________________
૪૧૧૩
ઉલ્લાસ ]
આહંત દર્શન દીપિકા શંકા અને સમાધાન
માધાન- આપણે જોઈ ગયા તેમ દ્રવ્ય-આયુષ્યમાં કશે ફેરફાર થતું નથી, કિન્તુ કાલઆયુષ્યમાં અવતના થાય છે એટલે આયુષ્ય-કર્મના પુદ્ગલેનું વર્તન એક પ્રકારનું અને તેની સ્થિતિનું વતન અન્ય પ્રકારનું જોવાય છે તે એનું શું કારણ છે એવી જિજ્ઞાસા ઉદ્ભવે છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે પ્રશ્ન એ છે કે આયુષ્યના સર્વ પદુગલોને ક્ષય થાય અને એની સ્થિતિને ક્ષય બાકી રહી જાય એ કેમ બને ? આને ઉત્તર એ છે કે જેમ કોડિયામાં પરેલું તેલ દીવાની મોટી તિ કરવાથી શીધ્ર બળી જાય છે ત્યારે સર્વ તેલને ક્ષય થયા છતાં આ દીવો શેડ વખત જ બન્યો એમ કહેવાય છે તેમ આયુષ્યના સર્વ પુદ્ગલ ક્ષય થવા છતાં અમુક વ્યકિત બહુ ઓછે વખત વીતે અકાલે મરણ પામી એ વ્યપદેશ કરાય છે.
' ધારે કે આપણી પાસે એક ૨૫ હાથની લાંબી દેરી છે. આને એક છેડેથી સળગાવીએ તે તેને બળતા જેટલે વખત લાગે તેના કરતાં તેનું શુંછળું કરી તેને સળગાવવામાં આવે તે તેને બળી રહેતાં એ છ વખત લાગે. એવી રીતે આયુષ્યના પુદ્ગલે પહેલા સમયે, બીજા સમયે, ત્રીજા સમયે જેમ ક્ષય પામતા જાય છે તે જ અનુકમ પ્રમાણે જે આ પુદ્ગલેને ક્ષય ચાલુ રહે તે માનો કે જે એક પુરુષ ૧૦૦ વર્ષ જીવી શકે તેમ છે, તેને જીવન-દીપક એને બદલે થોડા વખત પછી આવો કમ ન રહેતાં પહેલા કરતાં વધારેના વધારે પુદ્ગલેને પ્રતિસમય ક્ષય ચાલુ રહેવાથી અંતમુહૂર્તમાં પણ એલવઈ જાય. આથી સંપૂર્ણ સો વર્ષ પૂરા થયા પહેલાં સે વર્ષ જીવનારને દેહ પડ્યો એમ ખુશીથી કહી શકાય. આથી તેના દ્રવ્ય-આયુષ્યને ક્ષય થઈ ગયે, પરંતુ તેની સ્થિતિને ક્ષય બાકી રહી ગયે એમ સુખેથી કહી શકાય. . આ સંબંધમાં એક બીજું ઉદાહરણ વિચારીએ. ધારો કે આપણું પાસે કાચી (બરાબર નહિ પકવેલી) ગળી છે. એમાંથી પાણી ધીરે ધીરે ટપકી જાય છે. એવામાં એકાએક તેમાં ફાટ પદ્ધ જાય તે જેટલા વખતમાં પાણી ખલાસ થઈ જાય તેના કરતાં આમ થવાથી પાણી શીધ્ર વહી જય એ દેખીતી વાત છે. તેવી જ રીતે અપક્વ ( શિથિલ બંધવાળા) આયુષ્ય માટે સમજવું.. ,
આ વિષય વિશેષ સ્પષ્ટ થાય તે માટે હજી બીજા ઉદાહરણે વિચારીએ. ધારો કે એક ઘાસની ગંજી પી છે. તેમાં એક બાજુએથી નાની સરખી ચણગારી મૂકી તેને સળગાવીએ. આથી તે ચીણગારી ઘાસને ક્રમે કરીને બાળતી બાળતી આખી ગંજીને સ્વાહા કરી જશે, પરંતુ તેમાં વિલંબ વધારે લાગશે. એના કરતાં એ ઘાસની ગંજીને શિથિલ અને છુટીછવાઈ બનાવી ચારે બાજીથી તેને સળગાવવામાં આવે તો તે એકદમ જલદી બળી જશે.
કેટલીક વાર એમ બને છે કે એકને એક દાખલે બે રીતે થઈ શકે છે. તેમાંની એક રીત લાંબી અને બીજી ટુંકી હોય છે. આથી કુશળ ગણિતજ્ઞ જેટલી વખતમાં એ દાખલ કરી શકે તેના કરતાં મતિ–મંદતાથી લાંબી રીતે દાખલો કરનારને વધારે વાર લાગે એ સ્વાભાવિક છે.
આવી જ રીતે ધારો કે આપણી પાસે સરખાં ભીંજવેલાં બે ધોતી છે, આમાંથી એકને
60.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org