________________
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા. વિવિધ ઉપયોગ વગેરે એના અનંત પર્યા છે. એવી રીતે પુદ્ગલ પણ દ્રવ્ય છે, કેમકે એનામાં રૂપ વગેરે અનંત ગુણે છે અને નીલ, પીત વગેરે વિવિધ વર્ણ વગેરે અનંત પર્યા છે. જેમ આત્મા ચૈતન્યરૂપ શક્તિ દ્વારા ઉપયોગરૂપ પરિણામને પ્રાપ્ત થાય છે તેમ પુદગલ રૂપ-શક્તિ દ્વારા ભિન્ન ભિન્ન નીલ, પીત વગેરે પરિણામને ભજે છે. વળી જેમ ચૈતન્ય-શક્તિ આત્મ-દ્રવ્યથી અને આત્મગત અન્ય શક્તિઓથી પૃથક થઈ શકતી નથી તેમ રૂપ-શક્તિ પુદગલ-દ્રવ્યથી અને તગત અન્ય શક્તિઓથી અલગ થઈ શકતી નથી. જ્ઞાન, દર્શન આદિ ભિન્ન ભિન્ન સમયવર્તી વિવિધ ઉપયોગોના વૈકાલિક પ્રવાહના કારણરૂપ એક ચૈતન્ય-શક્તિ છે અને એ શક્તિના કાર્યરૂપ પર્યાય-પ્રવાહ ઉપયોગાત્મક છે. એવી રીતે પુગમાં પણ કારણભૂત એક રૂપ-શક્તિ છે અને નીલ, પત આદિ વિવિધ વર્ણ-પર્યાયને પ્રવાહ તે એનું કાર્ય છે. આત્મામાં ઉપયોગાત્મક પર્યાય-પ્રવાહની પેઠે સુખ-દુઃખના વેદનરૂપ પર્યાય-પ્રવાહ, પ્રવૃત્તિરૂપ પર્યાય-પ્રવાહ વગેરે અનંત પર્યાય-પ્રવાહ એક સાથે ચાલુ રહે છે. આથી એમાં ચૈતન્યની માફક તેને સજાતીય પર્યાય-પ્રવાહની કારણભૂત આનંદ, વીર્ય વગેરે એક એક શક્તિ માનવાથી અનંત શક્તિઓ સિદ્ધ થાય છે. એવી રીતે પુદગલમાં રૂપના પર્યાયના પ્રવાહની જેમ રસ, ગંધ, સ્પર્શ વગેરેના અનંત પર્યાના પ્રવાહે સદા ચાલૂ રહે - છે. આથી પ્રત્યેક સજાતીય પ્રવાહની કારણભૂત એક એક શક્તિ માનવાથી પુદ્ગલમાં રૂપશક્તિની જેમ રસ, ગંધ, સ્પર્શ વગેરે અનંત શક્તિઓ સિદ્ધ થાય છે. આત્મામાં ચૈતન્ય, આનંદ, વીર્ય વગેરે શક્તિઓના ભિન્ન ભિન્ન વિવિધ પર્યાયે એક સમયમાં ઉદ્ભવે છે, પરંતુ એક ચિંતન્યશક્તિના, આનંદ-શક્તિના કે વીર્ય-શક્તિના વિવિધ ઉપગ-પર્યાય, વિવિધ વેદના-પર્યાયે કે વિવિધ પરાક્રમ-૫ર્યા એક સમયમાં ઉદભવતા નથી, કેમકે પ્રત્યેક શક્તિને એક સમયમાં તે એક જ પર્યાય વ્યક્ત થાય છે. આ પ્રમાણે પુદગલમાં પશુ રૂપ, રસ, ગંધ, સ્પર્શ વગેરે શક્તિઓના ભિન્ન ભિન્ન વિવિધ પર્યાય એક સમયમાં ઉદ્ભવે છે, કિન્તુ દાખલા તરીકે એક રૂપ-શક્તિના નીલાદિ વિવિધ પર્યાયે કે એક રસ-શક્તિના કટુ વગેરે ભિન્ન ભિન્ન પર્યાયે એક સમયમાં થતા નથી. જેમ આત્મા અને પુદગલ એ બંને દ્રવ્ય નિત્ય છે તેમ એની ચેતન્યાદિ અને રૂપાદિ શક્તિઓ પણ નિત્ય છે, પરંતુ ચૈતન્યજન્ય ઉપયોગ-પર્યાય અને રૂપજન્ય નીલાદિ પર્યાય નિત્ય નથી, કિન્તુ તે સદા ઉત્પાદ અને વિનાશશીલ હોવાથી વ્યક્તિશઃ અનિત્ય છે, જોકે ઉપયોગ-૫ર્યાય-પ્રવાહ અને રૂપ-પર્યાય-પ્રવાહ તે સૈકાલિક હેવાથી નિત્ય છે.
અનંત ગુણને અખંડ સમૂહ તે જ દ્રવ્ય છે. તેમ છતાં આત્માના ચિતન્ય, આનંદ, વીર્ય વગેરે પરિમિત ગુણેની જ સાધારણ બુદ્ધિવાળા છમ કલ્પના કરી શકે છે; બધા ગુણે તેમની કલ્પના-ગમ્ય નથી. એવી રીતે પુદગલના પણ રૂપ, રસ વગેરે કેટલાક જ-પરિમિત જ ગુણે કલ્પનામાં આવે છે, નહિ કે બધા. આનું કારણ એ છે કે આત્મા અથવા પુદગલ દ્રવ્યના સમસ્ત પ્રકારના પર્યાય પ્રવાહે વિશિષ્ટ જ્ઞાન વિના જાણી શકાય તેમ નથી. જે જે પર્યાય-પ્રવાહ સાધારણ બુદ્ધિ વડે ય છે, તેના તેના કારણરૂપ ગુણને વ્યવહાર કરાય છે. આથી એ ગુણ વિકસ્ય છે. આત્માના ચિતન્ય, ચારિત્ર, આનંદ, વીર્ય વગેરે વિકલ અને પુદ્ગલના રૂપાદિ વિકલધ્ય ગુણ વિચાર અને વાણીમાં અવતરી શકે છે; બાકીના બધા અવિક૯ય છે અને તે તે કેવળ કેવલિગમ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org