SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા, ૪૭૧ - દેવો પુરુષવેદ અને સ્ત્રી–વેદ એમ બે જ વેદવાણા છે, અને વિષે નપુંસક-વેદ હેતે નથી; નારક અને સંમૂચ્છિમ નપુંસક વેદી જ છે, જ્યારે બાકીના બધા જ ત્રણે વેદથી યુક્ત છે. આયુષ્ય-મીમાંસા જેના વડે જીવ વિવતિ ભવમાં અમુક કાળ પર ટકી શકે છે તે આયુષ્ય ” કહેવાય અથવા જેના વડે જીવ નક્કી પરભવમાં જય છે તે “આયુષ્ય કહેવાય. અથવા વિવક્ષિત ભવમાં જેટલા કાળ સુધી જીવ રહે તે “ આયુષ્ય” કહેવાય, આયુઝા બે બીજું કઈ નથી પણ આયુષ્યકમે છે. એ પોગલિક છે એટલે એ પુગલના સમૂહથી જીવ જીવે છે. તેનાથી કરીને આયુષ્યના (૧) દ્રવ્ય-આયુષ્ય અને (૨) કાલ-આયુષ્ય એમ બે ભેદ પડે છે. જેમાં તેલ વિના દીવ બળી શકતો નથી તેમ આયુષ્યના પુદગલ વિના જીવ જીવી શકતો નથી. આ આયુષ્ય-કમના પુગલો તે “દ્રવ્ય-આયુષ્ય ” છે. દ્રવ્ય-આયુષ્યની સહાયતાથી જીવ જે અમુક કાળ સુધી જીવી શકે છે તે કાળને “કાલ–આયુષ્ય” કહેવામાં આવે છે, પ્રજ્ઞા પનામાં આને “ સ્થિતિ–આયુષ્ય તરીકે ઓળખાવ્યું છે દ્રવ્ય-આયુષ્ય પૂર્ણ કર્યા વિના કેઈ પણ જીવનું કદી પણ મૃત્યુ થયું નથી અને થશે નહિ. આયુષ્યના જેટલા પરમાણુ એ જીવે બંધન-કાલે ઘણુ કર્યો હોય તે પૈકી પ્રત્યેકને વિપાક–અનુભવ થયા વિના જીવનું મરણ થતું નથી. આ સમગ્ર મુદ્દલેને ક્ષય કર્યા પછી જ જીવ અન્ય ગતિમાં જઈ શકે છે. એક પણ પરમાણુ ક્ષય કર બાકી હોય ત્યાં સુધી જીવને વિવક્ષિત ભવમાં રહેવું જ પડે છે. કાલ-આયુષ્યની વાત એથી જુદી છે, કાલ-આયુષ્યમાં તે સેંકડો વર્ષોની સ્થિતિ ઉપાર્જન કરી હોય છતાં અંતમુહૂર્તમાં પણ મરણ નીપજે એમ બની શકે છે. એટલે કે આ આયુષ્યમાં તે અકાલ-મૃત્યુ માટે અવકાશ છે અર્થાતુ અપવતના માટે સ્થાન છે. આથી એ ફલિત થાય છે કે દ્રવ્ય-આયુષ્ય ફેરફારથી રહિત છે, જ્યારે કાલ–આયુષ્ય અપવતનીય અને અનપવતનીય એમ ઉભય પ્રકારનું છે. ઉભય પ્રકારનું છે. દર , ; , ભાવી જન્મના આયુષ્યનું નિર્માણ વર્તમાન સમયમાં થાય છે. તે અપવતનીય કે અનપવર્તનીય છે તેને આધાર પરિણામની તરતમતા ઉપર રહેલો છે. આયુષ્ય બાંધતી વેળા પરિણામ જે મંદ હોય તે આયુષ્યને બંધ શિથિલ થાય છે. આથી શસ્ત્રને આઘાત વગેરે બાહ્ય નિમિત્ત મળતાં બંધ-કાલની કાલ-મર્યાદા ઘટે છે એટલે કે બંધના સમયની સ્થિતિ પૂર્ણ થયા પહેલાં જે તે શીધ્ર ભગવાઈ જાય છે–પિતાની નિયત કાલ-મર્યાદા સમાપ્ત થયા પૂર્વે જ અંતમુહૂત માત્રમાં જ ભેગવાઈ જાય છે. આ પ્રમાણે જેને ભેગ-કાલ બંધ-કાલની સ્થિતિની મર્યાદાથી ઓછા હોય તે “અપવતનીય આયુષ્ય” કહેવાય છે. એનાથી ઉલટું જે આયુષ્ય આંધ ની વેળા પરિણામ પતેત્ર હોય તે આયુષ્યને ગાઢ બંધ થાય છે. એથી શાના આઘાત જેવા બાહ્ય નિમિત્તો મળવા છતાં બંધ-કાલની કાલ-મર્યાદા ઘટતી નથી એટલે બાંધેલી આયુષ્ય-સ્થિત પૂર્ણ થયા બાદ જે જીવ ૧ લડાઈ, મરકી વગેરે ભયંકર આફત સમયે કેટલીક વાર સંત નવ યુવાનોનું અચાનક મરણ નીપજે છે, જ્યારે મરણોમુખ દુશાએ પહોચેલા ઘરડા અને એ આપનમાં પણ જીવતા રહી જાય છે એ બનાવથી સહુ કોઈને અકલ-મૃત્યુ છે કે નહિ એવો પ્રશ્ન ઉદ્ભવે આને ઉત્તર તા. અને ના એમ ઉભય પ્રકારે જૈન દર્શનમાં મળી આવે છે . . . . . . . . . ' +;." છે કે : 6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy