________________
દિતીય
પ૬૪
અજીવ-અધિકાર. સર રહેતું નથી એટલે એને સંબંધથી દારિકાદિ જે અન્ય શરીર પ્રાપ્ત થાય છે તે પણ કમ અનુસાર નાનાં મોટાં હોય છે.
ધર્મ, અધમ અને આકાશ એ ત્રણ દ્રવ્ય પણ જીવની જેમ અમૂર્ત છે, છતાં જેમ જીવની અવગાહનાના પરિમાણમાં પરિવર્તન થાય છે તેમ આ દ્રવ્યમાં થતું નથી તેનું કારણ સ્વભાવ-ભેદ જ સંભવે છે. જીવ-દ્રવ્યનો સ્વભાવ જ એ છે કે કામણગ મુજબ નિમિત્તાનુસાર તેના પરિમાશુમાં વધ-ઘટ થાય છે. જેમ ખુલ્લી જગ્યામાં રાખેલા પ્રદીપના પ્રકાશનું ક્ષેત્ર અમુક પરિમાણનું હોય છે, પરંતુ જ્યારે એને એક ઓરમાં રાખવામાં આવે ત્યારે તેને પ્રકાશ એ ઓરડી પૂરતો જ બની જાય છે અને વળી જો એને એક હાંડીમાં રાખીએ તે તેટલા ક્ષેત્રમાં એને પ્રકાશ ફેલાઈ રહે છે તેમ જીવ-દ્રવ્ય પણ સંકેચ-વિકાસશીલ છે એટલે શરીર અનુસાર એના પરિમાણમાં સંકેચવિકાસ થાય છે. જીવના પ્રદેશના સંકેચ અને વિકાસની મર્યાદા
આપણે પ૬૧મા પૃષ્ઠમાં જોઈ ગયા છીએ તેમ છવના પ્રદેશ સંકેચાતાં તે અંગુલના અસંખ્યાતમા ભાગ જેવડે નાનું બની રહે છે. એથી નાને તે થતું નથી અર્થાત્ લેકાકાશના અસંખ્યાત પ્રદેશરૂપ અસંખ્યાતમા ભાગથી નાના વિભાગમાં એટલે કે આકાશના એક પ્રદેશ ઉપર કે બે, ત્રણ, ચાર એમ ઘેડા જ પ્રદેશ ઉપર તે સમાઈ શકતું નથી, એવી જ રીતે કેવલિસમુઘાત વખતે સંપૂર્ણ વિકાસ દરમ્યાન તે સંપૂર્ણ લેકેકાશને વ્યાપી રહે છે, પરંતુ એથી વધારે વિસ્તૃત ક્ષેત્રને તે અવગાહી શકતું નથી. આ પ્રમાણેની પરિસ્થિતિ સકારણ છે; કેમકે સંકે ચની મર્યાદા કામણ શરીર ઉપર આધાર રાખે છે અને કોઈ પણ કાર્માણ શરીર અંગુલના અસંખ્યાતમા ભાગથી નાનું સંભવતું જ નથી; એથી કરીને જીવના પ્રદેશોનું સંકેચ-કાર્ય આથી આગળ વધી શકતું નથી–આનાથી વિશેષ ના જીવ બને એમ થઈ શકતું નથી. વિકાસની મર્યાદા માટે બે કારણે સમજાય છે. એક તે ગતિ વિના વિકાસને કશે અર્થ જ નથી, અર્થાત્ કામણ શરીરરૂપ ઉપાદાનજન્ય ગતિ વિના વિકાસ થઈ શકતું નથી, વિકાસ એ ગતિનું કાર્ય છે અને ગતિ ધર્માસ્તિકાયરૂપ આપેક્ષિત કારણની અપેક્ષા રાખે છે. વાતે લેકાકાશની બહાર કે જ્યાં ધર્માસ્તિકાયને અભાવ છે ત્યાં વિકાસ માટે સ્થાન નથી. આથી વિકાસનું ક્ષેત્ર કાકાશ જેવડું જ હોઈ શકે છે, એથી વધારે તે નહિ જ. વળી પ્રત્યેક જીવન પ્રદેશની સંખ્યા લોકાકાશના પ્રદેશે જેટલી જ છે એટલે વધારેમાં વધારે વિકસિત દશામાં જીવન પ્રત્યેક પ્રદેશ આકાશના એક પ્રદેશને વ્યાપીને રડે છે, નહિ કે છે અથવા અધિકને.
આપણે ઉપર જોઈ ગયા તેમ જીવના પ્રદેશને સંકેચ અને વિકાસ થતું હોવાથી તે હાથીના શરીરમાં રહેલો જીવ કર્તવશાતુ જ્યારે કીડા તરીકે જન્મે છે ત્યારે તે એવડા નાના શરીરમાં સમાઈ જાય છે; અને કીડાના શરીરમાં રહેલે જીવ કર્મવશાત્ જ્યારે કુંજર તરીકે ઉત્પન થાય છે ત્યારે તે એવડા મોટા શરીરમાં ફેલાઈ જાય છે. આ પ્રમાણે સંકોચ અને વિકાસ પિતપતાનું કાર્ય કરે છે. એનાં લક્ષણ પરત્વે ગ્રંથકારનું શું કહેવું છે તે જોઈ લઈએ. તેમાં પ્રદેશ સહારનું લક્ષણ તેઓ એમ નિશે છે કે –
૧ સ માન્ય રીતે જીવ ઓછામાં ઓછી અસંખ્યાત આકાશ-પ્રદેશોને અવગાહીને રહે છે, થી ઓછા પ્રદેશ ઉપર તે રહી શકતો નથી; પરંતુ એક આકાશ-પ્રદેશ ઉપર નિગોદને એક છવ જ નહિ પણું અનંત જી સંપૂર્ણતઃ રહી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org