________________
ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા.
૫૬૫ कार्मणशरीरनिमित्तवशाद् गृहीतसूक्ष्मनामकर्मानुवर्तनरूपत्वम् , कर्मवशाद् गृहीतसूक्ष्मनामकर्मानुसरणरूपत्वं वा प्रदेशसंहारस्य
ક્ષvi (૨૦૨) અર્થાત્ કામણ શરીરરૂપ નિમિત્તને લઈને ગ્રહણ કરાયેલા સૂફમ-નામ-કર્મ પ્રમાણેનું વર્તન “પ્રદેશ-સંહાર' કહેવાય છે, અન્ય શબ્દોમાં કહીએ તો કર્મને વશ થઈ ગ્રહણ કરાયેલા સૂફમ-નામ-કમને અનુસરવું તે “પ્રદેશ–સંહાર” છે, પ્રદેશ–સંહાર કહે કે પ્રદેશને સંકેચ કહો તે એક જ છે. પ્રથમના દેહ કરતાં નાના દેહમાં સમગ્ર આત્મ પ્રદેશનું અવગાહન એ આને અર્થ છે. પ્રદેશ-વિસર્ગનું લક્ષણ
कार्मणशरीरनिमित्ताद् बादरनामकर्मानुसरणरूपत्वं प्रदेशविसर्गस्य ફલામ ( ૨૦ ) અર્થાત કામણ શરીરરૂપ નિમિત્તને લઈને બાદર-નામ-કર્મને અનુસરવું તે “પ્રદેશવિસર્ગ' કહેવાય છે. આનો અર્થ પ્રદેશનો વિકાસ છે. એટલે કે પ્રથમના શરીર કરતાં મોટા શરીરને વ્યાપીને સમગ્ર આત્મ-પ્રદેશનું અવગાહન તે પ્રદેશને “વિકાસ” છે.
આ સંબંધમાં આચારાંગની નિયુક્તિમાં કહ્યું છે કે
" 'संकुचियवियसियत्तं एसो जीवस्स होइ जीवगुणो ।
- ઘરે ત્રિોમાં વઘણaviguni ૭ર | » અર્થાત્ સોગિવીર્ય સદ્ધવ્યને લઈને પ્રદેશના સંહાર અને વિસર્ગ દ્વારા આધારવશાત્ પ્રદીપની પેઠે જીવ સંકેચાય છે અને વિકાસ પામે છે. આ પ્રમાણેના સંકેચ અને વિકાસ એ જીવના આત્મરૂપ ગુણ છે. કેવલિ–સમુદ્દઘાત આશ્રીને તે તે બહુ (લેકાકાશના જેટલા) પ્રદેશવાળ હોવાથી સમગ્ર લેક વ્યાપી થઈ શકે છે.
આ પ્રમાણે આપણે જીવના પ્રદેશ સંબંધી પ્રકરણ પૂર્ણ કરીએ તે પૂર્વે તિષ્યગુપ્ત નામના બીજા અને બટુક રહગુપ્ત નામના છઠ્ઠા નિર્ણયના વક્તવ્યનું અને તેની મીમાંસાનું દિગ્દર્શન કરી લઈએ. તિષ્પગુણનું મંતવ્ય
શ્રમણ ભગવાન મહાવીરને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું ત્યાર પછી સોળ વર્ષે “રાષભપુરમાં યાને “રાજગૃહ” નગરમાં જીવ-પ્રાદેશિક દષ્ટિ ઉદ્દભવી. ચૌદપૂર્વધર શ્રીમાન વસુ નામના આચાર્યના તિષ્યગુપ્ત શિષ્યને એક દિવસ આત્મ-પ્રવાદ” નામના પૂર્વમાંના નિમ્ન–લિખિતઆલાપકના અર્થ વિષે વિપ્રતિપત્તિ થઈ ૧ છાયા–રજિતવિકસિતારેક જીવ માત કી શુળઃ |
पूरयति हन्त लोकं बहुप्रदेशस्वगुणेन ॥ ૨ દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય એ છ પદાર્થોની પ્રા૫ણું કરવાથી તેમજ એના ગોત્રનું નામ “ ઉલુક ' હોવાથી એ ષડલક કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org