SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૯ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા. તેની ખલના વિષે નિર્દેશ કરી આવા બ્રાન્ત વિચાર વિષે વિશેષ ઉલ્લેખ અને તેની સમાચના ન કરતાં તેના ઉપર હાલ તુરત તે પડદે પાવ આગળ વધવું ઉચિત સમજાય છે. કાળને સ્વતંત્ર પદાર્થ ન ગણતાં તેને આ ગ્રંથકાર ઔપચારિક ગણે છે એટલે એકંદર મૂળ પદાર્થોની સંખ્યા પાંચની છે. આ પાંચેના સામાન્ય તથા વિશેષ ધર્મનું નિરૂપણ કરવાથી એમની વચ્ચે રહેલી સમાનતા અને અસમાનતા નજરે પડે અર્થાત્ એમનું પરસ્પરનું સાધમ્ય– વેધમ્ય સ્પષ્ટ થાય એથી એ દિશામાં પ્રયાણ કરીએ. પાંચે દ્રવ્ય છે એ અપેક્ષાએ જ એમનામાં સાધમ્ય છે એમ નહિ, કિન્તુ એ પાંચે નિત્ય અને અવસ્થિત (સ્થિર) પણ છે એ દષ્ટિએ પણ એમનામાં સમાનતા છે. તેમાં નિત્યનું લક્ષણ ગ્રંથકાર નીચે મુજબ નિશે છે – परिणामान्तरापत्तौ सत्यामप्यन्वयिनोऽशादप्रच्युतरूपत्वं नित्यत्वશ્ય લક્ષણ . (૨૦૨) અર્થાત્ અન્ય પરિણામને પ્રાપ્ત થવા છતાં પણ જેના અન્વયી (મૂળ) અંશને વિનાશ ન થાય તે - નિત્ય કહેવાય છે. અવસ્થિતનું લક્ષણ એમ સૂચવાયું છે કે – कदाचिदपि पञ्चभूतार्थत्वं न व्यभिचरतीत्येवंरूपत्वमवस्थितस्य ઋક્ષણમ્ (૨૦૨) અર્થાત પાંચની સંખ્યા કે ભૂતાર્થત્વની સાથે જેને કદાપિ વ્યભિચાર થતું નથી તે “અવસ્થિત કહેવાય છે. ભૂતાથત્વ એટલે સ્વતત્વ અથવા અસંખ્યય પ્રદેશ તેમજ અનાદિ પરિણામને સ્વભાવ એવો અર્થ કરવે. જેના દર્શન કેઈ પણ પદાર્થને ફૂટસ્થ નિત્ય કે સર્વથા અનિત્ય માનતું નથી; એથી કરીને તે પદાર્થને નિત્ય ઉપરાંત અવસ્થિત એવું વિશેષણ અપાય છે. પિતાના સ્વરૂપને ત્યાગ ન કરે એ “નિત્ય છે, જ્યારે પારકાના સ્વરૂપને પ્રાપ્ત ન કરવું એ “અવસ્થિતત્વ છે. અન્ય શબ્દોમાં ૧ આપણે ૩૪ મા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ તસ્વાર્થ (અ. ૧, સે. ૩૦ )માં નિત્યનું લક્ષણ નીચે મુજબ છે – “ તન્નાવાયાયં નિયમ | ” અર્થાત જે એના ભાવથી–પોતાની જાતિથી યુત ન થાય તે “ નિત્ય ' છે. ૨ સરખા તત્ત્વાર્થ ( અ. પ, સે. ૩ )ના ભાષ્ય (પૃ. ૩રર )ગત ઉલ્લેખ – ___" अवस्थितानि च, न हि कदाचित् पञ्चत्वं भूतार्थत्वं च व्यभिचरन्ति ।" ક સરખા તત્વાર્થની બૃહદ્ વૃત્તિ (પૃ. ૩૨૩)ગત નિમ્નલિખિત પંક્તિ "अन्योन्यावबन्धितायां सत्यामपि धर्मादीनि न स्वतख-भूतार्थत्वं वैशेषिकं लक्षणमतिवर्तन्ते ...। अथवाऽसङ्ख्येयादिप्रदेशानादिपरिणामस्वभावता वा भूतार्थता मूर्तताऽसूर्तता घेति । " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy