SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહુત દર્શન દીપિકાં. ' સ્થિતિમાં તે' જે રાજસભામાં જીવ, અજીવ અને નેાજીવ એવી ત્રણ રાશિ સિદ્ધ કરી બતાવી તેને બદલે નેાજીવ અને નાઅજીવ એમ બે રાશિઓ માનવાના વારે આવશે. વળી હું પૂર્વે કહી ગયા તેમ પુચ્છાદિ અવયવા છેદાવા છતાં પણ તેમાં જીવનાં પુરાદિ લક્ષણા જણાતાં હાવાથી તે જીવ છે, પર ંતુ નેાજીવ નથી; છતાં તું કદાચડી બની એમ કહેતા હાય કે એ જીવનાં અવયવેા છે વાસ્તે એ ‘ નાજીવ ’ જ કહેવાય તે એ ન્યાય અનુસાર અજીવના દેશને પણ ‘નેાજીવ’ માનવા પડશે અને તેમ થતાં ત્રણ રાશિને બદલે જીવ, અજીવ, નેજીવ અને નાઅજીવ એવી ચાર રાશિએ તારે સ્વીકારવી પડશે. વિશેષમાં અજીવ–સ્કંધથી છૂટા પડેલા દેશ જાતિ અને લિંગથી અજીવના સમાન છે, વાસ્તે તે અજીવ જ કહેવાય, નહિ કે નાઅજીવ એવી તારી દલીલ નિરક છે; કેમકે જો એમ જ હાય તેા જીવના દેશમાં જીવનાં લિંગેાની સમાનતા હેાવાથી તેને જીવ જ કહેવાય, નહિ કે ‘ નાજીવ ’; છતાં તુ જો આને ‘ નેાજીવ ' કહે તે। અજીવના દેશને તારે ‘ નાઅજીવ ’ કહેવા પડશે અને એમ થતાં ત્રણને બદલે ચાર રાશિઓ માનવી પડશે. હૅવે સમલિરૂઢ નય જીવના પ્રદેશને ‘નાજીવ’ કહે છે એમ તુ કહી રહ્યો છે તેના ખુલાસા પશુ સાંભળ, સમભિરૂઢ જીવના દેશને ‘ જીવ ’ માનતા નથી, પરંતુ એ તે ‘ સમાનાધિકરણ ’ સમાસ સ્વીકારે છે. જેમ નીલ કમલમાં નીલ એ વિશેષણુ અને કમલ એ વિશેષ્ય વચ્ચે અભેદ્યતા છે તેમ જીવ અને પ્રદેશ વિશેષણ અને વિશેષ્યના અભેદ પૂર્વક છે. આથી કરીને ગિરાલીથી છૂટું પડેલું તેનું પૂછડું નાજીવ’ ન કહેવાય, કેમકે તેમાં રહેલા જીવના પ્રદેશે તેા જીવથી ભિન્ન નથી. વળી નેાજીવ માનવા છતાં સમભિરૂઢને જીવ અને અજીવ ઉપરાંત નાજીવ ત્રીજી રાશિરૂપે સમત નથી. વળી નેગમાદિ નચેા પણ આવી અધિક રાશિ ઇચ્છતા નથી, અથવા માની લઇએ કે તારા કહેવા મુજબ સભરૂઢ જીવના દેશને નાજીવ માનતા હાય તેપણુ તે કેવળ એક નયની માન્યતા હાવાથી મિથ્યાત્વ છે, કેમકે જે સવનયાત્મક વચન છે તે જ સમ્યક્ત્વ છે. તેથી જો તુ સર્વનયાત્મક જિન-મતના અંગીકાર કરતા હાય, તા જીવ અને જીવ એવી એ જ રાશિના સ્વીકાર કર. આ પ્રમાણે આચાયે રાહગુપ્તને ઘણું ઘણુ` એકાંતમાં સમાવ્યું, પરંતુ જ્યારે તેણે પાતાના મિથ્યાભિનિવેશને તિલાંજલિ ન જ આપી ત્યારે અન્ય જને એના ભ્રમાત્મક વચનાથી ઉધે” માગે ન દોરાય તે માટે રાજસભામાં જઇ એની સાથે છ મહિના સુધી વાદવિવાદ કરી ગુરુએ એને નિરુત્તર કર્યાં. ધર્માસ્તિકાયાદિનું દ્રવ્યાદિનો અપેક્ષાએ સ્વરૂપ— ધર્માસ્તિકાયાદિકનું સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ અને ગુઝુ એ પાંચ પ્રકારે હવે વિચારવામાં આવે છે, તેમાં દ્રવ્યની અપેક્ષાએ ધર્માસ્તિકાય એક દ્રવ્યરૂપ છે, લેાકાકાશ પર્યંતનુ એનુ ક્ષેત્ર છે, ૧ કશું પણ છે કે~~ ૧ * धर्माधर्मवित्वात् सर्वत्र च जीवपुलविचारात् । नालोकः कश्चित् स्यान्न च संमतमेतदार्याणाम् ॥ तस्माद धर्माधर्मावषगाढौ व्याप्य लोकलं सर्वम् । पवं हि परिच्छिन्नः सिद्धयति लोकस्तदविमुन्यात् ॥ 99 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy