SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ અજીવ–અધિકાર. ૧૪૨ કાલનું લક્ષણ— विशिष्ट मर्यादावच्छिन्नोर्ध्वाधोऽर्धतृतीयद्वोपाभ्यन्तरवतिनां स्वत एव परिणमतां जीवादिद्रव्याणां यदपेक्षाकारणं હક્ષળમ્ । ( ૨૦૨ ) तद्रूपत्वं कालस्य [ દ્વિતીય અર્થાત્ જેમ મગલાના પ્રસવમાં મેઘગર્જના અપેક્ષા-કારણ છે, તેમ વિશિષ્ટ મર્યાદાથી યુક્ત અઢી દ્વીપમાં વસનારા તેમજ પોતાની મેળે જ પરિણત થનારા જીવાદિક દ્રબ્યાના પરિણમનમાં જે નિમિત્તરૂપ પદાર્થં છે તે ‘ કાલ ’ કહેવાય છે. કારણની ત્રિવિધતા આ પ્રમાણે આપણે ધર્માસ્તિકાયાદિકનાં લક્ષણા જોયાં, પરંતુ તેને યથાર્થ ખ્યાલ આવે તે માટે પ્રથમ તેા કારણના (૧) ૧પરિણામી, (૨) નિમિત્ત અને (૩) નિ તક એમ જે ત્રણ પ્રકાશ પડે છે તેનું ટ્વિગ્દર્શન કરી લઇએ. આ માટે ઘડાનુ' ઉદાહરણ વિચારીએ, માટી એ ઘડાનું પરિણામી–કારણ છે, કેમકે માટી પાતે જ ઘડાના આકારમાં પરિણમે છે-પલટાઇ જાય છે. લાકડાના ટુકડા, ચાકડા વગેરે ઘડાનાં નિમિત્ત-કારણેા છે; કેમકે એ નિમિત્ત સિવાય ઘટા બનાવી શકાતા નથી, કુંભાર એ ઘડાનુ નિત ક-કારણ છે, કારણ કે એ ઘડાનેા બનાવનાર છે. વિશેષમાં નિમિત્ત-કારણના એ ભાગ છેઃ——( ૧ ) નિમિત્ત-કારણ અને ( ૨ ) અપેક્ષા—કારણ, જે સાધનામાં પ્રાચેાગિકી અને નૈસસિકી (સ્વાભાવિક) એમ બંને જાતની ક્રિયાઓ થતી હોય તે ‘નિમિત્ત-કારણ’ કહેવાય છે, જ્યારે જેમાં કેવળ નૈસસિકી જ ક્રિયા થતી હાય તે · અપેક્ષા-કારણ ’ કહેવાય છે. અન્ય શબ્દોમાં કહીએ તે નિમિત્ત-કારણેામાં જે સાધારણ નિમિત્તા છે. તેનું નામ -‘ અપેક્ષા–કારણ ’ છે. : પ્રસ્તુતમાં જીવની અને પુગલની ગતિમાં તેને ગતિરૂપ પરિણામ એ પરિણામી–કારણ છે. જીવ અને પુદ્ગલા ગતિના સંચાલક હાવાથી તે જાતે નિતક-કારણ છે. મા વગેરે સામાન્ય નિમિત્ત–કારણ છે, અને ધર્માસ્તિકાય ગતિના પરિણામને પુષ્ટ કરનાર હેાવાથી એ અસાધારણ નિમિત્ત—કારણ છે યાને અપેક્ષા–કારણ છે. એવી રીતે જીવની અને પુદ્ગલની સ્થિતિમાં તેના સ્થિતિરૂપ પરિણામ એ પરિણામી કારણ છે, જીવ અને પુદ્દગલા તેના નિક કારણરૂપ છે અને અધર્માસ્તિકાય તેનુ અપેક્ષા-કારણ છે, Jain Education International ગતિ અને સ્થિતિ સંબધી અપેક્ષા-કારણની તપાસ—— જૈન દર્શન સિવાય અન્ય કોઇ દનમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એવા એ પદાર્થો સ્વીકારાયા નથી, તેા પછી આવા વિચિત્ર પદાર્થા માનવા તે શું યુક્તિ-વિકલ હકીકત ૧ આને ‘ ઉપાદાન ' પણ કહેવામાં આવે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy