________________
અજીવ-અધિકાર
( દ્વિતીય " 'एगे भंते ! जीवपएसे जीवे त्ति वत्तव्वं सिया ? नो इणढे समझे। एवं दो, तिन्नि, जाव दस, संखेजा, असंखेज्जा भंते ! जीवपरसा जीव त्ति वत्तव्वं सिया ? नो इणहे समटे । एगपएसूणे विणं जीवे नो जीवे त्ति वत्तव्वं सिया । से केणं अटेणं ? जम्हाणं कसिणे पडिपुन्ने लोगागासपएसतुल्ले जीवे जीवे त्ति वत्तव्वं सिया । से तेणं अटेणं ।' અર્થાત હે ભગવન! જીવન એક પ્રદેશને જીવ કહેવાય ? ના, એ અર્થ યોગ્ય નથી. ત્યારે શું જીવના બે, ત્રણ યાવત દશ, સંખ્યાત, અસંખ્યાત પ્રદેશને જીવ કહેવાય ? ના, એ અર્થ પણ વ્યાજબી નથી. જીવના સર્વ પ્રદેશમાંથી ફક્ત એક પ્રદેશ એ છે હોય તે પણ તે જીવ કહેવાય નહિ, કેમકે સંપૂર્ણ કાકાશના પ્રદેશ જેટલા જીવના પ્રદેશ હોય તે જ જીવ કહેવાય.
મિથ્યાત્વના ઉદયથી તિષ્યગુપ્ત આને ખરા અર્થ સમજી ન શક્યો. તે એમ સમજો કે એક, બે યાવત એક પ્રદેશ ન્યૂન હોય તે પણ જીવ ન કહેવાય; વાતે જે છેલ્લા પ્રદેશ વડે જીવ પૂર્ણ થાય છે તે પ્રદેશ જ જીવ છે, તે સિવાયના પ્રદેશ છવ નથી.
ગુરુએ આ અનુચિત માન્યતાનું નિરસન કરવા કહ્યું કે હે તિષ્યગુમ! જ્યારે તું જીવના પ્રથમ પ્રદેશને જીવ માનતો નથી તો તારાથી અન્તિમ પ્રદેશને પણ જીવ ન કહેવાય, કેમકે એ પ્રદેશ પણ બીજા પ્રમાદિ પ્રદેશના જેવા જ પરિણામવાળો છે. વળી અન્તિમ પ્રદેશ અસંખ્યાત પ્રદેશની સંખ્યાને પૂર્ણ કરે છે, પરંતુ આદ્ય પ્રદેશ તેમ કરતો નથી એવી વિશેષતા માટે સ્થાન નથી, કેમકે દરેક પ્રદેશ વિવક્ષિત સંખ્યાની પૂર્તિ કરે છે. તેમ છતાં અન્તિમ પ્રદેશને જીવ માનવામાં આવે તે પછી પ્રત્યેક પ્રદેશને જીવ માનવાને પ્રસંગ પ્રાપ્ત થાય અને એથી દરેક જીવમાં અસંખ્યય જીવાત્માઓ માનવા પડે; અથવા જેમ તારી સમજ પ્રમાણે અન્તિમ સિવાયના પ્રદેશમાં જીવને અભાવ છે તેમ અતિમ પ્રદેશ કે જે પરિમાદિની અપેક્ષાએ બાકીના પ્રદેશો સાથે મળતો છે તેમાં પણ જીવને અભાવ માનવે પડશે એટલે કઈ પણ પ્રદેશમાં જીવત્વ મનાશે જ નહિ. આથી સજીવ જીવ નિજીવ ગણાશે.
વળી અન્તિમ પ્રદેશ સિવાયના અન્ય પ્રદેશમાં જીવ દેશથી છે, જ્યારે અન્તિમ પ્રદેશમાં તે સર્વથી છે–સંપૂર્ણ જીવ છે એમ પણ કહેવાય તેમ નથી; કેમકે પ્રથમાદિ પ્રદેશ જે જ અન્તિમ પ્રદેશ હોવાથી તેમાં પણ દેશથી જ જીવ ઘટી શકશે. વિશેષમાં અન્તિમ પ્રદેશમાં સંપૂર્ણ જીવ માનતાં પ્રત્યેક પ્રદેશમાં તેમ માનવું પડશે. આ ઉપરાંત આલાપકમાં અન્તિમ સિવાયના પ્રદેશોમાં જીવન નિષેધ છે એમ હું માને છે તે અસ્થાને છે, કેમકે અન્તિમ પ્રદેશ પણ એક જ હોવાથી એમાં પણ છવને નિષેધ કરાય જ છે. વળી જે તું આગમને પ્રમાણુરૂપ ગણતા હોય તો સર્વે સંપૂર્ણ જીવન પ્રદેશને જ ત્યાં જીવરૂપ ગણ્યા છે એ વાત ભૂલી ન જા. એક તંતુ પટને ઉપકારી છે–તેના વિના પટ સંપૂર્ણ ન કહેવાય, પરંતુ તેમ છતાં તે એક તંતુ જેમ સંપૂર્ણ પટ
૧ છાયા–મહત્ત ! તારા ત થ થાત ? નો ગરમ समर्थः । एवं द्वौ त्रयो यावद् दश सङ्ख्येया असङ्ख्येया भदन्त ! जीवप्रदेशा जीव इति वकल्यं स्यात ? नो अयमर्थः समर्थः । एकप्रदेशोनोऽपि जीवो नो जीव इति वक्तव्यं स्यात । अथ केनाथन ? यतः कृत्स्नः परिपूर्णी लोकाकाशप्रदेशतल्यो जीवो जीव इति बसव्यं स्यात् । अथ तेनार्थेन ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org