________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. લુક માટે અસંખ્ય જ પ્રદેશ હોવા જોઈએ એ નિયમ નથી. વળી અનંતાણુક કે અનંતાનંતાણુક માટે તે અનંત પ્રદેશવાળા ક્ષેત્રની જરૂર નથી જ. એની સ્થિતિ માટે વધારેમાં વધારે લેકાકાશના અસંખ્યાત પ્રદેશે પર્યાપ્ત છે. આ પ્રમાણે અનંતાનંત મૂત પુદગલ કાકાશમાં સમાઈ જાય છે તેનું કારણ તેની સૂમરૂપે પરિણમવાની શક્તિ છે. જ્યારે આ શક્તિને ઉપયોગ થાય છે ત્યારે અનંતાનંત પરમાણુ અને અનંતાનંત સ્કંધ ત્યાં સ્થાન પ્રાપ્ત કરી લે છે. જેમકે એક જ સ્થાનમાં હજાર દીવાઓને પ્રકાશ પરસ્પર વ્યાઘાત પામ્યા વિના સમાઈ જાય છે. પુદ્ગલ મૂર્ત હોવા છતાં જ્યારે સૂક્ષમત્વ-પરિણામરૂપ અવસ્થા ભગવતું હોય છે ત્યારે તે કેઈને વ્યાખ્યાતરૂપ નીવડતું નથી તેમજ તેને પણ કઈ વ્યાઘાત પમા શકતું નથી. એ તે જ્યારે પુદ્ગલ સ્થલ ભાવમાં પરિણત હોય છે ત્યારે જ વ્યાઘાત માટે અવકાશ રહે છે.
આ પ્રમાણે આપણે જીવ સિવાયનાં ચાર દ્રવ્ય માટેના આધાર-ક્ષેત્ર વિષે યથામતિ વિચાર કર્યો છે એટલે હવે જીવ વિષે પણ વિચાર કરી લઈએ. સૌથી પ્રથમ તે બે વાત ધ્યાનમાં રાખવા જેવી છેઃ (૧) જૈન દષ્ટિ અનુસાર જીવનું પરિમાણ આકાશની જેમ સર્વવ્યાપક નથી કે પરમાણુની પેઠે આણુ જેવડું પણ નથી એટલે કે તે મધ્યમ છે; અને (૨) જીવની સંખ્યા એક નહિ પણ અનંતની છે. આ પ્રમાણે જ્યારે મધ્યમ પરિમાણવાળા જ છે એટલું જ નહિ, પણ જ્યારે શરીરાછિન છના પરિમાણમાં ન્યૂનાધિકતા છે તે પછી તેમનાં આધારભૂત ક્ષેત્રના રિમાણમાં પણ ન્યૂનાધિકતા હોય એ દેખીતી વાત છે; અલબત્ત, સમગ્ર જી - રોશની અપેક્ષાએ તે જીવ-દ્રવ્યનું સ્થિતિ-ક્ષેત્ર સંપૂર્ણ લેકાકાશ જ છે. આથી એ પ્રશ્ન ઉદ્ભવે છે કે એક જીવ-દ્રવ્યનું આધાર-ક્ષેત્ર નાનામાં નાનું અને મોટામાં મોટું કેટલું હોઈ શકે છે ? જૈન શાસ્ત્ર આને ઉત્તર એ આપે છે કે એક જીવનું સ્થિતિ–ક્ષેત્ર નાનામાં નાનું અંગુલના અસંખ્યાતમાં ભાગ જેવડું અને મોટામાં મોટું તે સંપૂર્ણ લોકાકાશ જેવડું હોઈ શકે છે. મેટામાં મોટું ક્ષેત્ર તે કેવલિ-સમુદ્દઘાત આશ્રીને જ છે એ વાત આપણે ૪૫રમાં પૃષ્ઠમાં જોઈ ગયા છીએ.
આ ઉપરથી એ વાત ફલિત થાય છે કે જીવ-દ્રવ્યનું નાનામાં નાનું સ્થિતિ-ક્ષેત્ર અંગુને અસંખ્યાતમા ભાગ જેવડા કાકાશના ખંડ જેટલું છે કે જે સમગ્ર કાકાશને એક અસંખ્યામાં જ ભાગ છે. જે જીવનું આવડું ક્ષેત્ર છે તેનું જ કાલાંતરે અથવા એ જ સમયમાં કે અન્ય કઈ જીવનું આધાર-ક્ષેત્ર આથી બમણું, ત્રણ ગણું કે વધતાં વધતાં ક્યારેક અસંખ્યાત ગણું પરંતુ કાકાશના તે સંખ્યામાં ભાવ જેવડું હોય છે; કેવલિ-સમુદ્દઘાત આશ્રીને તે સમગ્ર લોકાકાશ જેટલું હોય છે.
જૈન દર્શનનું મંતવ્ય એ છે કે પ્રત્યેક જીવના પ્રદેશોની સંખ્યા અસંખ્યાતની છે. આ અસંખ્યાતના જુદા જુદા અસંખ્યાત પ્રકારે અત્રેન સમજતાં તે સર્વ જી આશ્રીને પ્રદેશની ચૂંખ્યા એક સરખી જ સમજવાની છે. અર્થાત્ પ્રદેશની સંખ્યાની અપેક્ષાએ તે બધા જ સરખા જ છે.
૧ આ સંબંધમાં ભગવતી (૨ ૧૩, ઉ. ૪, સૂ. ૪૮૧)ની વૃત્તિના ૬૦૮માં અને ૬૦ :: પત્રમાં એમ પણ કહ્યું છે કે ઔષધીના મહિમાથી એક કર્યું પ્રમાણ પારામાં સે કર્ણ જેટલું સેનું ય છે અને તેમ છતાં એનું વજન એક કર્ષથી વધારે થતું નથી. વળી ઔષધીના સમર્થ્યથી ૫ રાતે અને સોનાને છુટા પાડતાં સે કર્યું જેટલું સોનું અને એક કર્ષ જેટલો પારો મળી રહે છે, આ હકીકત. આધુનિક વૈજ્ઞાનિક દૃષ્ટિએ કેવી રીતે સંગત થઈ શકે તે વિચારવા જેવું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org