SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ 1 આત દર્શન દીપિકા. ન કહેવાય, કિન્તુ સર્વે સમુદિત તંતુઓ જ પટ કહેવાય તેમ જીવને એક પ્રદેશ તે છવ ન કહેવાય, પરંતુ તેના સર્વે સમુદિત પ્રદેશો જ જીવ કહેવાય. વિશેષમાં જે તું “એવંભૂત નય પ્રમાણે વિચાર કરવા માંગતો હોય તે એ નય અનુસાર દેશ કે પ્રદેશ વસ્તથી ભિન્ન નથી એટલે દેશ કે પ્રદેશ વસ્તરૂપ જ નથી. એથી કરીને તે સંપૂર્ણ પ્રદેશાત્મક જીવ માન. વળી ગામ બન્યું ઇત્યાદિ ન્યાયે એક દેશને પણ સમગ્ર વસ્તુના ઉપચારથી સંપૂર્ણ તું માનતા હોય છે એ પ્રમાણે અતિમ સિવાયના બાકીના પ્રદેશમાં પણ ઉપચારથી જીવ સ્વીકાર અથવા એ ઉપચાર પણ કઈક ન્યૂન પ્રદેશમાં થાય, કિન્તુ માત્ર અન્તિમ પ્રદેશમાં જ જીવ છે એ ઉપચાર ન થાય, જેમ ડાક તંતુઓથી ન્યૂન પટમાં પટને ઉપચાર કરાય છે પણ એક જ તંતુમાં તે ઉપચાર કરાતા નથી તેમ અત્ર સમજવું. તે આ પ્રમાણે ગુરુએ શિષ્યને ઘણું ઘણું સમજાવ્યું, પરંતુ તે બંધ ન પામે ત્યારે તેને ગચ્છ બહાર કરવામાં આવ્યે. તે વિહાર કરતે કરતો એક દિવસ “આમલકલ્પા” નગરીએ જઈ પહોંચ્યા. ત્યાં મિત્રશ્રી નામના શ્રાવકના હાથે તે પ્રતિબોધ પામ્યું. આ પ્રસંગ એમ બન્યું કે તિષ્યગુરૂ આ શ્રાવકને ત્યાં ભિક્ષાર્થે ગયા. ત્યાં, ભેજ્ય ભેજન, પાન, વ્યંજન, વસ્ત્ર દરેકને સમૂહ આગળ ધરી તેમાંથી એક એક અવયવ તિષ્યગુપ્તને તેણે આપે. આથી તિષ્યગુતે કહ્યું કે શું તું અમારી મશ્કરી કરે છે? મિત્રશ્રીએ જવાબ આપ્યો કે આપને મત એ છે કે અન્ય અવયવ જ અવયવી છે, એટલે જો આપને સિદ્ધાન્ત સાચે છે તે આ મશ્કરી કેમ કહેવાય અને જે તે અસત્ય હોય તે પછી કહેવું જ શું? આ ઉપરથી પ્રતિબોધ પામતાં તિષ્યગુતે શ્રાવકની ક્ષમા યાચી અને તેમ થતાં શ્રાવકે સંપણ ભાયે ભોજન આપી તેમના ભક્તિપૂર્વક સત્કાર કર્યો. પછીથી આ મુનિરાજ પોતાના ગુરુદેવ પાસે ગયા અને તેમની આજ્ઞા પાળવા લાગ્યા. રેહગુણની નિનવતા– - શ્રી મહાવીરના નિર્વાણ બાદ ૫૪૪ વર્ષે “અંતરંજીકા” નગરીમાં વૈરાશિક દષ્ટિ ઉત્પન્ન થઈ. આ નગરીમાં બલશ્રી નામને રાજા રાજ્ય કરતું હતું. ત્યાં “ભૂતગૃહ” નામનું ચિત્ય હતું. ત્યાં શ્રીગુમ આચાર્યના શિષ્ય રેહગુપ્ત પોશાલ પરિવ્રાજકની ઘોષણાને પ્રતિષેધ કર્યો અને તેને વાદમાં હરાવ્યું. તેણે પરિવ્રાજકને કેવી રીતે પરાસ્ત કર્યો તેનું પોતાના ગુરુ આગળ નિવેદન કરતાં કહ્યું કે પરિવ્રાજકે જીવ અને અજીવ એવી બે રાશિ ગ્રહણ કરી એટલે મેં “જીવ” એવી ત્રીજી રાશિ ગ્રહણ કરી ગિરેલી વગેરેના છેદાયેલા પુંછડા વગેરેના દષ્ટાંતથી એ પક્ષનું ખંડન કર્યું. આ સાંભળીને ગુરુએ કહ્યું કે તેં પરિવ્રાજકને હરાવ્યા એ ઠીક કર્યું, પરંતુ એને હરાવ્યા પછી સભા સમક્ષ તારે એમ કહેવું જોઈતું હતું કે આ ત્રીજી રાશિ અમારા જૈન મત અનુસાર નથી, એ તે અપસિદ્ધાન્ત છે અને પરિવ્રાજકને પરાભવ કરવા માટે જ મેં એની પ્રરૂપણ કરી હતી. વાસ્તે તું ફરીથી ત્યાં જા અને લોકોને જણાવ કે આ તે અપસિદ્ધાન્ત છે. રેહગુપ્ત તેમ કરવા ના પાડી અને ઉલટ ગુરુ સાથે તે નીચે મુજબ વાદવિવાદ કરવા લાગ્યો - ' શબ્દનો પ્રયોગ દેશને નિષેધ કરવા માટે થાય છે, કિન્તુ સર્વને નિષેધ કરવા માટે થતું નથી; એથી કરીને જીવ એટલે જીવને એક દેશ સમજ, કિન્તુ જીવને સર્વથા અભાવ સમજવો નહિ. આથી ગિરોલીનું પૂછડું, મનુષ્યના છેદાયેલ હાથ વગેરે અવય ઈત્યાદિ જીવ અને અજીવથી વિલક્ષણ છે એટલે કે એ અવયવે જીવન વિભાગરૂપ હેવાથી તે જીવ તો કહેવાય જ નહિ તેમ તે છૂટા પડયા પછી ઉછળતા હોવાથી અજીવ પણ ન જ કહેવાય. આ પ્રમાણે તે જીવ અને અજીવથી વિલક્ષણ લક્ષણવાળા હોવાથી જીવ જ કહી શકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy