________________
ઉલ્લાસ ]
આર્દ્રત દર્શન દીપિકા,
આવતા નથી, એ તે વસ્તુના ધર્મ જ છે-વસ્તુની સાથે જ સદા રહેનારા છે-વસ્તુથી કાંઇ સથા જુદા જુદા નથી. એટલે કે ધર્મી અને ધમ વચ્ચે ભેદાભેદ છે.
આથી કરીને જે ઉત્પાદ વગેરે ધર્મ છે તે શુ પહેલાં અસત રહેતા પદાર્થના છે કે સત્ પદાર્થોના છે એ પ્રશ્નને માટે સ્થાન રહેતું નથી તેમજ ‘ જે વસ્તુમાં હૈયાત રહેવાના ધમ રહેલા જ છે તે વસ્તુમાં ફરીથી ઉત્પત્તિ વગેરેની કલ્પના કરવી અનુચિત છે, કેમકે એમ કરતાં તે અનવસ્થા ઉદ્ભવે છે ’ એવા દૂષણ માટે પણ અત્ર અવકાશ નથી.
૫૩૩
અત્ર એ ધ્યાનમાં રાખવુ કે કાઇ પણ પદાર્થ પેાતાનું પાતાપણુ ગુમાવતા નથી અને એમાં નવુ પાતાપણું આવતું નથી. અર્થાત્ મૂળ દ્રવ્યની અપેક્ષાએ કઇ પણ પદાર્થીના ઉત્પાદ કે વિનાશ થઇ શકતા નથી, કદાપિ મૂળ દ્રબ્યુને નાશ થતા નથી; માટે જે પરિવર્તન થાય છે તે આકાર પરત્વે જ છે. ઉત્પત્તિ અને વિનાશ એ કેવળ આકાર-વિશેષનાં જ છે, નહિ કે મૂળ વસ્તુનાં. આથી એ સિદ્ધ થાય છે કે ઉત્પત્તિ, પ્રોગ્ય અને વિનાશ એ ત્રણે ધર્માં સ્વભાવ-સિદ્ધ છે. કોઇ પણ પદાથના આત્યંતિક નાશ થતા નથી. પદાર્થોના કાઇ આકાર-વિશેષને નાશ થતાં એમ ન જ કહી શકાય કે તે પદાર્થના સર્વાંગે નાશ થયા છે. આ નાશનો અથ એટલા જ છે કે પૂર્વ આકારવિશેષના ત્યાગ થયા અને નૂતન આકાર-વિશેષની ઉત્પત્તિ થઇ. આથી એ વાત ખાસ લક્ષ્યમાં રાખવા જેવી છે કે કોઇ પણ પદાર્થ સર્વથા નવીન ઉત્પન્ન થતા નથી કે સ ંથા નષ્ટ થતા નથી. મૂળ દ્રવ્યતા આકાર-વિશેષની ઉત્પત્તિના સમયમાં તેમજ એના વિનાશ-કાલમાં પણ સ્થિર છેવિદ્યમાન છે.
દ્રવ્યની નિત્યતા અને પર્યાયની અનિત્યતા——
ઉત્પાદ અને વ્યયને પર્યાયના નામથી અને પ્રોબ્યને દ્રવ્યના નામથી જૈન દર્શનમાં સ ંખેધવામાં આવ્યા છે. એટલે વસ્તુને-પદાર્થ ને દ્રવ્ય-પર્યાયાત્મક કહેવામાં આવે છે. ‘દ્રવ્ય’ સ્વરૂપ સદા નિત્ય અને ‘પર્યાય’ સ્વરૂપ સદા અનિત્ય છે. આકાર એ પર્યાય છે એટલે એ અનિત્ય છે. આથી દ્રવ્યરૂપે પદાની નિત્યતા અને આકારરૂપે પદાર્થની અનિત્યતા સ્પષ્ટ થાય છે. આ હકીકતને મહર્ષિ પતંજલિ મહાભાષ્યના પશુપશાહ્નિકમાં નિમ્ન-લિખિત શબ્દ દ્વારા સમર્થન કરે છેઃ-~~
" द्रव्यं नित्यमाकृतिरनित्या । सुवर्ण कदाचिदाकृत्या युक्तं पिण्डो ૧ ધમ અને ધર્મી એ બે વચ્ચે કાક અપેક્ષાએ ભિન્નતા છે, તેા કાઇક અપેક્ષાએ
અભિ
ન્નતા છે. જો એ વચ્ચે સર્વથા જુદાઇ કે સર્વથા એકપણું માનવામાં આવે તે એ બતના ધધિરૂપ ભાવ જ ઘટી શકશે નિહ. જો ધર્માંને ધીબી તદ્દન પૃથક્ માનવામાં આવે તે એટલે કે દાખલા તરીકે આત્મા અને જ્ઞાન એ એને ધટ અને પાની પેઠે સર્વથા ભિન્ન માનીએ તે નાનો ધર્મી આત્મા જ છૅ, કિન્તુ ઘટ કે પટ નથી એમ કહી શકાશે નહિ. અર્થાત્ અમુક ધર્મના અમુક જ ધર્મી છે એ વ્યવ હારના અને વ્યવસ્થાના ઉચ્છેદ થશે. વળી આ એને સર્વથા અભિન્ન માનવા એ પણ યુક્તિ-સંગત નથી, કેમકે એથી તેા ક્રમના સ થતાં ધર્મોના પણ રામ રમી જવાના, એટલે કૅપ્રસ્તુતમાં ઉત્પાદ અને વ્યયરૂપ ધર્મની અતિત્યતા-અસત્તા વિચારતાં ધર્મનુ—મૂળ દ્રવ્યનુ અસ્તિત્વ જ ઊડી જવાનું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org