________________
( દ્વિતીય
* *
*
અછવ-અધિકાર. પૂર્વકની ગતિ તે લશ્યાનુપાત જાણવી. (૧૨) ઉદિશ્ય પ્રવિભક્ત ગતિ. અમુક આચાર્યાદિને ઉદ્દેશીને તેની પાસે જવું તે આ ગતિ છે. (૧૪) ચતુપુરુષપ્રવિભક્ત ગતિ. (૧૫) વક-ગતિ. વાંકી ગતિનું આ નામ છે. એના ચાર પ્રકાર છે –(અ) ઘટ્ટનતા, (આ) સ્તંભનતા, (ઈ) શ્લેષણતા અને (ઈ) પતનતા. ખંજ-લંગડા કે ખેડાતા ચાલવું તે પ્રથમ પ્રકાર છે. ડેક વગેરે અક્કડ રાખીને ચાલવું તે બીજો પ્રકાર છે. ઊરુ વગેરેને જાનુ સાથે સંબંધ થાય તેવી રીતે ચાલવું તે ત્રીજો પ્રકાર છે. ચાલતાં ચાલતાં પી જવાય તે ચોથે પ્રકાર છે. આ ચારે પ્રકારની ગતિએ જીવની ઈચ્છા વિરુદ્ધ અને અનિષ્ટ હોવાથી એને “વકગતિ” કહેવામાં આવે છે. (૧૬) પંકગતિ. કાદવમાં કે ઊંડા જળમાં કેઈકને ટેકે લઈ ગમન કરવું તે “પંક-ગતિ” છે. બંધનથી મુક્ત થતાં જે ગતિ થાય તે (૧૭) “બંધનવિમેચન-ગતિ છે. દાખલા તરીકે અત્યંત પાકી ગયેલી કેરી વગેરેનું એના બંધનથી મુક્ત થઈ વિસા દ્વારા-નિર્વાઘાતપણે નીચે પી જવું તે આવી ગતિ જાણવી. પરત્વનું લક્ષણ– . का . पूर्वभावित्वं परत्वस्य लक्षणम् । ( २२६) ' અર્થાત પૂર્વે થવાપણું તે “પરત્વ” કહેવાય છે.
અપરત્વનું લક્ષણ. . . . રાજાવિરામવરરાય ઢામા (૨૨૭) અર્થાત્ પાછળથી થવાપણું તે અપરત્વ” કહેવાય છે. 4. અત્રે એ ધ્યાનમાં રાખવું કે જે પરવાપરત્વને કાળના પર્યાયરૂપે અને અત એવ જવાદિના ઉપકારક તરીકે ગણાવવામાં આવે છે તે પ્રશંસાકૃત કે ક્ષેત્રકૃત નહિ પરંતુ કાલકૃત છે. અન્ય શબ્દોમાં કહીએ તે પરત્વાપરત્વના ત્રણ પ્રકાર છેઃ-(૧) પ્રશંસાકૃત, (૨) ક્ષેત્રકૃત અને (૩) કાલકૃત. તેમાં આહંત ધર્મ પર છે-ઉત્તમ છે, જ્યારે વામમાર્ગ અપર છે-હીન છે-અધમ છે,
એ પ્રશંસાકૃત પરત્વાપરત્વ છે. એક જ દિશામાં રહેલા બે પદાર્થો આશ્રીને જે કર હોય ‘તેને પર કહે અને પાસે હોય તેને અપર કહે એ ક્ષેત્રકૃત પરત્વાપરત્વ છે. છત્વ અને કનિકલ અસક પરવાપરત્વ એ કાલકત છે. એટલે કે સોળ વર્ષની સ્થિતિવાળાની અપેક્ષાએ એથી અધિક સ્થિતિવાળું ( દાખલા તરીકે સો વર્ષ જેટલું જુનું) દ્રવ્ય પર છે, જ્યારે સે વર્ષની અપેક્ષાએ સેળ વર્ષની સ્થિતિવાળું દ્રવ્ય અપર છે. જુઓ તસ્વાર્થ-ભાષ્ય (પૃ. ૩૫૩).
આ પ્રમાણે આપણે અજીવ પદાર્થો દ્વારા જીવ ઉપર જે જે ઉપકાર થાય છે તેનું દિગ્દર્શન કર્યું. સાથે સાથે એ ઉપકારનાં લક્ષણ પૂર્વક તેનું સ્વરૂપ પણ વિચાર્યું. કાલને પણ વતનાદિ દ્વારા જીવ ઉપર ઉપકાર થાય છે તેની પણ નોંધ લીધી. આથી કાલ સંબંધી જૈન તેમજ અન દષ્ટિએ વિશેષ ઉહાપોહ કર પ્રાસંગિક સમજાય છે. તેમાં પ્રથમ તે જૈન દષ્ટિ અનુસાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org