SearchBrowseAboutContactDonate
Page Preview
Page 678
Loading...
Download File
Download File
Page Text
________________ લાસ ] આઈતિ દર્શન દીપિકા પિક " दवं छक्कमकालं पंचत्थीकायसण्णिदं होदि । થાણે રાજયો કહા નથિ નિ પિટ્ટિ + ૨૦ | અર્થાત્ કાલ-દ્રવ્યને વિષે પ્રદેશને પ્રચય નથી. પ્રદેશ-પ્રચય નહિ હેવાથી તિર્ય-પ્રચય નથી એમ કહેશે નહિ; કેમકે એથી તે પુદગલના સંબંધમાં પણ તેને અભાવ માનવે પડશે, કારણ કે પ્રદેશમાત્રપણું એ અપ્રદેશ છે એવું લક્ષણ ત્યાં પણ લાગુ પડે છે. વળી પુગલનું દ્રવ્યથી અપ્રદેશવ છે, કિન્તુ પર્યાયથી અનેક પ્રદેશત્વ છે, જ્યારે કાલની બાબતમાં તેમ નથી એ કથન યુક્તિ-સંગત નથી, કેમકે પ્રસંગનું કરણ અર્થાત્ સાધન બીજું છે. એનું કારણ એ છે કે ધૂમાડાના અભાવને લઈને પર્વત અગ્નિ રહિત હેવાના પ્રસંગને વિષે ધર્મના અભાવમાં ધર્મના અભાવની પ્રતીતિ થાય છે. અર્થાત કેઈ એક પુરુષ ધૂમાડાના અભાવ દ્વારા પર્વતને વિષે અગ્નિને અભાવ સિદ્ધ કરવાના પ્રસંગમાં કેઈક ધર્મ ત્યાં ન હોય એટલે અગ્નિ પણ ત્યાં નથી એવું કથન રજુ કરે તો તે જેમ યુક્તિ-સંગત ન ગણાય તેમ પ્રસ્તુત માં તિર્ય-પ્રચયના પ્રસંગને વિષે સમજવું. આથી તિર્યક-પ્રચયના પ્રસંગ પર આટલું કથન બસ થશે. વળી આ સમયદ્રની અનંતતાને લઈને પણ તુલ્ય નથી, કેમકે એની અનંતતા તે અતીત અને - અનાગતની અપેક્ષા અનુસાર છે. ઉત્તરા ( અ )માં કહ્યું પણ છે કે “મેર સંજs [gવા રૉર્તિ દા] . ૧ છાયા– ગvમારું જાતિવાદર્તિ જાતિ ! काले प्रदेशप्रचयो यस्मानास्तीति निर्दिष्टम ॥ ૨ ભાવના-સંગ્રહ( . )માં કહ્યું છે કે કાલના (અ) પરમાર્થ કાલ અને (આ) વ્યવહાર-કાલ એમ બે ભેદે છે. તેમાં પ્રથમ ભેદથી કાલ-પરમાણુઓ સમજવા કે જેઓ પરસ્પર પ્રતિબંધથી રહિત છે, એકેક આકાશ-પ્રદેશને વિષે એકેકની વૃત્તિ દ્વારા સમગ્ર લોકવ્યાપી છે અને મુખ્ય તેમજ ઔપચારિક પ્રદેશની કલ્પનાને અભાવ હોવાથી નિરવયવ છે. તેમાં ધમસ્તિકાય વગેરે ચાર દ્વવ્યને વિષે તેમજ પુગલકંધને વિષે મુખ્ય પ્રદેશ-કલ્પના છે, જ્યારે પ્રચય-શકિતના સંબંધને લઈને પરમાણુઓને વિષે ઉપચાર-કલ્પના છે. કાલ-પરમાણુઓને વિષે તે બેમાંથી એકને પણ સંભવ નથી. વળી આ કાલ-પરમાણુઓને વિષે વિનાશના હેતુને અભાવ હોવાથી તેઓ નિત્ય છે, પરિણામ છ દ્રવ્ય પર્યાય વર્તનને હેતુ હેવાથી અનિત્ય છે. રૂપને અભાવ હોવાથી અમૂર્ત છે. જીવના પ્રદેશની જેમ, અન્ય પ્રદેશમાં સંક્રમણ કરી શકે તેમ ન હેવાથી નિષ્ક્રિય છે. આ પ્રમાણેનું પરમાર્થ-કાલનું સ્વરૂપ છે. વર્તન દ્વારા મુખ્ય કાલે કાલ એ વ્યવહાર પ્રાપ્ત કર્યો છે, પરિણુમાદિ લક્ષણોથી યુક્ત, કોઈક અપેક્ષાએ કેક સ્થળે પરિછિન્ન, અપરિચ્છિન્ન એવા મુખ્ય કાલના પરિચ્છેદમાં કારણરૂપ તેમજ ભૂત, વર્તમાન અને ભવિષ્યત એમ ત્રણ જાતને જે પરિ. ગાયક હેાય તે “વ્યવહાર-કાલ' છે. જેમ વૃક્ષની પંક્તિને અનુસરનાર નલિનચંદ્રને આશ્રીને એમ કહી શકાય છે કે એ અમુક વૃક્ષ પાસે આવ્યો, અમુક વૃક્ષ પાસે આવે છે અને અમુક વૃક્ષ પાસે આવશે તેમ કાલ-પરમાણુઓને અનુસરતાં બે વર્તમાન પર્યાયને અનુભવ કરતાં હોય ત્યારે તેને ઉદ્દેશીને પણ ભૂતાદિ ત્રિવિધ વ્યવહાર સંભવે છે. અહીં એ ધ્યાનમાં રાખવું કે જેકે પુગલ-પરમાણુ પ્રદેશ માત્ર હોવાથી અમદેશી છે તેપણ મેલનરૂપ શક્તિને લઇને તે અનેક પ્રદેશ છે. કાલમાં તે પરસ્પર મળવારૂપ શક્તિને અભાવ હોવાથી એ તે અપ્રદેશી જ છે; એમાં તે યુગલની પેઠે ઔપચારિક સંપ્રદેશતા પણ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy