________________
૪૯૮ જીવ–અધિકાર
[ પ્રથમ અર્થાત્ જેમને વિષે દેવગતિરૂપ નામકર્મ ઉદયમાં આવ્યું હોય તથા વિવિધ પ્રદેશમાં વસવાના સ્વભાવને લઈને જેમની ગતિ અચેકસ હેય તેઓ “વ્યન્તર ” કહેવાય છે. તિષ્કનું લક્ષણ–
देवगतिनामकर्मोदय सति प्रकाशस्वभावरूपत्वं ज्योतिष्कस्य ક્ષn(૭૬) અર્થાત્ દેવગતિરૂપ નામકર્મને જેમને વિશે ઉદય થયું હોય અને જેને પ્રકાશમય સ્વભાવવાળા હોય તેઓ “તિષ્ક ” જાણવા. વૈમાનિકનું લક્ષણ
विमाने भवनशीलत्वं वैमानिकस्य लक्षणम् । ( १७७ ) અર્થાત્ વિમાનમાં ઉત્પન્ન થતા દેવે “વૈમાનિક' કહેવાય છે.
આ પ્રમાણે આપણે દેવતાના ચાર પ્રકારે જોયા, પરંતુ ભગવતી (શ. ૧૨, ઉ. ૯ સૂ. ૪૬૧ )માં તો દ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ અને ભાદેવ એમ દેવના પાંચ ભેદે બતાવવામાં આવ્યા છે, પરંતુ તેથી કશે વિરોધ ઉપસ્થિત થતો નથી, કેમકે જે દેવપણે ઉત્પન્ન થનાર છે તે જીવ “ દ્રવ્ય-દેવ” કહેવાય છે; ચક્રવર્તીને “નરદેવ” કહેવામાં આવે છે; સાધુએને “ધર્મ-દેવ” તરીકે ઓળખાવવામાં આવે છે, તીર્થકરે દેવાધિદેવ કહેવાય છે; અને ઉપયુક્ત ભવનપતિ પ્રમુખ દેવતાઓ “ભાવદેવ” કહેવાય છે. અર્થાત ઉપર જણાવેલા દેવના ચાર પ્રકારે સે ભાદેવના જાણવા. ભાવ-દેના ૩૫૬ ભેદ–
પ્રથમ તે આપણે ભાવ-દેવના ૩૫૬ અવાન્તર ભેદે વિચારીશું. તેમાં ભવનપતિના ૧૦, પરમધામિકના ૧૫, વ્યંતરના ૧૫, તિષ્કના ૧૦ અને વૈમાનિકના ૩૮ ભેદે મળીને ૧૭૮ ભેદ થાય છે. આ બધા દેવના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારે વિચારતાં દેવતાના ૩૫૬ ભેદે પડે છે. ભવનપતિના પ્રકારો
અસુરકુમાર, નાગકુમાર, વિદ્યુતકુમાર, સુપર્ણકુમાર, અગ્નિકુમાર, વાત(વાયુ)કુમાર, સ્વનિત(મેઘ)કુમાર, ઉદધિકુમાર, દ્વીપકુમાર અને દિકકુમાર એમ ભવનપતિના દશ ભેદ જાણવા.
૧ સરખા– “ માનgifસોડકુનાજfagurfaષત્તરાનિતfષીવિકા ! ”
–તત્ત્વાર્થાધિ (અ. ૪, સુ. ૧૦ )
Jain Education International
For Private & Personal Use Only
nternational
For Private & Personal Use Only
www.jainelibrary.org