુક્ત છે.
વિશેષમાં એ હકીકત પણ નોંધવા જેવી છે કે જૈન દર્શનમાં જીવ અને પુદગલ એ એક બીજાના પર્યાયરૂપ નથી અર્થાત્ જેમ બીઢ દર્શનમાં પુદ્ગલને જીવ અર્થમાં વ્યવહાર કરાય છે તે વાત જૈન દષ્ટિને સંમત નથી. આવી ઉદષણ શ્રીઉમાસ્વાતિ તત્ત્વાર્થ (અ. ૫, સુ ૨૨)ના ભાષ્યમાં નિમ્નલિખિત પંક્તિ દ્વારા કરે છે –
પુનિત જ તન્નારીવા નીવાર ઘરમાણને . ”
૧-૨ આ સંબંધમાં જુઓ ૫ ૬૧૫-૬૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org