________________
૧૩૪
દ્વિતીય
भवति, पिण्डाकृतिमुपमृद्य रुचकाः क्रियन्ते, रुचकाकृतिमुपमृद्य कटकाः क्रियन्ते, कटका कृतिमुपमृद्य स्वस्तिकाः क्रियन्ते । पुनरावृत्तः सुवर्णपिण्डः । पुनरपरयाऽऽकुत्या युक्तः खदिराङ्गारसदृशे कुण्डले भवतः । आकृतिरन्या चान्या च भवति, द्रव्यं पुनस्तदेव आकृत्युपमर्देन द्रव्यमेवावशिष्यते । "
અજીવ–અધિકાર.
અર્થાત દ્રવ્ય—મૂળ પદાથ શાશ્વત છે, જ્યારે આકૃતિ-આકારરૂપ પર્યાય અશાશ્ર્વત છે. આકારથી યુક્ત સુવર્ણ કદાચિત્ પિડરૂપ બને છે. આ પિંડરૂપ આકારનું ઉપમન (નાશ) કરીને રુચક (મહાર) બનાવાય છે. રુચકના આકારના વિધ્વંસ કરી કડાં બનાવાય છે. કડારૂપ આકારના નાશ કરી સ્વસ્તિક ( સાથીઆ ) બનાવાય છે. વળી અને ગાળીને ફરી સુવર્ણ ના પિ' બનાવાય છે અને વળી એના આકાર-વિશેષનું ઉપમન કરી ખક્ત્તિરના અંગારા સરખાં કુંડળે બનાવાય છે. આથી ફલિત થાય છે કે આકૃતિમાં તે ઉત્તરાત્તર પરિવન થયાં કરે છે, કિન્તુ તેમ છતાં પણુ– આકૃતિઓના સંહાર થવા છતાં પણ દ્રવ્ય તે તેનુ' તે જ છે; આકૃતિના વિનાશ થવા છતાં દ્રવ્યના અસ્તિત્વને જરાએ આંચ આવતી નથી.
આ સંબંધમાં મીમાંસક ક્રેનના પ્રકાંડ પંડિત પાસારમિશ્ર શાસ્રદીપિકામાં
કથે છે કે—
" अतो न द्रव्यस्य कदाचिदागमोऽपायो वा, घटपटगवाश्वशुक्लरक्ताद्यवस्थानामेवागमापायौ । आह च
રવિ તિરોમાવ-ધર્મવ્યાધિ પત્ |
तद् धर्मी तत्र च ज्ञानं, प्राग् धर्मग्रहणाद् भवेत् ॥ तथा च - यादृशमस्माभिरभिहितं द्रव्यं तादृशस्यैव हि सर्वस्य गुण एव મિતે, ન થવમ્ | ”
અર્થાત્ મૃત્તિકારૂિપ દ્રવ્યના કદાપિ ઉત્પાદ કે નાશ થતા નથી, કિન્તુ એના રૂપ, આકાર વગેરેના ઉત્પાદ અને નાશ થાય છે. આચાય કુમારિલ ભટ્ટે કહ્યુ' પણ છે કે ઉત્પાદ અને નાશરૂપ ધર્માને વિષે જે અન્વયરૂપથી ઉપલબ્ધ છે જે અનુસ્મૃત છે તે ધર્મી છે, જેમકે કાળા, રાતા વગેરે રૂપાને વિષે તેમજ પિંડ, કપાલ વગેરે આકારાને વિષે અનુસ્મૃત એવું મૃત્તિકારૂપ દ્રવ્ય ધમ છે. કહેવાની મતલબ એ છે કે મૃત્તિકા-પિડના નાશ અને ઘટની ઉત્પત્તિ તેમજ કૃષ્ણ વણુ ના વિનાશ અને રક્ત વર્ણની ઉત્પત્તિ થવા છતાં મૃત્તિકારૂપ દ્રવ્યનો બરાબર અનુભવ થાય છે. જે મૃત્તિકા પિંડરૂપ આકારમાં ષ્ટિગોચર થતી હતી તે મૃત્તિકાના પંડને નાશ થતાં તે મૃત્તિકા ઘટરૂપે પ્રિંગાચર થઇ, એટલે મૃત્તિકારૂપ દ્રવ્ય તે આબાદ જળવાઇ રહ્યું, વળી ધના ગ્રહણની પૂર્વે જે સંબંધી જ્ઞાન થાય તે ધર્મી છે, જેમકે આછા અંધારામાં રૂપાદિના ગ્રહણની પૂર્વે જ જે ઘટરૂપ દ્રવ્યનું ગ્રહણ થાય છે તે ધમી છે. વિશેષમાં આ સંબંધમાં એક પ્રાચીન વિદ્વાનનું કથન એ છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org