SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭૨ અજીવ-અધિકાર દ્વિતીય કાલથી એ શાશ્વત છે-અનાદિ અનંત છે, ભાવે કરીને વર્ણ, રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શથી રહિત છે, આકૃતિથી એ વજાકાર છે અને ગતિમાં સહાયક થવું એ એનો ધર્મ છે-ગુણ છે. અધર્માસ્તિકાચ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને આકૃતિની બાબતમાં તે ધર્માસ્તિકાયને જેદાર છે; પરંતુ ધર્મમાં તે એનાથી જુદા પડે છે, કેમકે સ્થિતિ કરવામાં સહાધ્ય કરવી એ એને ધર્મ છે. આકાશ દ્રવ્યની અપેક્ષાએ એક છે, પરંતુ ધર્માસ્તિકાય અને અધમસ્તિકાયના અસ્તિત્વ-નાસ્તિત્વની અપેક્ષાએ કાકાશ અને અલકાકાશ એમ એ બે પ્રકારનું છે. આકાશ ક્ષેત્રથી કલેક પ્રમાણુવાળું હોવાથી અનંત છે, પરંતુ કાકાશની અપેક્ષાએ અસંખ્યાત ક્ષેત્રવાળું છે. કાલની વિવિક્ષા વડે તે શાશ્વત છે. ભાવથી એ રૂપાદિકથી રહિત છે. અવગાહના-પદાર્થને અવકાશ આપે એ એને ધર્મ છે. લોકાકાશને આકાર સુપ્રતિષ્ઠિત સરખે છે, જ્યારે અલકાકાશને આકાર પોકળ ગેળા જે છે, કેમકે એમાં લેકાકાશ જેટલી તેમાં પિલાણ છે. જુઓ ભગવતી (શ. ૧૧, ઉ. ૧૦, સૂ. ૧૪૨૦) તેમજ લોકપ્રકાશ (સ. ૨,લે ૨૬). જીવાસ્તિકાય દ્રવ્યથી અનંત છે. એક જીવ આશ્રીને જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું અને ઉત્કૃષ્ટથી સમગ્ર લેકકાશ જેવડું એનું ક્ષેત્ર છે. સમગ્ર જીવ આશ્રીને એનું ક્ષેત્ર સંપૂર્ણ કાકાશ છે. કાલથી એ શાશ્વત છે. ભાવથી વર્ણાદિ રહિત, ગુણથી જ્ઞાનદશનાદિ સહિત અને આકૃતિથી દેહાકાર અથવા કેવલિ–સમુદઘાતની અપેક્ષા એ લેક જેવું છે. પુદગલની દ્રવ્યની દ્રષ્ટિએ વિવેક્ષા કરીએ તે તે અનંત દ્રવ્યાત્મક છે, કેમકે આ સંસાર. માં અનેક પુદગલે છે. આ પુદગલોને કાકાશમાં જ સદ્દભાવ હોવાથી તેનું કાકાશ જેટલું ક્ષેત્ર છે. કાલથી તે શાશ્વત છે. ભાવની અપેક્ષાએ તે વર્ણાદિકથી-રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શથી યુક્ત છે. ગુણથી તે ગ્રહણરૂપ ગુણથી યુક્ત છે, કેમકે છ દ્રવ્યમાં કોઈનું પણ પ્રહણ થઈ શકાતું હોય તે તે પુદગલનું જ છે. અથવા પૂરણ-ગલન એ એને સ્વભાવ છે. આકૃતિથી તે દીધ, વિકેણ, ચતુરન્ન, વર્તાલ અને પરિમંડળ જે છે અર્થાત એની આકૃતિઓ વિવિધ જાતની છે. કાલ દ્રવ્યથી એક, ક્ષેત્રથી અઢી દ્વીપ પ્રમાણુ, કાલથી અનાદિ અનંત, ભાવથી વર્ણાદિથી રહિત, ગુણથી વર્તાનાદિ લક્ષણથી લક્ષિત અને આકૃતિથી અવક્તવ્ય છે, કેમકે એ ઔપચારિક દ્રવ્ય હોવાથી એને અમક આકાર છે એમ કહી શકાય તેમ નથી. અર્થાત જે ધમસ્તિકાય અને અધર્માસિસકાય વિભુ-સર્વવ્યાપક હેય તે જીવ અને પુદગલોને સર્વત્ર સંચાર થાય અને તેમ થતાં અલોક જેવું કંઈ રહે નહિ. અને એ હકીકત તે આને ઇષ્ટ નથી, તેથી સમસ્ત લોકાકાશને જાપ્ત કરીને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય રહેલા છે. અને આ પ્રમાણે આ બંને દ્રવ્યો અવિભુ હેવાથી લોક સિદ્ધ થાય છે. ૧ આ રહ્યો એ ઉલેખા“ મg ii મરે ! જિંબંદિ #રે ? નાના ! વિનોદિર પરે ” [ ગ મત સંરચનઃ ઘરઃ ? નૌતમ શવિનોદશાનઃ paas I ] ૨ આકૃતિનું બીજું નામ “ સંસ્થાન' છે. એના પાંચ પ્રકારનું સ્વરૂપ આ ઉ૯લાસમાં આગળ ઉપર વિચારાશે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy