________________
૫૩૦
અજીવ–અધિકાર.
[ દ્વિતીય
હવે પાંચ પ્રકારના અજીવ તત્ત્વના ગ્રંથકારે નિર્દેશેલાં લક્ષણ પૂર્વક વિશેષતઃ વિચાર કરીએ તે પૂર્વે ‘ પદા ’ એટલે શુ’ અર્થાત્ પદાથ'નું સામાન્ય લક્ષણ શું છે તે જોઇ લઇએ, પદાર્થ નુ લક્ષણ—
'૩સ્વાર્થય-પ્રીન્થયુર્થ વાર્થ હક્ષળમ્ । ( {KT )
અર્થાત્ દરેક પદાર્થોં ઉત્પાદ, વ્યય અને પ્રોબ્ય એ ત્રણે ધર્મોથી યુક્ત છે—તદાત્મક છે. એવા કોઇ પણ પદાર્થ આ પૃથ્વી ઉપર નથી કે જે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણ ધર્મોથી વિશિષ્ટ ન હેાય. કહેવાની મતલબ એ છે કે જે આ ત્રણ ધમથી રહિત હોય તે પદાથૅ જ નથી. મુક્ત આત્મામાં પણ આ વાત ઘટી શકે છે, કેમકે તેને પણ જ્ઞાતૃ-સ્વભાવે નવા નવા જ્ઞેયમાં પરિણમવાપણું દરેક સમયે રહેલું છે.
પ્રત્યેક પદાથ માં છે અ‘શ છે. તે પૈકી એક અંશ એવા છે કે જે ભૂત, વર્તમાન અને ભાવિ એ ત્રણે કાળમાં શાશ્વત છે, જ્યારે મીજો અંશ સદા અશાશ્વત છે. શાશ્વત અંશને ઉદ્દેશીને પ્રત્યેક પદાથ ધ્રૌવ્યાત્મક યાને સ્થિર કહેવાય છે, જયારે આશાશ્વત અંશને લક્ષ્મીને તે ઉત્પાદ— વ્યયાત્મક ચાને અસ્થિર કહેવાય છે. આ અને શા ઉપર ઢષ્ટિ રાખ્યા વિનાનું કથન એક તરફી છે, જયારે અને શાની બાજુએ દૃષ્ટિ આપવાથી પટ્ટાને પૂર્ણ અને વાસ્તવિક એધ થાય છે.
ઉપર્યુક્ત લક્ષણ પૂરેપૂરું સમજાય તે માટે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનું સ્વરૂપ સમજી લેવું આવશ્યક હાવાથી તે દિશામાં પ્રયાણ કરાય છે.
ઉત્પાદનુ લક્ષણ
स्वजातित्वापरित्यागपूर्वक परिणामान्तरप्राप्तिरूपत्वमुत्पादस्य लक्षનમ્ । ( ૧૪ )
અર્થાત સ્વજાતિને-મૂળ દ્રવ્યના પરિત્યાગ કર્યાં વિના પદાથ જે અન્ય પરિણામને પ્રાપ્ત કરે છે તે પરિણામાન્તર ‘ ઉત્પાદ ’ કહેવાય છે. આ ઉત્પાદના બે પ્રકાર છે– સ્વનિમિત્તક અને પરિમિત્તક.
વ્યયનું' લક્ષણ—
स्वजातित्वा परित्यागपूर्वक पूर्वपरिणाम विगमरूपत्वं व्ययस्य लक्ष
નમ્ । ( ૧૧ )
૧ સરખાવેશ—
Jain Education International
tr
उत्पाद - व्यय - ध्रौव्ययुक्तं सत्
13
૨ પદાર્થ, દ્રવ્ય, સત્ એ બધા એકાક છે.
—તત્ત્વા ( અ. ૫, સ્ ૨૯ )
For Private & Personal Use Only
www.jainelibrary.org