SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ અછવ-અધિકાર. [ દ્વિતીય સાર્વદેશિક પ્રતિભાશાળી વાચસ્પતિમિશ્રના પ્રકાંડ પાણ્ડિત્ય તરફના પક્ષપાતને લઈને ન્યાયનિર્ણય અને રત્નપ્રભામાં ભૂલે ઉતરી આવી હશે એમ કદાચ મનાય, કિન્તુ જેમની વિવિધ દર્શનેમાં અવ્યાહત ગતિ છે એવા શ્રીવાચસ્પતિ મિશ્ર તેમજ “જગદગુરુ” ના બિરુદધારી શ્રીશંકરસ્વામી જેવા ધુરંધર વિદ્વાનને હાથે પણ પૂર્વોક્ત હાસ્યાસ્પદ ઉલ્લેખ કેમ થયા હશે તે કળાતું નથી. આશ્ચર્યાતીત વાત તે એ જણાય છે કે આ સાધન-સંપન્ન યુગમાં પણ-જ્યારે જૈન દર્શનના મૌલિક ગ્રંથ મુદ્રિત દશામાં ઉપલબ્ધ થાય છે ત્યારે પણ અને તે પણ વળી તેનું અવલોકન કર્યા બાત એ દર્શનની રૂપરેખા આલેખનાર સાક્ષર તરીકે પંકાતા શ્રીયુત નર્મદાશંકર દેવશંકર મહેતા બી. એ., “હિંદ તત્ત્વજ્ઞાનને ઇતિહાસ” એ નામની તેમની કૃતિના પૂર્વાર્ધના ૧૦૫ મા પૃષ્ઠમાં નીચે મુજબ ઉલ્લેખ કરે છે – કાલને બાતલ કરી શેષ રહેલાં દિવ્યાપી એટલે નાનાં મોટાં થાય તેવાં છે. કાય વિનાનાં દ્રવ્યોને અતિકાય એવું નામ આપવામાં આવે છે. અસ્તિકાય એટલે વસ્તુ છે (ગણિત) એ જેના સંબંધમાં નિર્દેશ થાય અને જે પ્રદેશ કનારાં ( IT ) હોય તે. અસ્તિકાય એટલે પદાર્થ કહીએ તે ચાલે. પુદ્ગલ અમૂત; બાકીનાં દ્રવ્ય મૂર્તિ છે. એટલે સ્કૂલ આકૃતિવાળાં છે.” જ્યારે ભારતીય વિદ્વાનો આ પ્રમાણે ભીંત ભૂલતા હોય એમ લાગે ત્યારે પાશ્ચાત્ય પંડિ. ૧ જન દર્શનની સમાલોચના કરતાં તેમનાથી આ જ એક ભૂલ થઈ હોય તો દર્શનાંતરીય સિદ્ધાન્તના વિષયમાં ભ્રમ થવો છમછુ પુરુષ આશ્રીને સાહજિક હોવાથી તે ક્ષેતવ્ય ગણાય કિ જેન દર્શનના મૂળ પાયારૂપ એટલું જ નહિ પણ તેના પર્યાય તરીકે ગણાતા એવા અનેકાંતવાદને પ્રતિવાદ યાને એનું ખંડન પણ એના વાસતવિક સ્વરૂપને અનુરૂપ નથી એ ખરેખર વધારે પડતી હકીકત છે. અનેકાંતવાદનું જ સ્વરૂપ જેના દર્શનને અભિમત નથી એવું એક કાલ્પનિક સ્વરૂપ ઊભું કરી તેનું ખંડન કરવાથી શું લાભ? અનેકાંતવાદ જેવા સર્વમાન્ય ગણાવા લાયક સિદ્ધાન્તની અવહીલના કરનારાઓ પૈકી શિયનું સૂત્ર ઉપર ભાષ્ય લખનારા, પૂણે અમેદવાદી શ્રોશ કરાચાર્યના માયાવાદનું ખંડન કરનાર તરીકે પ્રથમ ગણાતા, અનિર્વચનીય વાદને પ્રતિવાદ કરનારા, પૂર્ણતયા ભેદભેદવાદના અનુયાયી અને વિક્રમની દશમી શતાબ્દીના પૂર્વાર્ધમાં વિદ્યમાન શ્રીભાસ્કરાચાર્યનું તેમજ વિશિષ્ટાદ્વૈતના પ્રધાન આચાર્ય, પ્રથાનત્રયી ઉપર વિશદ ભાષ્ય લખનારા અને ઇ. સ. ૧૦૧૭ થી લગભગ ઈ. સ. ૧૧૩૭ સુધીના સમયમાં અસ્તિત્વ ધરાવનારા શ્રી રામાનુજ સ્વામીનું પણ નામ નજરે પડે છે એનું શું કારણ હશે તેની ગવેષણ કરવા બહુશ્રુતેને મારી સાદર વિજ્ઞપ્તિ છે. ૨ આ તો જૈન દર્શન પરત્વેની તેમની અનભિજ્ઞતાને એક નમૂનો છે. આવા વિશેષ નમૂનાએનો ઉલ્લેખ કરવાનું આ રથળ નથી. આકાશ, લોકાકાશ, અલકાકાશ વગેરેનું જે ચિત્ર તેમણે આલેખ્યું છે તે જોતાં કોઈ પણ સહુદય તટસ્થ સાક્ષરનું દિલ દુભાયા વિના રહેશે નહિ. પ્રસ્તુતમાં આપણે એટલું જ ઈચ્છીશું કે “ ગુજરાત વર્નાકયુલર સોસાઈટી ' તરફથી બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થાય ત્યારે “ જૈન દર્શન’ સંબંધી સમગ્ર લેખનું યોગ્ય પરિમાર્જન થાય તેવો પ્રબંધ કરવા તેના સંચાલકે કપા કરે અને “ હિંદ તત્વજ્ઞાનને ઇતિહાસ માં જે પ્રશંસાપાત્ર ઉજજવળ વિભાગો છે તેને કલંકિત કરનાર આ ભાગની મલિનતા દૂર કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy