________________
ક્લિાસ ]
આત દર્શન દીપિક. લોકપ્રકાશ (સ. ૩, લે. ૯૭)માં ઉત્તમ પુરુષને બદલે શલાકાપુરુષને ઉલ્લેખ છે અને તે પણ વળી ત્રેસઠે ત્રેસઠ હોય એમ સમજાય છે, કેમકે ત્યાં કઈ જાતને વિશિષ્ટ નિર્દેશ નથી.
જે આયુષ્ય નિરુપક્રમ છે તે અનપવર્તનીય જ છે એ વાત આપણે ૪૭૫માં પૃષ્ઠમાં જોઈ ગયા છીએ એટલે નિરુપક્રમ આયુષ્યના જેઓ અધિકારી છે તેઓ અનાવર્તનીય આયુષ્યના જ અધિકારી છે, પરંતુ અનપવતનીય આયુષ્ય તે સે કમ અને નિરુપક્રમ એમ ઉભય પ્રકારનું હોવાથી એના જે જે અધિકારી હોય તે તે બધા નિરુપક્રમ આયુષ્યવાળા જ છે એમ ન કહી શકાય. છતાં પણ અનાવર્તનીય આયુષ્યવાળા કોણ છે તે પ્રશ્ન વિચારે અસ્થાને નથી. એટલે એના ઉત્તર માટે તત્ત્વાર્થ (અ. ૨)નું અંતિમ સૂત્ર-બાવનમું સૂત્ર નીચે મુજબ રજુ કરવામાં આવે છે –
" औपपातिकचरमदेहोत्तमपुरुषासङ्ख्येयवर्षायुषोऽनपवायुषः " અર્થાત્ ઔપપાતિક (દેવ અને નારક), ચરમશરીરી, ઉત્તમ પુરુષ અને અસંખ્યાત વર્ષ જીવનારાઆનું આયુષ્ય અનપવર્તનીય (જ) છે.આ સર્વ જીવોનું આયુષ્ય નિરુપક્રમ હેવાનું ૪૭૮મા પ્રકમાં સચવાઈ ગયું છે. આ સંબંધમાં મતાંતર જોવાય છે. જેમકે તત્ત્વાર્થની બૃહદવૃત્તિ (પૃ. ૨૨૧)માં મતાંતર દર્શાવતાં કહ્યું છે તેમ કેટલાકને એ મત છે કે તીર્થકરો અને દેવેનું મરણ સોપક્રમ નથી, તે તે નિરુપક્રમ જ છે, જ્યારે બાકીનાનું મરણ ઉભયથા સંભવે છે. આથી તો અસંખ્યય વર્ષ જીવીઓનું પણ આયુષ્ય સંપકમ હોય એમ ફલિત થાય છે અને એ વાતને કર્મપ્રકૃતિના ઉદય-અધિકારની ૧૬મી ગાથાની ટીકા પણ સમર્થિત કરે છે, કેમકે ત્યાં સૂચવ્યા મુજબ અકર્મભૂમિમાં જન્મેલા તિર્યંચ અને મનુને વિષે ત્રણ પાપમના આયુષ્યવાળો છવ ઉત્પન્ન થઈને તરત અત્યંત અલ્પ અંતમુહૂર્તના આયુષ્યને છેવને બાકીના અંતમુહૂત જેટલા ઓછા ત્રણ પલ્યોપમના આયુષ્યને સંક્ષેપી લે છે.
૧ “ ઉત્તમ ' શબ્દથી ભાષ્ય ( પૃ ૨૨૦ )માં તીર્થંકર, ચક્રવર્તી અને અર્ધચક્રવર્તીને નિદેશ કરાયો છે; બહત ટીકા (પૃ. ૨૨૧ )માં આ ઉપરાંત ગણધર વગેરેનું પણ સૂચન કરાયું છે તેમજ “ અર્ધચક્રવર્તી 'ની વ્યાખ્યા કરતાં વાસુદેવ અને બલદેવને પણ નિર્દેશ કરાયો છે; અને તcવાર્થરાજ (પૃ. ૧૧૧)માં “ઉત્તમ’ શબ્દથી ચક્રધર (ચક્રવર્તી) વગેરેનું ગ્રહણું કરાયું છે. વિશેષમાં ત્યાં “ચરમ શબ્દને
ઉત્તમ 'ના વિશેષણરૂપે નિર્દેશ કરાય છે, કેમકે નહિ તો એના મત મુજબ અંત્ય ચાવતા બલવને તેમજ અન્ય વાસુદેવ કણનું આયુષ્ય અપવર્તનીય હતું, તે કથનને સૂત્ર સાથે આથી વાંધા આવે. બહત ટીકાકારનું કહેવું તે એ છે કે સૂત્રમાં “ ઉત્તમ' શબ્દ છે કે નહિ તે સંદિગ્ધ વાત છે, કેમકે એની વ્યાખ્યારૂ ૫ ભાષ્યમાં તેને નિર્દેશ નથી, જ્યારે પૂર્વે તે “ ઉત્તમ °થી તીર્થંકરાદિ સચવાયાં છે. વળી જેઓ ચરમશરીરી હોય તેઓ તે ઉત્તમ પુ છે જ, કે જેઓ ઉત્તમ પુરુષ છે તેઓ ચરમશરીરી હેય પણ ખરા અને ન પણ હોય. ૨ આ રહી તે ગાયાઃ
' अद्धाजोगुक्कोसे बधित्ता भोगभूमिगेसु लहुं।
सव्वाप्पजीविय बजात्त ओषट्रिया दोहं॥" [ अद्धायोगोत्कर्षे बध्या भोगभूमिकेषु लघु । સાહિvીfકહે વિહાડકર્તના હાથ ]
કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org