________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા.
૫૫૯
નજરે પડે છે. આ તફાવતને લઈને પુદગલ-કંધના નાના મોટા બધા અંશેને “અવયવ કહેવામાં આવે છે. અવયવને અર્થ જુદે થતો અંશ એ થાય છે.
અત્ર કઈ એમ કહેવા તૈયાર થાય કે પરમાણુના વિભાગ થઈ શકતા નથી એથી કરીને તે અમૂર્ત દ્રવ્ય કહેવાય તો તે અસંબદ્ધ પ્રલાપ છે, કેમકે તે પુદ્ગલરૂપ હોવાથી–રૂપી હેવાથી તે
મૂત” જ છે, જોકે પરમાણુનું પરિમાણ સૌથી નાનામાં નાનું હોવાથી એના વિભાગ માટે અવકાશ રહેતું નથી, એ જાતે જ સ્વભાવથી કેવળ અવિભાજ્ય અંશ છે.
વિશેષમાં એ ધ્યાનમાં રાખવું કે દ્રવ્ય-વ્યક્તિરૂપે જ પરમાણુના વિભાગ પડતા નથી, બાકી પર્યાયરૂપે તે તેના જરૂરી વિભાગો પડે છે--અને પર્યાયરૂપ અંશે છે જ; કેમકે એક જ પરમાણુ વ્યક્તિમાં રૂપ, રસ, ગંધ વગેરે અનેક પર્યાય છે અને તે બધા એ દ્રવ્યના ભાવરૂપ અંશે જ છે. એથી કરીને એક પરમાણુ-વ્યક્તિને દ્રવ્ય-પરમાણુ એક જ દેવા છતાં એના ભાવ-પરમાણુઓ (પર્યાયે) તે અનેક છે જ,
આ પ્રમાણે આપણે અજીવના ચૌદ પ્રકારે જોયા. હવે કયા દ્રવ્યના કેટલા પ્રદેશ છે ઇત્યાદિને ઉલ્લેખ કરી, જીવના પ્રદેશના સંકેચ અને વિકાસ પરત્વે ગ્રંથકાર જે ઉલ્લેખ કરે છે તેની નેંધ લઈશું. જવાસ્તિકાયાદિના પ્રદેશોની સંખ્યા
પ્રદેશ એ એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અંશ છે કે એના બીજા અંગેની કલ્પના કરવા સર્વજ્ઞ પણ સમર્થ નથી. આથી તે આ “નિરંશ અંશ' કહેવાય છે. પાંચ અસ્તિકા પૈકી પ્રત્યેકના આવા નિરંશ અંશેની યાને પ્રદેશોની સંખ્યા એક સરખી નથી, પરંતુ ભિન્ન ભિન્ન છે. જેમકે જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ પ્રત્યેકના પ્રદેશની સંખ્યા અસંખ્યાતની છે, જ્યારે આકાશાસ્તિકાયના પ્રદેશની સંખ્યા અનંતની અને પુદગલાસ્તિકાયના પ્રદેશની સંખ્યા સંખ્યાતની, અસંખ્યાતની, અનંતની અને અનંતાનંતની પણ છે.
કહેવાની મતલબ એ છે કે ધમસ્તિકાય અને અધમસ્તિકાય વ્યક્તિરૂપે એક એક જ છે. એ બને દ્રવ્ય એક એવા અખંડ સ્કંધરૂપ છે કે જેના અસંખ્યાત અવિભાજ્ય સૂક્ષમતમ અંશેની કેવળ બુદ્ધિ દ્વારા કલ્પના કરાય છે, પરંતુ એ પૈકી એક પણ આવો અંશ મૂળ દ્રવ્યથી જુદો પડી શકે તેમ નથી. જીવાસ્તિકાય તે વ્યક્તિરૂપે એક નહિ પણ અનંત છે. પ્રત્યેક જીવ-વ્યક્તિ એક અખંડ વસ્તુ છે અને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની પેઠે એના અસંખ્યાત પ્રદેશ છે. આકાશાસ્તિકાય ધમસ્તિકાયાદિની જેમ વ્યક્તિ રૂપે એક જ છે. એ બીજાં બધાં દ્રવ્યોથી મટે છે. એના જેવડો પણ કઈ અન્ય પદાર્થ નથી. એ એવડો માટે સ્કધ છે કે એના પ્રદેશની સંખ્યા અનંતની છે. પુદ્દગલાસ્તિકાયે ધર્માસ્તિકાયાદિની જેમ વ્યક્તિ રૂપે એક જ નથી. એવી તે અનેક ભિન્ન ભિન્ન વ્યક્તિ હેવાથી એ સર્વના પરિમાણમાં તફાવત છે. આ પ્રમાણેની પગલ–સ્કંધની અનિયતતા હોવાથી અર્થાત ધર્માસ્તિકાયાદિની પેઠે તે નિયતરૂપ નહિ હેવાથી કેઈ પુદગલ–રકંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org