________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા
૫૯
યેલા સત્ય મન વગેરે પુદ્ગલેનું યથાયોગ અલ્પ કે બહુ દેશાંતરગમન થાય છે. “તત” એટલે વિસ્તીર્ણ”. જે ગ્રામ કે સન્નિવેશ જવા માટે કઈ એક વ્યક્તિ નીકળી હોય તે જ્યાં સુધી ત્યાં ન પહોંચે ત્યાં સુધીની વચમાંની માર્ગમાં એકેક પગલું માંડવા (પાદન્યાસ) પૂર્વકની તેની ગતિ “તતગતિ છે. આ પણ દેશાંતર પ્રાપ્તિરૂપ છે એટલું જ નહિ જિતુ એને પ્રગ-ગતિમાં અંતભવ પણ થઈ શકે છે, કેમકે પાદ–ન્યાસ એ શરીરજન્ય પ્રયોગ છે. બંધનના છેદનથી ઉદ્દભવતી ગતિ તે “બંધન-છેદન-ગતિ જાણવી. જીવે ત્યજી દીધેલા શરીર આશ્રીને અથવા તે શરીરથી વિચુત થયેલા જીવ આશ્રીને આ સમજવી કિતુ કેશના સંબંધના વિચછેદથી જે ઓરડાના બીજની ગતિ થાય છે તે ન સમજવી, કેમકે તે તે વિહાગતિને એક ભેદ છે. ‘ઉપપાત” એટલે “પ્રાદુર્ભાવ ક્ષેત્ર, ભવ અને ભવની અપેક્ષાએ એના ત્રણ પ્રકારે પડે છે. તેમાં ક્ષેત્રથી આકાશ સમજવું કે જ્યાં નારકાદિ છ, સિદ્ધ તેમજ પુગલે રહે છે. ભવ એટલે કર્મ જન્ય સંસાર સમજ. ભવથી કર્મના સંગથી રહિત પદાર્થ એટલે સિદ્ધ કે પુદ્ગલ સમજવા. આકાશ દ્વારા ગતિ તે “વિહાગતિ છે. એને ઉપાધિની અપેક્ષાએ સત્તર પ્રકાર પડે છે. એનાં નામ અને સ્વરૂપ નીચે મુજબ છે –
(૧) પૃશગતિ. એક પરમાણુ બીજા પરમાણુને સ્પર્શ કરતે–એની સાથે સંબંધને અનુભવ કરતો ગતિ કરે તે “પૃશ–ગતિ છે. આનાથી વિપરીત ગતિ તે (૨) “અસ્પૃશ-ગતિ' ડહેવાય છે. આ પ્રમાણે પ્રજ્ઞાપના-વૃત્તિમાં ઉલ્લેખ છે. સ્થાનાંગ-વૃત્તિ પ્રમાણે તે પ્રયત્ન-વિશેષ દ્વારા ક્ષેત્ર પ્રદેશના સ્પર્શ પૂર્વકની ગતિ તે “પૃશ-ગતિ છે, જ્યારે એથી વિપરીત તે “અમૃાગતિ” છે. આવી ગતિ દરમ્યાન એક પરમાણુ પરસ્પર સંબંધને અનુભવ કર્યા વિના ગતિ કરે છે. એક સમયમાં લેકના એક છેડાથી બીજે છેડે જનારા પરમાણુની ગતિ આવી છે. (૩) ઉપસંપદ્યમાન ગતિ. અન્યને આશ્રય લઈને કરાતી ગતિનું આ નામ છે. દાખલા તરીકે ધન સાથવાહના અવલંબન પૂર્વકને શ્રીધમષસૂરિ વિહાર.' આનાથી વિપરીત લક્ષણવાળી ગતિ (૪) “અનુપસં૫વમાન” કહેવાય છે. (૫) પુદ્ગલ-ગતિ. એક સમયમાં ચૌદ રાજલોક સુધી જે પુગલની ગતિ થાય છે તે “પુદગલ-ગતિ' છે, (૬) મંડૂક–ગતિ. દેડકાની માફક ફૂદતા કૂદતા જવું તે “મંડુકગતિ છે. (૭) નાવ–ગતિ. મેટી નદીઓમાં વહાણ જેમ ચાલે છે તેમ ગતિ કરવી તે “નાવ-ગતિ' છે. (૮) નય-ગતિ. નૈગમાદિ સાત નાની પોતપોતાના મતની પુષ્ટિ અથવા પરસ્પર સાપેક્ષ એવા સર્વ ના દ્વારા પ્રમાણથી અબાધિત વસ્તુની વ્યવસ્થા તે “નય-ગતિ છે. (૯) છાયા-ગતિ. ઘેડે, હાથી, નર, કિન્નર, મહારગ, ગંધવ, વૃષભ, રથ, છત્ર વગેરેની છાયાને અનુસરીને કે તેના આધારપૂર્વક ગમન કરવું તે છાયા-ગતિ” છે. (૧૦) છાયાનુપાત-ગતિ. છાયા-પડછાયે પુરુષને અનુસરે છે, નહિ કે પુરુષ તેને. એટલે કે છાયાની આવી ગતિ તે “છાયાનુપાત–ગતિ” છે. (૧૧) લેશ્યા-ગતિ. તિર્યંચાદિ જેની નીલાદિ વેશ્યાનાં દ્રવ્ય મળતાં કૃષ્ણાદિ લેાનું તપ પરિણમન તે “લેશ્યા-ગતિ” છે. (૧૧) વેશ્યાનુપાત ગતિ. જે વેશ્યાનાં દ્રવ્યના ગ્રહણ પૂર્વક જીવ મરે છે, તે જ વેશ્યા સહિત તે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે વેશ્યાના અનુસરણ
૧ જુઓ શ્રીઅમરચન્દ્રસૂરિકૃત પહ્માનંદ મહાકાવ્ય (સ ૨, લે. ૧૭–૨૯૨ )ની મદીય આવૃત્તિ ( પૃ ૧૫-૩૯ ). .
૨ સરખા પ્રજ્ઞાપનાના ૧૦૫ મા સૂત્રગત નિમ્ન-લિખિત ઉલેખ –
" जलेसाई दम्याई परियारसा कालं करे। तल्लेसेसु उपयजति ।" [ યાનિ પારા ( કી વશાઈ લાઈન માઝા |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org