________________
- દરેકના
ઉલ્લાસ ].
આત દર્શન દીપિકા. એકેન્દ્રિયના દશ ભેદ થાય છે. એની સાથે વેદની અપેક્ષાએ ત્રણ જાતના ત્ર ગણતાં જીવના તેર ભેદો થાય છે. ૫૧૭ માં પૃષ્ઠમાં ગણવેલા જીવના સાત ભેદેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ દરેકના બે બે ભેદ પાડતાં અથવા ચૌદ ગુણસ્થાનક આશ્રીને જીવના ચૌદ પ્રકારે થાય છે. વેદની અપેક્ષાએ સંભવતા નવ પ્રકારના પંચેન્દ્રિય, સૂક્ષમ એકેન્દ્રિય, તથા પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારના બાદર એકેન્દ્રિય અને ત્રણ પ્રકારના વિકસેન્દ્રિય એમ મળીને જીવન પંદર પ્રકારો થાય છે. કેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના તિર્થ અર્થાત્ પંચ પ્રકારના તિર્યંચે, મનુષ્ય, દેવતા અને નારકી એ પ્રમાણે જીવના જે આઠ પ્રકાર થાય છે એ દરેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે ભેદે ગણતાં જીવના સેળ વિભાગે પડે છે. પાંચ પ્રકારના એકેન્દ્રિય, ત્રણ પ્રકારના વિકલેન્દ્રિય અને વેદની દષ્ટિએ ગણાવેલા નવ પ્રકારના પંચેન્દ્રિય એમ માનીને જીવના સત્તર ભેદ થાય છે. ઉપર ગણાવેલા નવ પ્રકારના જીવન પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદે પાડતાં જીવના અઢાર પ્રકારે થાય છે. સૂક્ષમ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય અને ત્રણ પ્રકારના વિકસેન્દ્રિય એ પાંચેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે ભેદે ગણતાં જે દશ ભેદે થાય છે તેની સાથે પંચેન્દ્રિયના નવ ભેદો ગણતાં જીવના ઓગણીસ ભેદ થાય છે. ૫૧૭ મા પૃષ્ઠમાં ગણાવેલા દશ પ્રકારના જીભ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે ભેદ પાડતાં એકંદર જીવોના વીસ ભેદે થાય છે. પાંચ અને અને પાંચ બાદર એમ સ્થાવર ( એકેન્દ્રિય )ના દશ ભેદે થાય છે; આ દરેકના પર્યાઅપર્યાપ્ત એમ બે બે પ્રકારે ગણતાં થાવરના વીસ ભેદે થાય છે, આમાં ત્રસને એક રતાં જીવના એકવીસ ભેદે થાય છે. પ૧૭ મા પૃષ્ઠમાં સૂચવેલા જીવના અગ્યાર ભેમાં કે પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે પ્રકારે ગણતાં જીવના બાવીસ ભેદ થાય છે. ૨૪ આશ્રીને જીવના ૨૪ ભેદ થાય છે. જેમકે નારકેન એક, ભવનપતિના દશ, પૃથ્વીકાયાદિ એકેન્દ્રિયના પાંચ, વિકલેન્દ્રિયના ત્રણ, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વ્યંતર, જતિષ્ક અને વિમાનિક એ પ્રત્યેકનો એક એક. પ્રથ્વીકાયથી માંડીને તે વાયુકાય સુધીના જીના તેમજ સાધારણ વનસ્પતિકાયના સૂક્ષ્મ અને બાદર એમ બે બે ભેદે મળી દશ અને આમાં પ્રત્યેક વનસ્પતિકાય કે જે બાદર જ છે તેને એક ભેદ ઉમેરતાં એકેન્દ્રિયના અગ્યાર ભેદ થયા. આમાં વિકસેન્દ્રિયના ત્રણ ભેદે અને પંચેન્દ્રિયના સંસી અને અસંની એવા બે ભેદ ઉમેરતાં એકંદર સેળ ભેદ થાય છે; આ પ્રત્યેકને પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે બે ભેદ પાડતાં એકંદર બત્રીસ ભેદે થાય છે? નાકના સાત ભેદે, ભવનપતિના દશ, વ્યંતરના અઠ, જ્યાતિષ્કના પાંચ, કલ્પપપન્નના બાર, રૈવેયકના નવ અને અનુત્તરના પાંચ એમ બધા મળીને વૈક્રિય શરીરધારીના ૫૬ ભેદમાં મનુષ્યને અને તિર્યંચને એક એક ભેદ ઉમેરતાં ૫૮ ભેદ થાય છે. આ પ્રત્યેકના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે બે પ્રકારો પાડતાં ૧૧૬ ભેદો થાય છે.
૩૨ ભેદે આપણે ગણાવી ગયા તે પૈકી પર્યાપ્ત સંસી અને અપર્યાપ્ત સંક્ષી એવા પંચેન્દ્રિયના બે ભેદો બાદ કરીએ અને તેમાં આ ૧૧૬ ભેદ ઉમેરીએ તો ૧૪૬ ભેદે થાય છે. બે પ્રકારના સંગી બાદ કર્વાનું કારણ એ છે કે એ તે ૧૧૬ ભેદમાં આવી જાય છે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે એકેન્દ્રિયના ૧૧ ભેદ, વિકલેન્દ્રિયના ૩, પંચેન્દ્રિય આશ્રીને અસંજ્ઞી પંચેન્દ્રિયને એક અને સંસી
૧ આના અર્થ માટે જુઓ નવતત્વસંગ્રહ ( પૃ. ૫ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org