SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૦ અજીવ-અધિકાર" [ દ્વિતીય - ૧dવાળ મેતે ! વહેંતિ, ઢાતિ, મવદ્વિષા? ગયા! નો વહૂતિ, નો દ્રારંતિ, ગવદિયાઅર્થાત્ હે ભગવન્! જ વધે છે, ઘટે છે કે જેટલા છે એટલાને એટલા જ રહે છે? ગતમ! છો નથી વધતા કે નથી ઘટતા, કિન્તુ જેટલા છે એટલાને એટલા જ કાયમ રહે છે. આ પ્રમાણેની પરિસ્થિતિ હોવાથી પ્રદેશને નાશ માનવે તે જિન-મતને તિરસ્કાર કરવા બરાબર છે. વળી જીવને નાશ માનતાં તે મેક્ષને અભાવ સિદ્ધ થવાને, કેમકે જીવને જ જ્યારે અભાવ થાય ત્યારે મુક્તિ કેની થાય ? તેમજ મોક્ષને અભાવ થતાં દીક્ષા વગેરે નિરર્થક ઠરે તેમજ અનુક્રમે સમગ્ર જીને વિનાશ થતાં સંસારની શુન્યતા થાય, તેમજ શુભાશુભ કર્મો ભેગવનાર કેઈ ન રહે તે હેવાથી કૃતનાશ દોષ લાગે; વાતે જીવને ખંડશા નાશ માને એ અગ્ય વાત છે. . વિશેષમાં ગિરિલી વગેરેના શરીરથી જુદા પડેલા જે પુચ્છાદિ વિભાગને નાશ થતે જણાય છે તે વિભાગ દારિક શરીરને છે, નહિ કે જીવને; કેમકે જીવ તે અમૃત છે એટલે એના કેઈ પણ રીતે વિભાગ પડે નહિ. વળી જેમ કેઈ પુદ્ગલ-સ્કંધમાં અન્ય પુદ્ગલ-સ્કંધને અંશ આવીને મળે છે અને તેમને કેઈક ખંડ છુટે પ અન્યત્ર પણ જાય છે તેમ એક જીવમાં બીજા જીવને અંશ આવીને મળે અને તેને કેઈ અંશ છૂટે પી જાય અર્થાત્ એ પ્રમાણે જીવને સંઘાત-ભેદ ધમવાળો માનીએ તે તેના અંશને નાશ થતાં સંઘાત-સંબંધ થવાથી તેને સર્વથા વિનાશ નહિ થાય એમ પણ કહી શકાય તેમ નથી. એનું કારણ એ છે કે એમ કરવાથી તે સર્વ જીવોને પરસ્પર સાંક્યથી સુખાદિ ગુણની સંકરતા પ્રાપ્ત થશે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે જ્યારે એક જીવને શુભાશુભ કર્મથી યુક્ત એ અંશ અન્ય જીવની સાથે જોડાય ત્યારે તેના સુખાદિ ગુણ અન્યને પ્રાપ્ત થાય અને અન્ય જીવને અંશ તેની સાથે સંબદ્ધ થાય ત્યારે તે અન્યને સુખાદિ ગુણ એને પ્રાપ્ત થાય. આ પ્રમાણે સવજીને પરસ્પર સુખાદિનું સાર્થ થાય અને તેથી કરીને કૃતનાશ અને અકૃતાગમ એ બે દો ઉદ્દભવે વારતે જીવને પુદગંલની પેઠે સંઘાત-ભેદ ધર્મવાળો માની શકાય તેમ નથી. આ પ્રમાણે આ માન્યતાને દોષગ્રસ્ત જાણી હે રહગુમ ! જે તું એમ કહેવા ઇચ્છતા હોય કે જેમ ધર્માસ્તિકાયથી અભિન્ન એવા તેના દેશને ધર્માસ્તિકાય' કહેવામાં આવે છે તેમ જીવથી અભિન્ન એવા જીવના દેશને નેવ” કહેવાય છે તે વાત વ્યાજબી નથી. કેમકે એમ માનવાથી જીવના પ્રત્યેક પ્રદેશને “ને જીવ” માનવે પડશે અને એથી એક જ જીવમાં અસંખ્યાત ને જીવ થશે અને જીવને તે સર્વથા અને ભાવ થશે. આ હકીકત આજીવને પણ લાગૂ પડશે. જેમકે ધર્માસ્તિકાયાદિ, ચણક સ્કંધ અને ઘટાદિ અજીમાં દરેક જીવને એક દેશ હોવાથી તે તે પ્રદેશ “અછવ” કહેવાશે. આવી રીતે પરમાણુ પણ પુદ્ગલાસ્તિકાયરૂપ અજીવના દેશરૂપ હોવાથી તે પણ અજીવ” કહેવાશે. આથી સર્વત્ર અજીવને અભાવ થશે અને તેની જગ્યાએ “ ને અજીવ ” પ્રાપ્ત થશે. આવી પરિ ૧ છાયા- જીરા મત ! હં તે રીવરફ્રેડજિતઃ ? પૌતમ ! ના વર્ષને નો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy