SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૮ અજીવ-અધિકાર. [ દ્વિતીય મુદગર વગેરે સંહારાત્મક સામગ્રી દ્વારા વિનાશ થાય છે ત્યારે શું તે ઘડે તેના પિતાના એક ભાગે કરીને નાશ પામે છે કે સમગ્રપણે એટલે તે સવથા નષ્ટ થાય છે ? જે આને ઉત્તર એમ સૂચવાય કે એ ઘડે પિતાના એક ભાગે નાશ પામે છે તે તે કથન સમુચિત નથી, કેમકે જે ઘડે એક ભાગે નાશ પામતે હોય તે ઘડે ફૂટી જતાં તે આખાને જ વિનાશ ન થવું જોઈએ, પરંતુ જ્યારે ઘડો ફૂટે છે ત્યારે કંઈ પણ પ્રામાણિક મનુષ્ય એમ કદાપિ કહેતું નથી કે ઘડાને એક ભાગ નાશ પામે. સૌ કઈ એમ જ કહે છે કે આખા ઘડાને નાશ થયો. આથી પ્રથમ પક્ષ સ્વીકારતાં જગ-પ્રસિદ્ધ વ્યવહારને અ૫લાય કરવાનું કલંક વહોરવું પડશે. હવે જે એમ કહેવામાં આવે કે ઘડો ફટતાં તેને સર્વાશે નાશ થાય તે તે ફૂટી જતાં ઠીબ અને માટી જે નજરે પડે છે તે ન રહેવી જોઈએ, પરંતુ ઘડે કૂટતાં ઠીબ અને માટી રહે છે એ અનુભવ-સિદ્ધ હકીકત છે એટલે આ પક્ષ પણ દૂષિત છે. આથી એમ માન્યા વિના છૂટકે જ નથી કે ઘડો ઘડારૂપે નાશ પામે છે, ઠીબરૂપે ઉત્પન્ન થાય છે અને માટીરૂપે સ્થિર રહે છે. આ વ્યક્તિને આપણે એ પણ પૂછીશું કે જ્યારે ઘડો ઉત્પન્ન થાય છે ત્યારે શું તે એક ભાગે ઉત્પન્ન થાય છે કે સર્વાશે? પ્રથમ પક્ષ સ્વીકારવાથી તે જગ-પ્રસિદ્ધ ઉક્તિને અનાદર કરવાને પ્રસંગ ખડો થાય છે, કેમકે એવું તે કેઈ કહેતું નથી કે એ ઘડો એના એક ભાગે ઉત્પન્ન થયો છે, લેક-વ્યવહાર તો એ જ છે કે ઘડે પૂરેપૂરે ઉત્પન્ન થયો છે. આથી જે બીજો પક્ષ સ્વીકારવા તૈયાર થતા હે તો તે પણ ધૂમાડાના બાચકા ભરવા જેવું છે, કેમકે જે ઘડાની સર્વ પ્રકારે નવીન ઉત્પત્તિ થઈ હોય તો તેમાં માટીની પ્રતીતિ ન જ થવી જોઈએ અને થાય છે એ તે જગજાહેર વાત છે. આથી સાચી હકીકત તે એ છે કે જ્યારે ઘડે ઉત્પન્ન થાય છે ત્યારે તે ઘટરૂપે ઉત્પન્ન થાય છે, માટીના પિંડરૂપે નાશ પામે છે અને માટીરૂપે સ્થિર રહે છે. આમ છતાં જે જાતને અનુભવ સારા જગતને થતું હોય તે જાતનું પદાર્થનું સ્વરૂપ ન માનવામાં આવે તે વસ્તુની વ્યવસ્થા માટે સ્થાન જ નહિ રહે, માટે જે અનુભવ થાય છે તેવું જ વરતુનું સ્વરૂપ માનવું એ ન્યાયપુરરસર છે. વિશેષમાં એમ માનવાથી જ એ પણ વ્યવસ્થા ઘટી શકશે કે જે વસ્તુ નાશ પામેલી છે તે જ કઈ અપેક્ષાએ નાશ પામે છે અને નાશ પામશે, જે વસ્તુ ઉત્પન થયેલી છે તે જ કેઈ અપેક્ષાઓ ઉત્પન્ન થાય છે અને થશે તેમજ જે વસ્તુ સ્થિર રહેલી છે તે જ કેઈ અપેક્ષાએ સ્થિર રહે છે અને રહેશે. જે કઈ પ્રકારે નાશ પામ્યું છે તે જ કઈ પ્રકારે ઉત્પન્ન થયું છે અને રિથર રહ્યું છે, જે કોઈ પ્રકારે નાશ પામે છે તે જ કઈ પ્રકારે ઉત્પન્ન થાય છે અને સ્થિર રહે છે અને જે કઈ પ્રકારે નાશ પામશે તે જ કઈ પ્રકારે ઉત્પન્ન થશે અને સ્થિર રહેશે. આ પ્રમાણે પદાર્થ માત્ર અંદર અને બહાર બધેથી ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ ત્રણ ધર્મોથી ઓતપ્રોત છે. આ પ્રમાણે વસ્તુમાત્ર ધર્મવ્રયાત્મક છે અને એ એમ છે વાસ્તે તે તે હૈયાતી ધરાવવાની લાયકાત ધરાવી શકે છે. જે જે પદાર્થ એ ત્રણ ધર્મોથી રહિત છે તેનામાં શશગની પેઠે કદાપિ હૈયાતી ધરાવવાની લાયકાત હેઈ શકતી નથી, છેતી નથી અને હશે નહિ. અર્થાત આ ત્રણ ધર્મોની હાજરી જ વસ્તુની સદ્ગપતાનું મુખ્ય લક્ષણ છે. વળી જે પદાર્થ આ ત્રણ ધર્મોથી વિશિષ્ટ છે તે જ પદાથે સત્ત્વ, યત્વ, પ્રમેયત્વ ઈત્યાદિ અનંત ધર્મોથી યુક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy