SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ- અધિકાર. [ પ્રથમ અર્થાત્ (૧) અધ્યવસાય, (૨) નિમિત્ત, (૩) આહાર, (૪) વેદના, (પ) પરાઘાત, (૬) સ્પર્શ અને (૭) શ્ર્વાસાવાસ એ સાત પ્રકારે આયુષ્ય ક્ષીણ થાય છે. અધ્યવસાય-ઉપક્રમના ત્રણ ભેદે— અધ્યવસાય ત્રણ પ્રકારના છેઃ (૧) રાગ-જન્ય, (૨) સ્નેહ-જન્ય અને (૩) ભય-જન્ય. તેમાં એક યુવતિ અતિશય રૂપવાન યુવકને જોઇ તેના ઉપર માહિત થઇ ગઇ, પરંતુ પેલા યુવક જ્યારે ચાલ્યેા ગયા ત્યારે તેના ઉપરના રાગથી તે ઝુરી ઝુરીને મરણ પામી.' આ રાગ-જન્ય અધ્યવસાયરૂપ ઉપક્રમ જાણવા. કાઇ સાવાહ પરદેશથી પેાતાને ઘેર આવવા નીકળ્યેા. એવામાં તે ઘેર આવી પહેાંચે તે પહેલાં એના મિત્રાએ એની પત્નીના પ્રેમની પરીક્ષા કરવા ખાતર એને ઘેર જઇ તેને ખબર આપી કે તારા પતિ ગુજરી ગયા છે. આ સાંભળી પતિના પ્રેમને વશ બનેલી તે પ્રમદાના પ્રાણ પરલેાક સિધાવી ગયા. સાવાતુ ઘેર આવ્યેા ત્યારે પોતાની પ્રાણપ્રિય પત્નીને મરેલી જાણી તેણે પણ સ્નેહને લીધે દેહ ત્યાગ કર્યાં. આ સ્નેહ-જન્ય અધ્યવસાયરૂપ ઉપક્રમ છે. શ્રીકૃષ્ણ વાસુદેવના પુત્ર ગજસુકુમાલે દીક્ષા ગ્રહણ કરી ત્યારે તેના સસરા સામિલ બ્રાહ્મણે પાતાની પુત્રીને છતે ધણીએ રડાયલા જેવી જાણીને ક્રોધમાં ને ક્રોધમાં ગજસુકુમાલ મુનિવરના મસ્તક ઉપર ધગધગતા અંગારા ચૂકવ્યા અને તેના પ્રાણ લીધે. પરંતુ જ્યારે નગરમાં શ્રીકૃષ્ણને પ્રવેશ કરતા તેણે દીઠા ત્યારે ભયના માર્યાં તે પંચત્વ પામ્યા. આ ભય-જન્મ અધ્યવસાયરૂપ ઉપક્રમ છે. નિમિત્ત-ઉપક્રમ— લાકડી, ચાબૂક, કોરડા, શસ્ત્ર વગેરેને આઘાત કે વિષ-પાનથી મરણ થાય તે નિમિત્તઉપક્રમજન્ય મરણુ સમજવુ. આહાર-ઉપક્રમ— અતિશય અલ્પ કે એકદમ બહુ, બહુ ભારે કે ઇંક લખુ, વિકારી કે અહિતકારી એવું ભાજન કરવાથી જે મરણ થાય તે આહાર-ઉપક્રમને આભારી છે. ૧ આ કામની દશમી દશા છે. ભગવતી ( મૂ. ૫૦૪ )ની વૃત્તિમાં કહ્યું પણ છે કે— " चिंते दट्टुमिच्छा दीहं नीससह तह जरे दाहे । मत्तअरोयग मुच्छा उम्माय न याणई मरणं ॥ [ चिन्तयति द्रष्टुमिच्छति दीर्घं निःश्वसिति तथा ज्वरो दाहः । भक्तारोचकत्वं मूच्र्छा उन्मादो न जानाति मरणम् ॥ ] અર્થાત્ (૧. ચિંતન કરવું, (ર) જોવા ઇચ્છા રાખવી, (૩) દીધ નિ:શ્વાસ મૂકવા, (૪) તાવ આવવા, (૫) દાહ થવા, (૬) ભોજન ઉપર અરુચિ થવી, (૭) મૂર્છા આવતી, (૮) ઉન્માદ થવા, (૯) ભાન જતુ' રહેવુ તેમજ (૧૦) મરણ થવુ એ કાન્તી દશ દશાએ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy