SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય ઉલ્લાસ- અજીવ ” અધિકાર આપણે નવમા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ પદાર્થના જીવ અને અજીવ એવા બે મુખ્ય વિભાગો છે. તેમાં જીવનું સ્વરૂપ કહેવાઈ ગયું એટલે હવે અજીવનું સ્વરૂપ વિચારવામાં આવે છે. તેમાં સૌથી પ્રથમ તેનું લક્ષણ જોઈ લઈએ. અજીવનું લક્ષણ उपयोगाभावावत्त्वमजीवस्य लक्षणम् । ( १९२) અર્થાત ઉપગ યાને ચેતનથી રહિત પદાર્થને “અજીવ' કહેવામાં આવે છે. આ ઉપરથી સમજાય છે કે આ જીવનું વિરોધી ભાવાત્મક તત્વ છે; કેવળ અજીવના અભાવાત્મક નથી અને એને અર્થ +ાર જે જીવ નહિ પેટાવિભાગે તે અજીવ એવો થાય છે. જેમાં મૂળથી જ જાણપણું હતું નથી, જેને પુનર્જન્મ હોતું નથી, જે પાપ, પુણ્ય કે કઈ પ્રકારના કમને કરતે નથી અને તેના ફળને પણ ભગવતે નથી એ જે જડરૂપ ભાવ છે તેનું નામ અછવ” છે. આ અજીવ પદાર્થના અરૂપી અને રૂપી એમ બે વિભાગ પાડવામાં આવ્યા છે. તેમાં અરૂપીના ધમસ્તિકાય (ધર્મ), અધર્માસ્તિકાય ( અધર્મ), આકાશાસ્તિકાય ( આકાશ) અને કાલ એમ ચાર પેટાવિભાગો છે, જ્યારે રૂપીને પુદ્ગલાસ્તિકાય (પુદગલ) એમ એક જ વિભાગ છે. આ પ્રમાણે બધા મળીને પાંચ અજીવ પદાર્થો છે અને એમાં જીવરૂપી પદાર્થ ઉમેરતાં એકંદર જગમાં છ પદાર્થો યાને દ્રવ્યો છે. ધમસ્તિકાયાદિને કમ– અરૂપના ચાર પિટાવિભાગોમાં ધર્માસ્તિકાયને પ્રથમ સ્થાન, અધમસ્તિકાયને દ્વિતીય સ્થાન ઇત્યાદિ ક્રમ રાખવામાં એ હેતુ સમાયેલું છે કે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બંને લેક અને અલેકરૂપ વ્યવસ્થાના કારણભૂત હોવાથી તેમને પ્રથમ નિર્દેશ કરવામાં આવે છે. તેમાં પણ વળી ધર્માસ્તિકાયને પ્રથમ સ્થાન આપવાનું કારણ એ છે કે તે માંગલિક છે. ત્યાર બાદ તેના પ્રતિપક્ષીને સ્થાન આપવામાં આવ્યું છે. લેક અને અલેક બંનેને વ્યાપીને રહેલા આકાશાસ્તિકાયનું અને ત્યાર પછી સમય, ક્ષેત્ર ઇત્યાદિ વ્યવસ્થાના હેતુભૂત કાલનું દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે તે ન્યાઓ છે. ધર્માસ્તિકાયાદિના સમાસ વગેરે પર વિચાર ધર્માસ્તિકાય’ શબ્દ ધર્મ, અસ્તિ અને કાય એ ત્રણ શબ્દને બનેલું છે. તેમાં जीवानां पुद्गलानां च स्वभावत एव गतिपरिणामपरिणतानां तत्स्वभावधारणात् પોષviદુ ધ” અર્થાત સ્વભાવથી જ ગતિરૂપ પરિણામે પરિણત થયેલ છે અને પુદ્ગલેને ગતિરૂપ સ્વભાવને જે ધારણ કરે છે જે છે તે ધર્મ” કહેવાય છે. અસ્ત-શાક, તેજ જાવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy