________________
૫૪૪
અછવ–અધિકાર.
[ દ્વિતીય
વગેરેના અભાવ છે, કિન્તુ સૂક્ષ્મ પૃથ્વી વગેરે વિદ્યમાન છે એટલે એની અપેક્ષાએ જ પક્ષી વગેરની ગતિ અને સ્થિતિ થાય છે તે તે વ્યાજખી નથી; કેમકે સૂક્ષ્મ પૃથ્વી વગેરેની ત્યાં ગતિસ્થિતિના અભાવને પ્રસંગ ખડા થાય છે, કારણ કે તેમની ગતિ અને સ્થિતિમાં અન્ય અપેક્ષાકારણના અભાવ છે. આ કારણથી વાયુને પણ અપેક્ષા-કારણરૂપે સ્વીકારાય તેમ નથી, કેમકે તેનું પણ કોઇ અન્ય અપેક્ષા–કારણુ નહિ હાવાથી તેની ગતિ અને સ્થિતિના અભાવ માનવા પડશે, આથી કરીને જેની ગયા પછી સ્થિતિ નથી અને જે સ્થિર હેાઇ ગતિશીલ નથી તે જ જીવ અને પુદ્ગલની ગતિ અને સ્થિતિનાં નિમિત્ત-કારણેા છે. અને આવા પદાર્થો તેા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સિવાય અન્ય કોઇ નથી. પૃથ્વી વગેરેનું ઉપર સૂચવ્યા મુજખનું સ્વરૂપ નહિ હાવાથી તે અપેક્ષા–કારણરૂપે ન સ્વીકારાય તે ભલે, કિન્તુ માકાશ તે અપેક્ષા-કારણરૂપે મનાય એ દલીલ પણ પાયા વિનાની છે, કેમકે આમ માનવાથી તે લેાક અને અલેાક જેવા વિભાગનું અસ્તિત્વ ઊડી જશે. જ્યાં જીવ અને પુદ્ગલેાની ગતિ અને સ્થિતિ સ’ભવે છેતે ‘લાક’ છે અને બાકીના વિભાગ ‘અલાક’ છે એવી લેાક અને અલેકની વ્યવસ્થા છે. આકાશને નિમિત્ત માનવાથી તે અલેાકમાં પણ ગતિ અને સ્થિતિના સદ્ભાવ હાવાથી તે પણ લેાક જ ગણાશે એટલે અલેાકનું નામ નિશાન પણ નહિ રહે. હવે જો પુણ્ય અને પાપને અપેક્ષા-કારણરૂપે સૂચવવામાં આવે તે તે સૂચના પણ અસ્થાને છે, કેમકે એ છેતેા સ્વદેહવ્યાપી અને આત્મગત હાવાથી અમુક ભાગમાં રહેનારાં છે અને તેમ છતાં જે તે ગતિ અને સ્થિતિમાં અપેક્ષા-કારણરૂપ ગણાય તે લેાક અને અલેાક જેવી વ્યવસ્થા ઉપર પાણી ફ્રી વળે. વળી મુક્ત જીવામાં પુણ્ય અને પાપના અભાવ હાવાથી કના ક્ષય થતાં તે અહીંથી મુક્તિએ જઇ શકશે નહિ તેમજ ત્યાં સ્થિતિ પણ કરી શકશે નહિ. વિશેષમાં પ્રકાશ કે અંધકારને પણ અપેક્ષા-કારણરૂપે સ્વીકારી શકાય તેમ નથી, કેમકે દિવસના અંધકારને અભાવ હાવા છતાં અને રાત્રે પ્રકાશનો અભાવ હેાવા છતાં ગતિ અને સ્થિતિ સંભવે છે. અમુકના અભાવ હાવા છતાં જ્યારે કોઇ એક વસ્તુ ઉપલબ્ધ થાય ત્યારે તે વસ્તુ તેનું કાર્ય ન જ ગણાય એ દીવા જેવી સ્પષ્ટ હકીકત છે. આથી સાર એ નીકળે છે કે પૃથ્વીથી માંડીને તે અંધકાર પત કોઇ પણ અપેક્ષા-કારણરૂપ નથી; એ માટે તેા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય જ પ્રતિનિયત છે. આથી એમ માનવાની ભૂલ ન કરવી કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું સદા સાન્નિધ્ય હાવાથી જીવ અને પુદ્ગલને માટે સદાને વાસ્તે ગતિ અને સ્થિતિ નિર્માણ થયાં છે, કેમકે ગતિરૂપ કે સ્થિતિરૂપ પરિણામને પામેલા જીવ અને પુદ્ગલના તે પરિણામને કેવળ આ તા સહાયકારી છે. દાખલા તરીકે એક સરોવરમાં અનેક માછલાં વસતાં હોય તેમાંથી કોઇ એકને ગતિ કરવી હોય તે તેને જળની અપેક્ષા રહે છે, પરંતુ એ જળનું સદા સાન્નિધ્ય હાવાથી અન્ય માછલાંની મરજી નહિ હાવા છતાં તેમને ગતિ કરવી પડે જ એમ તે નથી જ,
આથી એ વાત સ્પષ્ટ થાય છે કે જીવ અને પુદ્ગલેાને પાછળથી ધક્કો મારીને કે તેમને આગળથી ખેંચીને ગતિ–ક્રિયા કરાવવાનું કાર્ય ધર્માસ્તિકાયનું' નથી જ; ગતિ–ક્રિયા માટે જવ અને પુદ્ગલ પાતે જ સમથ છે. આ તા જેમ પક્ષીને ઉડવામાં વાયુ અને નેત્રને જોવામાં પ્રકાશ અપેક્ષારૂપ કારણરૂપ છે તેમ ગતિ-ક્રિયામાં અપેક્ષાકારણરૂપ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org