SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૭ ઉલ્સાસ ] આહંત દર્શન દીપિકા કાય, બે પ્રદેશથી ન્યૂન ધમસ્તિકાય એમ છેક બે પ્રદેશવાળા ધર્માસ્તિકાય સુધીના અસંખ્ય વિભાગો બુદ્ધિથી કલ્પી શકાય. એટલે કે પ્રતિબદ્ધ દેશની (જુઓ પૃ. ૫૫૮) અપેક્ષાએ “ધર્માસ્તિકાયદેશ” એવી સંજ્ઞા સંભવે છે. આ પ્રમાણે અધર્માસ્તિકાય માટે તેમજ જીવાસ્તિકાય માટે પણ સમજી લેવું. આકાશાસ્તિકાયના અનંત પ્રદેશ હેવાથી એના અસંખ્યને બદલે અનંત વિભાગે બુદ્ધિથી કલ્પી શકાય. તેમાં એક પ્રદેશથી ન્યૂન એવા આકાશાસ્તિકાયથી માંડીને દ્વિદેશી આકાશાસ્તિકાયસુધીના બુદ્ધિ દ્વારા કપેલા સર્વ વિભાગ “આકાશાસ્તિકાય-દેશ” કહેવાય. નવતત્વના શ્રીઅભયદેવસૂરિકૃત ભાગમાં દેશનું સ્વરૂપ દર્શાવતાં કહ્યું છે કે " 'लोगहव्वं जं तं, नेयं धम्मत्थिकायसन्नाए । देसो पुण तस्सेव, य विवक्खया होइ अहाई ॥३१॥" અર્થાત્ (માછલાંઓને જેમ જળ અપેક્ષાકારણરૂપ છે તેમ ગતિ-પરિણામની સંમુખ રહેલા જીવ અને પુદ્ગલેની ગતિમાં કારણરૂપ, અસંખ્ય પ્રદેશવાળા તેમજ ) લેકને વ્યાપીને રહેલા એવા દ્રવ્યને “ધર્માસ્તિકાય” જાણવું. એ દ્રવ્યની જ અપેક્ષા આશ્રીને કરાયેલા અડધા વગેરે વિભાગે તે “દેશ” છે. જેના કઈ પણ હિસાબે ભાગ ન થઈ શકે એ એટલે કે નિવિભાગ તેમજ મૂળ દ્રવ્ય સાથે સંલગ્ન એ જે દ્રવ્યનો અંશ તે ‘પ્રદેશ” કહેવાય છે. પ્રદેશ” એટલે પ્રકૃટ દેશ યાને ઉત્કૃષ્ટ વિભાગ. પ્રદેશ કરતાં કઈ પણ નાને વિભાગ કદાપિ હોઈ શકે નહિ અથત છેલ્લામાં છેલ્લે–અંતિમ વિભાગ તે પ્રદેશ છે. ધર્માસ્તિકાયાદિને એ બુદ્ધિ દ્વારા કપેલ વિભાગ તે તેને “પ્રદેશ” સમજ. આ પ્રમાણે આપણે ધર્માસ્તિકાયથી માંડીને તે આકાશાસ્તિકાય સુધીનાં ત્રણે દ્રવ્યના ત્રણ ત્રણ ભેદે વિચાર્યા. આપણે પ૪૬મા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ કાળ એ પ્રદેશના સમુદાયરૂપ નથી, મતાંતર પ્રમાણે તે એ દ્રવ્ય જ ન9, એ તે પાંચ દ્રવ્યના વતનાદિ પર્યાયરૂપ છે એટલે કે ઔપચારિક દ્રવ્ય છે તે પછી એને વિષે સ્કધ અને દેશની ક૯૫ના સંલવતી જ નથી. હવે પુદગલાસ્તિકાયના સ્કંધાદિ ચાર ભેદ વિષે ઊડાહ કરીશું. તેમાં એ વાત તે સુવિદિત છે કે કઈ પણ પદાર્થને આખા ભાગ કે જે અનેક અણું મળીને થયા હોય તે તે પદાર્થને “અંધ” છે. અનેક અણુ મળીને એમ કહેવાથી પરમાણુને રકંધ કહેવાને અનુચિત પ્રસંગ ઊભે થતા અટકી જાય છે. અખંડિત મોદક, અખંડ મૌક્તિક એ કંધે છે. આથી આકાશના એક પ્રદેશથી માંડીને તે તેના અસંખ્ય પ્રદેશ–સંપૂર્ણ આકાશ જેવડી અવગાહનાવાળા ઢિપ્રદેશી, ત્રિપ્રદેશ યાવત અનંતપ્રદેશી પુદગલ-વિભાગો પુદગલ-કંધ” કહેવાય છે. ૧ છાયા लोकद्रव्यं यत् तत् क्षेयं धर्मास्तिकायसऽज्ञया । देशः पुनस्तस्यैव च विवक्षया भवत्थ दिः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy