________________
અજીવ–અધિકાર.
[દ્વિતીય
પુલના સબંધમાં એ વિશેષતા નોંધવા જેવી છે કે પુદ્ગલના પ્રથમ આખા ભાગ કલ્પેલા હાય તેમાંથી કેટલાક ભાગ છૂટો પડી ગયા તે તેને પણ ‘સ્કંધ’ કહેવાય. જેમ આખું ઝાડ એ 'સ્ક’ધ’ કહેવાય છે તેમ એનાં મૂળિયાં, પાંદડાં, થડ વગેરેને પણ ‘ સ્કંધ ’ કહી શકાય. વળી આ થડરૂપ સ્ક ંધમાંથી થાંભલે બનાવવામાં આવે તે તે પણ ‘સ્ક’ધ’ કહેવાય. એવી રીતે કોઇ પહાડમાંથી છૂટી પડેલી મેાટી શિલા જ ‘સ્કંધ’ કહેવાય એમ નથી, કિન્તુ તેના કટકારૂપ પત્થરો પણ ‘સ્ક’ધ’ કહી શકાય. આ પ્રમાણે પુદ્ગલને વિષે તે અમુક કલ્પેલા સ્ક ંધમાંથી છૂટા પડેલા અથવા તે તેની સાથે સબંધ જાળવી રહેલા એવા દ્વિપ્રદેશાત્મક સુધીના વિભાગો ‘સ્કંધ ’ નામ ધારણ કરી શકે તેમ છે, કેમકે પુદ્ગલ આશ્રીને કધ અને દેશરૂપ સંજ્ઞાઓ પરસ્પર અપેક્ષિત ડેાવાથી અનિયમિત છે. સંબદ્ધ હોય ત્યાં સુધી અમુક કલ્પિત ભાગને દેશ માનવા સમુચિત છે.
૫૧
આપણે ૫૫૬માં પૃષ્ઠમાં જોઇ ગયા તેમ ધર્માસ્તિકાયાદિના સ્પધા પ્રતિબદ્ધ દેશવાળા અને અપ્રતિબદ્ધ દેશવાળા એમ ઉભય સ્વરૂપી છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએતે જેમ એક મેાદકમાંથી અમુક ભાગ કાઢી લઈએ તે અવશિષ્ટ ભાગ સંપૂર્ણ મેદકની અપેક્ષાએ ‘દેશ’ કહેવાય તેમ ફાઇ મેાતી ખંડિત થયું હોય તે તેના બાકીના ભાગ સ’પૂર્ણ મૂળ મેતીની અપેક્ષાએ ‘ દેશ ’ ગણાય. ત્રીજા ઉદાહરણ તરીકે પત્થરના વિચાર કરીએ તે તે ભાંગતાં તેને ત્રુટેલા ભાગ પ્રથમના અખ`ડિત પત્થરની અપેક્ષાએ ‘ દેશ ’ તરીકે ઓળખાવાય. આ પ્રમાણે છુટવાથી બનેલા દેશ તે ‘ અપ્રતિબદ્ધ દેશ ' કહેવાય, જ્યારે સ્ક ંધમાંના કોઇ પણ ભાગ ખંડિત થયા વિના બુદ્ધિ દ્વારા તેના પાળેા વિભાગ, અડધા વિભાગ ઇત્યાદિ જે વિભાગા કપાય તે વિભાગો ‘ પ્રતિબદ્ધ દેશ ’ કહેવાય.' આ દેશરૂપ સંજ્ઞા એક પ્રદેશ ન્યૂન એવા અનંતપ્રદેશીથી માંડીને તે છેક દ્વિપ્રદેશી વિભાગને લાગૂ પડી શકે તેમજ એ સંજ્ઞા અન’તપ્રદેશી સંપૂર્ણ સ્કંધથી માંડીને તે છેક ત્રિપ્રદેશી સ્કંધ સુધીના સ` સ્કંધે પરત્વે ઘટી શકે . અલબત્ત દ્વિપ્રદેશી સ્કંધ આશ્રીને આવી સંજ્ઞા સંભવે નહિ એ દેખીતી વાત છે, કેમકે એ સ્ક ંધના વિભાગ કરવા જતાં મને વિભાગો છૂટા ન પડતાં સંલગ્ન રહે અને તેની બુદ્ધિ દ્વારા કલ્પના કરાય તેા તે · પ્રદેશ ” કહેવાય, પરંતુ આવા વિભાગને ‘ દેશ ” તેા ન જ કહેવાય, કેમકે દેશના અવિભાજ્ય ભાગને તે ‘પ્રદેશ' કહેવામાં આવે છે, અને આને જો દેશ કહીએ તેા પ્રદેશના પ્રદેશ નહિ હાવાથી ‘ પ્રદેશ ’ સ’જ્ઞાના લાપ થાય. મૂળ દ્રવ્યથી પ્રદેશ જેટલે જે વિભાગ છુટા પડે તેને ‘ પ્રદેશ ' તરીકે ન ઓળખાવતાં ‘ પરમાણુ ’ તરીકે ઓળખાવવામાં આવે છે. પુદ્દગલાસ્તિકાય સિવાયના કાઈ પણુ અસ્તિકાયના પ્રદેશ મૂળ દ્રવ્યથી કાઇ પણ ઉપાયે જુદા પાડી શકાય તેમ નથી એટલે ‘ પરમાણુ ’ એવી સંજ્ઞા માટે પુદ્ગલના જ જન્મ-સિદ્ધ હક છે; એ તે એને માટે જ પ્રતિનિયત કરેલી ( reserved ) વસ્તુ છે.
આ પ્રમાણે પુદ્ગલ અને ખીજા દ્રવ્યો વચ્ચે તફાવત હાવાનું કારણ એ છે કે પુદ્દગલ રૂપી છે-ભૂત છે, જ્યારે માકીનાં દ્રબ્યા અરૂપી છે—અમૃત છે; અને અમૂર્તના સ્વભાવ કદાપિ 'ડિત ન થવું કિન્તુ સદૈવ અખંડિત રહેવુ' એ છે. પુદ્ગલરૂપ દ્રવ્ય મૂત છે અને મૂર્તીના ખંડ પણુ હાઇ શકે છે; કારણ કે સંશ્લેષ દ્વારા ભેગા થવાની અને વિશ્લેષ દ્વારા છુટા થવાનું બળ મૃત દ્રવ્યેામાં
૧ આ પ્રમાણેની કલ્પના શ્રીવિજયાયસૂરિએ નવતત્ત્વવિસ્તરા ( પૃ. ૧૧૪ )માં કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org