SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ર અછવ-અધિકાર. [ દ્વિતીય જાતિવાળું અન્ય દ્રવ્ય ન હોય તે “અદ્રવ્ય દ્રવ્ય' કહેવાય છે, જેમકે ધર્મ, અધર્મ અને આકાશ; જ્યારે જેનું સમાન જાતિવાળું અન્ય દ્રવ્ય હેય તે “અનેકદ્રવ્ય દ્રવ્ય' કહેવાય છે, જેમકે જીવ અને પુગલ દ્રવ્યનું અન્ય લક્ષણ દ્રવ્ય કહે કે પદાર્થ કહે તે એક જ છે અને એનું લક્ષણ આ ઉલ્લાસના પ્રારંભમાં ૫૩૦મા પૃષ્ઠમાં સૂચવાઈ ગયું છે, છતાં અત્ર દ્રવ્યને નિર્દેશ કરતી વેળા તેનું અન્ય લક્ષણ પણ સંભવે છે એ વાત ધ્યાનમાં આવવાથી ગ્રંથકાર તેને નીચે મુજબ ઉલ્લેખ કરે છે – ગુiાર્યાયવરવું દ્રવ્યહ્ય અક્ષણપૂT ( ૨૦૬). અર્થાત જે ગુણ અને પર્યાયથી યુક્ત હોય તે દ્રવ્ય” કહેવાય છે. આ લક્ષણ યથાર્થ સમજાય માટે ગુણ અને પર્યાયનાં લક્ષણે તેઓ નીચે મુજબ સૂચવે છે – સમાવિરાં ગુહ્ય સૃક્ષા (૨૦૭). क्रमभावित्वं पर्यायस्य लक्षणम् । ( २०८ ) અર્થાત જેની ઉત્પત્તિ દ્રવ્યની સાથે જ છે, તે “ગુણુ કહેવાય છે, જ્યારે જેની ઉત્પત્તિ ક્રમ અનુસાર છે તે પર્યાય' કહેવાય છે. દ્રવ્ય, ગુણ અને પર્યાયનું સ્વરૂપ પ્રત્યેક દ્રવ્ય પરિણમનશીલ હોવાથી પ્રતિસમય નિમિત્ત અનુસાર ભિન્ન ભિન્ન રૂપે પરિણમે છે. આ પ્રમાણે દ્રવ્યમાં પરિણામ ઉત્પન્ન કરવાની જે શક્તિ છે તે “ગુણ” કહેવાય છે; અને એ શક્તિ દ્વારા જે પરિણામ ઉત્પન્ન કરાય છે તે “પર્યાય” કહેવાય છે. એટલે કે ગુણ એ કારણ છે અને પર્યાય એ કાર્ય છે. દરેક દ્રવ્યમાં શક્તિરૂપ અનંત ગુણ રહેલા છે. આ ગુણે વસ્તુતઃ મૂળ દ્રવ્યથી તેમ જ એક બીજાથી અવિભાજ્ય છે–અભિન્ન છે. પ્રત્યેક ગુણરૂપ શક્તિના જુદા જુદા સમયમાં થતા સૈકાલિક પયયોની સંખ્યા અનંતની છે. દ્રવ્યના તેમજ એના અંશરૂપ શક્તિએના ઉત્પાદ અને વ્યય નહિ થતા હોવાથી તે નિત્ય યાને અનાદિ-અનંત છે, કિન્તુ બધા પર્યાયે પ્રતિસમય ઉત્પન્ન અને નષ્ટ થતા હોવાથી તે વ્યક્તિની અપેક્ષાએ અનિત્ય યાને સાદિ સાંત છે, જોકે પ્રવાહની અપેક્ષાએ તે તે પણ અનાદિ અનંત છે. વિશેષમાં કારણભૂત એક શક્તિ દ્વારા દ્રવ્યમાં થતા કાલિક પર્યાય-પ્રવાહ સજાતીય છે. દ્રવ્યમાં અનંત અનંત શક્તિએથી તજજન્ય પર્યાય -પ્રવાહ પણ અનંત જ એકી સાથે ચાલુ રહે છે. ભિન્ન ભિન્ન શક્તિજન્ય વિજાતીય પર્યાયે એક સમયમાં એક દ્રવ્યમાં મળી આવે છે ખરા, કિન્તુ એક શક્તિ જન્ય ભિન્ન ભિન્ન સમયભાવી પર્યાયે એક દ્રવ્યમાં એક સમયમાં લેતા નથી. આત્મા દ્રવ્ય છે, કેમકે એનામાં ચૈતન્ય વગેરે અનંત ગુણે છે, જ્યારે જ્ઞાન, દશનરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy